– અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી
સુરત : વાવાઝોડુ શમી ગયા બાદ રાજકીય વિવાદ ચર્ચાની એરણે ચડ્યો છે.વાવાઝોડા દરમિયાન જે તે વિસ્તારના હાલચાલ પૂછવા માટે પોસ્ટ કરનાર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ કોમેન્ટના જવાબમાં ભાજપ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર.પાટીલને બુટલેગર કહેતા વિવાદ સર્જાયો છે.સુરતના અલગ અલગ સાત પોલીસ સ્ટેશનમાં આપના ગોપાલ ઈટાલીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આપ પાર્ટીના નેતા ભાજપના નેતાઓને નિશાને લેવાની એક પણ તક ચૂકતા નથી.તેમાં પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુરતના હોય આપના નેતા ઓ સી.આર.પાટીલ ઉપર સીધું નિશાન તાકે છે. 18 મેં 2020ના દિવસે સોશિયલ મીડિયામાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની એક પોસ્ટ ઉપર અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ ઉમેશ મારડિયા હિન્દુ પ્રજાપતિએ કોમેન્ટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે ” ગોપાલભાઈ, મેળ પડે તો એક બ્લેન્ડર મળી જાય તેવું કરો, નવસારી જલાલપુરમાં પાણીની સગવડ છે અને હા બે મિત્રો પણ મારી સાથે બેસવા વાળાને બ્લેન્ડર હોય તો પણ ચાલશે ” દારૂની વિવિધ બ્રાન્ડસ અંગે લખ્યું હતું. જેના જવાબમાં ગોપાલ ઇટાલીયાએ વિવાદાસ્પદ કોમેન્ટ લખી હતી. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખનો નામ લઈને લખ્યું કે માજી બુટલેગર અને હાલના નવસારીના સાંસદ સી.આર.પાટીલ નો સંપર્ક કરો મેળ પડી જશે”…
સોશિયલ મીડિયામાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલને બુટલેગર કહેતા ગોપાલ ઇટાલીયા સામે 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.સી.આર.પાટીલને બુટલેગર કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.ગોપાલ ઇટાલીયા બુટલેગર કહેતા ભાજપના કાર્યકર્તા રઘવાયા થયા છે. સાઇબર ક્રાઇમ અંતર્ગત ગોપાલ ઇટાલીયા સામે ગુનો દાખલ કરાવ્યા છે.
ભાજપના કાર્યકર્તા વિપુલ સોરઠીયાએ જણાવ્યું કે, સાયબર ક્રાઇમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.ગુજરાતમાં દારૂબંધી છે અને સી.આર.પાટિલ લોકોએ ચૂંટાયેલા લોક પ્રતિનિધિ તરીકે સાંસદ બન્યા છે તેમને બુટલેગર કહેતા તેમની માનહાનિ થઈ રહી છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચૂંટાયેલા પ્રતિનિધિની કોઈપણ પ્રકારની ગરિમા સાચવી ન હોવાથી તેમની સામે ફરિયાદ નોંધાવી છે.સી.આર.પાટીલ વિરુદ્ધ બુટલેગરના કોઈ પણ પુરાવા ન હોવા છતાં આ પ્રકારની તેમને પ્રતિષ્ઠાને ઝાંખી કરવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જે ભાઈ યોગ્ય છે જેથી ગોપાલ ઇટાલીયા સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરીને શિક્ષાત્મક પગલાની માગ કરી છે.
કયા પોલીસ સ્ટેશનમાં કોણ ફરિયાદ દાખલ કરી
– અડાજણમાં પિયુષ કોરિયા
– અમરોલીમાં કલ્પેશ દેવાણી
– કતારગામમાં કેતન કલથીયા
– કાપોદ્રામાં વિપુલ સોરઠીયા
– સરથાણામાં દિનેશ દેસાઈ
– પુણામાં દિનેશભાઇ ગોહિલ
– કામરેજમાં યોગેશ પટેલ