સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને ત્રણ મહિના પૂરા થયા છે.૧૪ જૂન ૨૦૨૦ના રોજ બ્રાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.મુંબઇ પોલીસે પીએમ રિપોર્ટના આધારે બતાવ્યું હતું કે,સુશાંતનું મૃત્યુ ફાંસીને કારણે ગળું રુંધાઇ જવાના કારણે થયું છે.પરંતુ,આ રિપોર્ટને લઇ ઘણાં લોકોે શંકા દર્શાવી હતી.સીબીઆઇની તપાસ શરૂ થયા બાદ એમ્સની ટીમ આ મોતની તપાસનું કારણ શોધી રહી છે.એમ્સની ટીમ આગામી સપ્તાહ સુધીમાં સીબીઆઇને તેની રિપોર્ટ સોંપી દેશે.એમ્સના તબીબોની ટીમ ઓટોપ્સીની તપાસ કરી રહી છે.સુશાંતના પરિવાર તથા મિત્રોએ શક દર્શાવ્યો હતો કે તેની હત્યા કરવામાં આવી છે.સૂત્રો પ્રમાણે,એમ્સની ટીમ રવિવારે સીબીઆઇને મળશે અને આગામી સપ્તાહના શરૂઆતમાં અધિકારીઓને રિપોર્ટ આપશે. સૂત્રો મુજબ, તબીબોની વિસેરા પરની રિપોર્ટ શુક્રવાર સુધીમાં આવવાની સંભાવના છે.
બિહારમાં ફરિયાદ નોંધાઈ છે
મુંબઇ પોલીસે પીએમ રિપોર્ટના આધારે આ ઘટનાને શ્વાસ રુંધાઇ જવાને કારણે મૃત્યુ થયાનું લેખાવ્યું હતું.અભિનેતાના શરીર પર બાહ્ય ઇજાના કોઇ નિશાન નહોતાં. મુંબઇ પોલીસની એક મહિના સુધી ચાલેલી તપાસથી સુશાંતના પિતા સંતુષ્ટ હતા નહીં.તેમણે બિહાર- પટણાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી સહિત ૬ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા સુશાંતને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા તથા નાણા હડપવાના આરોપ મૂકયા હતા.
સેમ્પલ્સમાં વિવિધ ડ્રગ્સની તપાસ
લેવામાં આવેલા વિસેરા સેમ્પલ્સની વિવિધ ડ્રગ્સના અંશની શંકાએ પણ તબીબો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.એમ્ફેટામાઇન્સ,કેનાબીસ,ઓપિડોસ,કોકેઇન સહિતના વગેરે ડ્રગ્સનું સેવન કરાતું હતું કે કેમ? તે એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે.
સિનિયર સિટિઝન પાસેથી રૂપિયા ૧૬ લાખ મળ્યા
આ કેસમાં એક સિનિયર સિટિઝન પાસેથી ૧૬ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ સિટિઝનનું નામ ડ્રગ પેડલર ક્રિશ કોસ્ટાએ આપ્યું હતું.
ફિલ્મમેકર દિનેશ વિજાન સાથે પૂછપરછ
ફિલ્મમેકર દિનેશ વિજાનનું નિવેદન ઇડીએ નોંધ્યંુ છે.દિનેશએ સુશાંત સાથે મળીને રાબ્તા ફિલ્મ બનાવી હતી.ઇડીએ સોમવારે દિનેશને બોલાવી ૮ કલાક પૂછપરછ કરી હતી.
સેટ પર વીડનું સેવન સામાન્ય, કોકેન બોલિવૂડનું પાર્ટી ડ્રગ : સુશાંતસિંહનો મિત્ર યુવરાજસિંહ
સુશાંતસિંહના અંગતમિત્ર અભિનેતા- પ્રોડયુસર યુવરાજસિંહે જણાવ્યું હતું કે, ડ્રગ કલ્ચર ફક્ત બોલિવૂડ ફરતે જ નહીં પરંતુ, સમગ્ર ઇન્ડસ્ટ્રી ફરતે છવાયેલંુ છે.તેણે સંખ્યાબંધ અભિનેતા કોકેનના બંધાણી હોવાનો આક્ષેપ કર્યો છે.૧૯૭૦ના અરસાથી ડ્રગ સેવન ચાલે છે.તે સમયે પરિસ્થિતિ જુદી હતી.તે વખતે આ બાબત એક્સ્પોઝ થતી નહોતી કે સોશિયલ મીડિયા નહોતું.હવે તે ખુલ્લું પડી રહ્યું છે.ઇન્ડસ્ટ્રીમાં ઘણાં લોકો છે,જેઓ તેઓ કોકેન લે છે. ઘણાં અભિનેતા તથા ફિલ્મમેકર કે જેઓ ડ્રગ કે તેની ફરતે છે.જેથી આ ગાંડપણ બહાર આવી રહ્યું છે.ઇન્ડસ્ટ્રીમાં જાણીતા ડ્રગ્સ વિશે જણાવ્યું હતું કે,વીડ સિગારેટ જેવી હોય છે.કેમેરા પર્સનથી લઇ ટેકનિશિયન સુધીના લોકો સેટ પર સામાન્ય રીતે આ લેતા હોય છે.બોલિવૂડ પાર્ટીઝમાં કોકેનનો ઉપયોગ વધુ થાય છે.કોકેન બોલિવૂડનું મુખ્ય ડ્રગ છે.ત્યારબાદ એમડીએમએ, એલએસડી, કેટામાઇન જાણીતા છે.આ બધા હાર્ડ ડ્રગ છે,જેની અસર ૧૫થી ૨૦ કલાક રહે છે.ઇન્ડસ્ટ્રીના પાંચથી આઠ અભિનેતા ઇન્ડસ્ટ્રીમાંથી બહાર ફેંકાઇ જશે, અથવા આ લોકો મરી જશે.અભિનેતાએ જણાવ્યું હતું કે,ડ્રગ્સ ઘણી વખત ઓફર થયું છે.જે સામાન્ય છે.ઘણાં લોકો તેને ઓપરેટ કરે છે.તેઓ ડ્રગ્સ લે છે અને પાર્ટીમાં જાય છે.૧૦થી ૧૫ જણા કોકેનના બંધાણી છે. ઘણાં લોકો ડ્રગ્સ લે છે,તેના નામ જાણું છે પરંતુ,તેની પાસે કોઇ ફોટોગ્રાફ્સ કે પુરાવા નથી.તેથી નામ લઇ શકાય નહીં
એનસીબીએ ડ્રગ્સ કેસમાં વધુ બે ની ધરપકડ કરી
એનસીબીએ સુશાંતસિંહ રાજપૂત કેસ અને તેના સંબંધિત ડ્રગ્સ કેસની તપાસમાં વધુ બે લોકોની ધરપકડ કરી છે. જે અંગે મંગળવારના રોજ માહિતી આપવામાં આવી છે. એજન્સી દ્વારા અગાઉ રિયા ચક્રવર્તી સહિત ૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.સોમવારે એનસીબીએ શૌવિકના મિત્ર સૂર્યદીપ મલ્હોત્રાની મુંબઇથી ધરપકડ કરી હતી.શનિવારે ગોવાથી ક્રિસ કોસ્ટાની ધરપકડ કરાઇ હતી.જેની મુંબઇ લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુશાંત અને રિયાએ હાઉસ સ્ટાફ સાથે ગ્રૂપ બનાવ્યું હતું, ડ્રગ્સની વાતચીત થતી હતી
તપાસ અધિકારીઓ સમક્ષ એક નવી વિગત સામે આવી છે.જે મુજબ,સુશાંત અને રિયાએ હાઉસ સ્ટાફ સાથે એક વોટસ્એપ ગ્રૂપ બનાવ્યું હતું.જેમાં ડ્રગ્સ વિશે વાત કરતા હતા. સુશાંતના જૂના ફ્લેટ કેપરી હાઇટ્સમાં આ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું.આ ગ્રૂપ મારફત વાતચીત થતી હતી.
સોનમ કપૂર, જોયા અખ્તર સહિત ઘણી હસ્તિઓએ મીડિયાને પત્ર લખ્યો : ‘રિયા ચક્રવર્તી ફસાવ ડ્રામા ચલ રહા હે’
રિયા ચક્રવર્તી વિશે મીડિયામાં જે રિપોર્ટિંગ થઇ રહ્યું છે,તેને લઇને કેટલાક સંગઠનો તથા લોકોએ ન્યૂઝ મીડિયાના નામે એક પત્ર લખ્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ડિઅર મીડિયા, જયારે અમે મીડિયાને રિયા ચક્રવર્તી પાછળ પડેલા મીડિયાને જોઇએ છે તો સમજી નથી શકતા કે નૈતિકતા કેમ ગુમાવી દીધી છે ? ‘ ૬૦ સંગઠન તતા ૨૫૦૦થી વધુ લોકોએ સહી કરી છે.આ પત્ર ૧૪ સપ્ટેમ્બરના રોજ મીડિયમ.કોમ પર ફેમિનિસ્ટ વાઇસેસના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જોયા અખ્તર, સોનમ કપૂર, ગૌરી શિંદે સહિત ઘણાં સામેલ

