[weather_data]
Breaking News
TRENDING NEWS

Author: HM News

નવરાત્રીમાં મા દુર્ગા કૂકડા પર સવાર થઈને કરશે પ્રસ્થાન, જાણો આ સવારીના સંકેત

– આ વર્ષે શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પાલખી પર સવાર થઈને આવશે અને કૂકડા પર પ્રસ્થાન કરશે. જાણો મા શેરાવાલીના આગમન અને પ્રસ્થાન બંનેના વાહનોનો અર્થ શું છે શારદીય નવરાત્રી 3જી ઓક્ટોબર શરૂ થઈ રહી છે.માતાના ભક્તો નવરાત્રીની આતુરતાથી રાહ જુએ છે.નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.આખા દેશમાં નવરાત્રીની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.માતા રાણીના સ્વાગત માટે લોકો પંડાલો,મંદિરોથી લઈને પોતાના ઘર સુધી ખાસ તૈયારીઓ કરે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તો પર અપાર આશીર્વાદ વરસાવે છે.આ વર્ષે નવરાત્રી 12
Read more

પહેલા નોરતે કરો મા શૈલપુત્રીની પૂજા : આ મંત્રોથી કરો માને પ્રસન્ન

– નવરાત્રીનો પ્રથમ દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા શૈલપુત્રીને સમર્પિત છે,જેને હિમાલયની દિવ્ય પુત્રી કહેવામાં આવે છે.પહેલા નોરતે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે શારદીય નવરાત્રી ગુરુવાર 3 ઓક્ટોબરથી શુક્રવાર 11 ઓક્ટોબર સુધી ઉજવાશે. સનાતન ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.નવરાત્રીનો પ્રથમ દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા શૈલપુત્રીને સમર્પિત છે,જેને હિમાલયની દિવ્ય પુત્રી કહેવામાં આવે છે.શૈલ એટલે પર્વત તેથી માતાના આ સ્વરૂપનું નામ શૈલપુત્રી પડ્યું છે.પહેલા નોરતે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી શૈલપુત્રીને સફેદ રંગનું ભોજન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.ભક્તો મા
Read more

‘બોલ માડી અંબે…’ પહેલાં નોરતે જ અંબાજી અને પાવાગઢમાં માઇ ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

Navaratri 2024 : આજથી શારદીય નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચુકી છે.ત્યારે અંબાજી મંદિર ખાતે લાખો માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.પહેલાં નોરતે જ શક્તિપીઠ અંબાજી અને પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચી ગયાં છે.આજે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.વહેલી સવારે અંબાજી આવેલા ભક્તોએ માતાજીની જ્યોતના દર્શન કરી નવરાત્રિના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો. ફૂલોથી સુશોભિત કરાયું અંબાજી મંદિર નવરાત્રિના પાવન પર્વ પર અંબાજી મંદિરને સુંદર ફૂલો અને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે.ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો પહેલાં નોરતાની મંગળા આરતીનો લાભ લેવા પહોંચ્યા હતાં.નવરાત્રિના પહેલાં નોરતે જ અંબાજી બોલ માડી અંબે…
Read more

મહારાષ્ટ્રમાં ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું ફરી ગઠબંધન થશે! જાણો કોણે કર્યો આ દાવો

મુંબઈ, 1 ઓક્ટોબર : મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના (UBT)ના નેતાઓ વચ્ચે બેઠક થવાની અટકળો છે.વંચિત બહુજન આઘાડીએ દાવો કર્યો છે કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ છે.પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં બીજેપી ચીફ જગત પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.જો કે આ અંગે બંને પક્ષોએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. VBAના મુખ્ય પ્રવક્તા સિદ્ધાર્થ મોકલે દ્વારા એક વીડિયો સંદેશ જારી કરવામાં આવ્યો છે.મોકલેનો દાવો છે કે રાઉત 25 જુલાઈના રોજ 7 ડી મોતીલાલ માર્ગ પર 2 વાગ્યે નડ્ડાને મળ્યા હતા.તેમણે કહ્યું, આ પછી, 5 ઓગસ્ટની
Read more

ઈરાને આપ્યો દગો! લેબનાન અને ગાઝામાં મદદ માટે સૈનિકો નહીં મોકલે

હિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહની હત્યા કર્યા બાદ ઇઝરાયેલની સેના દક્ષિણ લેબેનોનમાં દરોડા પાડી રહી છે અને સરહદ પર બનેલી સુરંગો પર સ્ટ્રાઇક કરી રહી છે.રેડ બોર્ડર વિસ્તારમાં હિઝબોલ્લાહની ઓપરેશનલ ક્ષમતાને નુકસાન પહોંચાડવાની IDFની યોજનાનો આ એક ભાગ છે.ત્યારે ઈરાને હિઝબુલ્લાહને એમ કહીને મોટો ઝટકો આપ્યો છે કે તે ગાઝા અને લેબનોનમાં તેના સૈનિકો મેદાનમાં ઉતારશે નહીં.અમેરિકન અખબાર ‘વોલ સ્ટ્રીટ જર્નલ’એ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઈઝરાયેલની આ કાર્યવાહી જમીન પર આક્રમણની તૈયારી હોઈ શકે છે,જે કદાચ આ અઠવાડિયે થઈ શકે છે. ઈઝરાયેલ સામે ઈરાન બેકફૂટ પર? ઈરાનના વિદેશ મંત્રાલયે સોમવારે પુષ્ટિ કરી છે કે તેહરાન ઈઝરાયેલનો મુકાબલો
Read more

ઈરાનના જાસૂસે જ ઈઝરાયલને નસરલ્લાહના ગુપ્ત ઠેકાણાનો ભાંડો ફોડી દીધાના અહેવાલ

નવી દિલ્હી : શું ઈઝરાયલને હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહના છુપાવાનાં ગુપ્ત સ્થળની માહિતી ઈરાનના જાસૂસ તરફથી મળી હતી ? આ અંગે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ઈરાની જાસૂસે જ ઈઝરાયલને નસરલ્લાહનાં છુપાવાની માહિતી આપી દીધી હતી.વાસ્તવમાં ઈરાન લેબેનોનનું મિત્ર છે.તે હિઝબુલ્લાહ આતંકી જૂથને તમામ પ્રકારની આર્થિક અને શસ્ત્ર સહાય આપે છે.નસરલ્લાહનાં મૃત્યુ પછી ઈરાને એક નિવેદન પ્રસિદ્ધ કરી જણાવ્યું હતું કે સહુ મુસ્લિમોએ એક જૂથ થવાની જરૂર છે.આ જોતાં તે અસંભવિત નથી કે ઈરાનને નસરલ્લાહનાં છુપાવાનાં ગુપ્ત સ્થળની માહિતી ન હોય. સંભવ તે પણ છે કે તેણે જ દગો કર્યો હોય. પ્રાપ્ય માહિતી પ્રમાણે ઈરાનના અન્ડર-કવર-એજન્ટે જ
Read more

લેબેનોનમાં ઇઝરાયલે શરૂ કર્યું ગ્રાઉન્ડ ઓપરેશન

હિઝબુલ્લાહના ચીફ નસરલ્લાહની હત્યા કર્યા બાદ હવે ઇઝરાયલી સેના લેબેનોનમાં ઘૂસી ગઈ છે.ઈઝરાયલે આ ગ્રાઉન્ડ ઓપરેશન દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલના સમય અનુસાર રાત્રે 10 વાગ્યે પ્રવેશ કરીને શરૂ કર્યું છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લેબેનીઝ આર્મીને બોર્ડર પરથી ઓછામાં ઓછા 5 કિમી દૂર ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈઝરાયલી આર્મીએ જ આપી આ ઓપરેશનની જાણકારી આ ઓપરેશનની જાણકારી ઇઝરાયલી આર્મી (IDF) એ સવારે 4.32 વાગ્યે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી. ઈઝરાયલે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કાર્યવાહી સચોટ ગુપ્ત માહિતીના આધારે સંપૂર્ણપણે સ્થાનિક અને ટાર્ગેટ ગ્રાઉન્ડ રેડ છે.આ વિસ્તારો સરહદની નજીકના ગામોની નજીક છે તેની ઉત્તર
Read more

હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મૃત્યુના સમાચાર વાંચતી વખતે ન્યૂઝ એન્કર રડી પડી!

ઈઝરાયેલના દાવાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે.હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મૃત્યુના સમાચારથી લેબનોનમાં શોકનું વાતાવરણ છે.રાજધાની બેરૂતમાં ઊંડી શાંતિ છવાઈ ગઈ છે અને લોકો આ સમાચારથી ચોંકી ગયા છે.તેની અસર લેબનીઝ ન્યૂઝ ચેનલમાં પણ જોવા મળી હતી.જ્યારે લાઈવ પ્રસારણ દરમિયાન હસન નસરુલ્લાહના મૃત્યુના સમાચાર વાંચતી વખતે એક ન્યૂઝ ચેનલની એન્કર પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શકી અને કેમેરા સામે રડી પડી હતી. આ ઈમોશનલ ક્ષણને કેમેરામાં કેદ કરવામાં આવી હતી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ ઘટના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે,કેટલાક તેને હિઝબુલ્લાહ સમર્થકોની હાર માની રહ્યા છે તો કેટલાક તેને
Read more

ઈસ્માઈલ હનિયા અને હસન નસરલ્લાહનો ખેલ ખતમ, હવે ઈઝરાયેલની રડાર પર કોણ ?

પહેલા હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા અને હવે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે ઈઝરાયેલની રડાર પર હવે કોણ છે ? આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરતી વખતે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે આતંકવાદ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.નેતન્યાહુના આ ભાષણ પછી તરત જ ઈઝરાયેલે બેરૂત પર હુમલો કર્યો.આ હુમલો ન્યુ ઓર્ડર ઓપરેશન હેઠળ કરવામાં આવ્યો હતો.ઈઝરાયેલ પોતાના વિરોધી સંગઠનોના ટોચના કમાન્ડરોને મારવા માટે આ ઓપરેશન ચલાવી રહ્યું છે. હવે ઈઝરાયેલની રડાર પર કોણ ? 1) યાહ્યા સિનવાર હમાસના
Read more

રાજ્યના 41 સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા કર્યા મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે.રાજ્યમાં કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે.આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ વિષય આવતા તેમણે લોકોને ટ્રાફિક
Read more
1 2 3 4 2,120

Most Read