સુરત, 15 માર્ચ 2023 બુધવાર : સુરતના મોટા વરાછા રોડ પર આવેલા સહજાનંદપ્રસ્થના નંબર ને ૧૦૮ માં રહેતા અને સિદ્ધેશ્વર કોર્પોરેશનના નામે કન્ટ્રકશનનો વ્યવસાય કરના બિલ્ડર અશ્વિન ચોવટિયાએ ગત પહેલી માર્ચના રોજ અમદાવાદના સોલા વિસ્તારમાં જઈને સુસાઇડ નોટ લખી વિડીયો બનાવી એકરમાં ઊંઘની ટીકડીઓ ખાઇને આપઘાતની કોશિશ કરતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.આ પ્રકરણમાં અમદાવાદના સોલા પોલીસ અધિન ચોવટિયાનું નિવેદન લીધા બાદ ઝીરો નંબર ફરિયાદ સરથાણા પોલીસ મથકે ટ્રાન્સફર કરી હતી.પોલીસે સુરતના જણીતા બિલ્ડર અવધ ગ્રુપના થતિ બાબરીયા ઉર્ફે જયંતી એક્લેરા તથા ધીરુ હિરપરા,રજની કાબરિયા,ગુડ્ડુ પોદ્દાર,પરેશ વાડોદરિયા અને જીગ્નેશ સખીયા સામે ગુનો દાખલ કર્યો હતો.આ કેસમાં આજરોજ અવધ ગ્રુપના જ્યંતિ એક્લેરા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન તેમના વકીલ હસ્તક દાખલ કરવામાં આવી હતી.જે પિટિશનની હીયરીંગ નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટ કાર્યવાહીના અંતે જ્યંતિ ઇક્લેરા વિરુદ્ધ થયેલી પિટિશન અરજીને મંજૂરીની મ્હોર મારતા જમીન કૌભાંડમાં જ્યંતિ એક્લેરાને મોટી રાહત થઇ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ શહેરના બહુચર્ચિત જમીન કૌભાંડમાં બિલ્ડર અશ્વિન ચોવટિયાએ જ્યંતિ એક્લેરા વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા આ પ્રકરણમાં આજરોજ ક્વોશિંગ પિટિશન હાઇકોર્ટએ સ્વીકારી લેતા અવધ ગ્રુપના બિલ્ડર જ્યંતિ એક્લેરા વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ અને સીટ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમ્યાન મોટો ચુકાદો આપ્યો છે.આજરોજ બપોરે અમદાવાદ હાઇકોર્ટના વિદ્વાન ન્યાયધીશ સમીર જે. દવેની કોર્ટમાં આ કેસને લઇ કાર્યવાહી ચાલી હતી.જેમાં જ્યંતિ એકલરા તરફે તેમના વકીલ દૈફરાજ હવેવાલા હાજર રહ્યા હતા.આ કેસમાં અશ્વિન ચોવટિયાએ સમાધાન કરી લીધું હોવાની એફિડેવિટ પણ કોર્ટ સમક્ષ રજુ કરાઈ હતી.જે દરમ્યાન તમામ દસ્તવેજો-દલીલોને ધ્યાને લઇ નામદાર હાઇકોર્ટે જયંતિ ઇક્લેરા વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદને ક્વોશ કરવાનો આદેશ આપ્યો છે.જેથી હવે અશ્વિન ચોવટીયા આપઘાત પ્રયાસમાં જયંતિ ઇક્લેરને મોટી રાહત મળી છે.
અંતે અશ્વિન ચોવટિયાએ કરેલી એફીડીવીટનો જયંતિ એકલેરાના વકીલે ઉલ્લેખ કર્યો હતો જેના આધારે સમાધાન થયું હોવાનું ફલિત થતા હાઇકોર્ટે જયંતિ ઇકલેરા વિરુદ્ધ થયેલી ફરિયાદને ક્વોશ કરવાનો આદેશ આપ્યો છે.