ગુજરાતમાં ચૂંટણી ટાણે ફરી એકવાર IAS ઓફિસરોની બદલીઓના ઓર્ડર થયા છે.રાજ્યના 23 આઈએએસ ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે.જેમાં એમ થેન્નારેસન અમદાવાદના નવા મ્યુન્સિપલ કમિશ્નર બન્યા છે.અમદાવાદના કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણુંક કરાઈ છે.આઈએએસ અધિકારી રમેશ મેરજા ભાવનગરના કલેક્ટર બન્યા છે.અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેને ગાંધીનગર મૂકાયા છે.આચાર સંહિતા લાગે એ પહેલાં જ સરકારે બદલીઓના ઓર્ડર કરી અગત્યના અધિકારીઓને સાચવી લીધા છે.
– અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા thenarsan
– અમદાવાદ ના નવા કલેક્ટર તરીકે ધવલ પટેલ..
– રમેશ મેરઝા બન્યા ભાવનગરના કલેક્ટર
રાજ્યમાં ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલીનો સિલસિલો યથાવત છે.પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદથી IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે.પહેલા વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી.જે બાદ અમદાવાદના મ્યુનિ. કમિશનરની ઇસરોમાં બદલી કરી દેવામાં આવી હતી.જે બાદ આજે 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.ચૂંટણી પહેલા બદલીઓનો દોર કોઇ નવી વાત નથી.પરંતુ કોને ક્યાં મુકવામાં આવશે તેને લઇને સામાન્ય લોકોની સાથે ઉચ્ચ અધિકારીઓમાં પણ ઉસ્તુકતા જોવા મળે છે.ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી IAS અધિકારીઓની બદલીની વાતો ચાલી રહી હતી તેના પર આજે આખરી મોહર લાગી ગઈ છે.અમદાવાદના નવા કમિશ્નર તરીકે એમ.થેન્નારસનની નિમણુંક થઈ છે ત્યારે નવા કલેકટર તરીકે ડૉ.ધવલ પટેલની નિમણુંક થઈ છે.જ્યારે રમેશ મેરજા બન્યા ભાવનગરના કલેક્ટર તરીકે તો કચ્છના કલેક્ટર તરીકે દિલીપ રાણાની નિયુક્તી થઈ છે.આ ઉપરાંત ધવલ પટેલના અમદાવાદ જવના કારણે સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર બન્યા છે.આ તરફ જી.ટી.પંડ્યા મોરબીના નવા કલેક્ટર બન્યા તો ડી.એસ.ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણુંક થઈ છે.તેમજ બી.આર.દવેની તાપી-વ્યારાના કલેક્ટર તરીકે બદલી થઈ છે.તાપી કલેકટર તરીકે બી.આર દવે,તો મહીસાગર કલેકટર પદે બી.કે.પંડયા અને લાંબા સમયથી રહેલી ભરુચ ડીડીઓ તરીકે પી.આર.જોશી પહોંચ્યા છે