– ભાજપના ધારાસભ્યએ બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે મુલાકાત કરી, ભાજપના દેવેન્દ્ર ફડણવીસ પણ સુરત આવે તેવી અટકળ
સુરત,તા.21 જુન 2022,મંગળવાર : મહારાષ્ટ્રના બળવાખોર નેતા એકનાથ શિંદે સહિતના બળવાખોર ધારાસભ્ય સુરત આવી પહોંચ્યા હતા. બપોર બાદ સુરતની મહારાષ્ટ્રના ભાજપના એક ધારાસભ્ય ની એન્ટ્રી થતાં સમગ્ર રાજકારણમાં હવે ભાજપ ની એન્ટ્રી થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર સરકાર ના બળવાખોર નેતાઓ સુરતમાં આવ્યા બાદ અનેક અટકળો થતી હતી બળવાખોર નેતાઓ સુરત આવ્યા પાછળ ભાજપનો દોરીસંચાર હોવાનું કહેવાતો હતો.બપોરે મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય ની સુરત એન્ટ્રી થતા હવે શિવસેનાના રાજકારણમાં ભાજપની એન્ટ્રી થઇ ગઇ હોવાનું કહેવાઈ રહ્યું છે.મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય સંજય કૂટે બપોરે આવ્યા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.કૂટેએ તેમની ઓળખાણ આપ્યા બાદ તમામ ચકાસણી પછી તેમને હોટલમાં એન્ટ્રી મળી હતી.ત્યારબાદ એવું કહેવાય રહ્યું છે કે સંજય કુટે એ બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે બેઠક કરી છે.અને મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતાઓ સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી છે.કુટેની સુરત મુલાકાત બાદ એવી અટકળ થઇ રહી છે કે મોડી સાંજે કે રાત્રે દેવેન્દ્ર ફર્નાન્ડીસ પણ સુરત આવે તેવી અટકળ થઇ રહી છે.