BJPના તમામ સાંસદો કોરોના સામે લડવા આપશે 1-1 કરોડ

HM News
1 Min Read

એજન્સી, નવી દિલ્હી

કોરોના વાયરસ સામેની લડાઇમાં દેશે પોતાની બધી તાકાત લગાવી દીધી છે. લોકો પોતાનો પગાર અને જરુરિયાતનો સામાન દાન કરી રહ્યા છે. હવે આ દરમિયાન બીજેપીએ મોટી જાહેરાત કરી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે પાર્ટીના બધા એમએલએ અને સાંસદ પોતાની એક મહિનાની સેલેરી કોરોના વાયરસ સામેની લડાઇમાં દાન આપશે. સાંસદ અને ધારાસભ્ય જરુરિયાતમંદ લોકોની મદદ અને વાયરસને રોકવા કેન્દ્રીય રાહત ફંડમાં દાન આપશે.

જેપી નડ્ડાએ કહ્યું હતું કે બધા ભાજપા સાંસદ કોરોનાને રોકવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોમાં મદદ કરવા માટે પોતાની સાંસદ નિધિમાંથી એક કરોડ રુપિયા કેન્દ્રીય સહાયતા કોષમાં આપશે.

બીજી તરફ પીએમ મોદીએ કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન સેવા આપી રહેલા ડોક્ટર અને નર્સોના વખાણ કર્યા અને તેમને આભાર વ્યક્ત કર્યો હતો, ફોન પર પાંચ મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ સીસ્ટર છાયાને તેમના હાલ-ચાલ પુછ્યા. પ્રધાનમંત્રી મોદીએ સિસ્ટર છાયાને પુછ્યું કે તે પોતાનું ધ્યાન સારી રીતે રાખી રહ્યા છે કે નહીં. સિસ્ટરે તેમને કહ્યું કે, તે પૂરી રીતે સ્વસ્થ્ય છે અને દર્દીઓ સાથે પોતાનું પણ ધ્યાન રાખી રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *