By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BJPની ‘સ્ટ્રાઇક’થી હૈદરાબાદ કોર્પોરેશનનું ગણિત બદલાયું, જાણો હશે શું થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > BJPની ‘સ્ટ્રાઇક’થી હૈદરાબાદ કોર્પોરેશનનું ગણિત બદલાયું, જાણો હશે શું થશે
GeneralNationalPolitics

BJPની ‘સ્ટ્રાઇક’થી હૈદરાબાદ કોર્પોરેશનનું ગણિત બદલાયું, જાણો હશે શું થશે

HM News
Last updated: 05/12/2020 8:29 AM
HM News
5 years ago
Share
SHARE

હૈદરાબાદ : ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)નો જોશ હાઈ છે.પરંતુ પરિણામમાં ટીઆરએસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.સૌથી મોટું નુકસાન પણ ટીઆરએસને થયું છે.તો પોતાની શાખ બચાવવામાં સફળ રહેલા એઆીએમઆઈએમ (AIMIM)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ગદગદ જોવા મળ્યા છે.

મહત્વનું છે કે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 48 સીટ જીતી છે.આ પહેલા 2016ની ચૂંટણીમાં ભાજપના ખાતામાં માત્ર ચાર સીટો આવી હતી.તો ઓવૈસીની પાર્ટીને 44, ટીઆરએસને 56 અને કોંગ્રેસના ખાતામાં માત્ર 2 સીટ આવી છે.

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમત માટે 75 સીટો જરૂરી હતી. પરંતુ કોઈ પાર્ટી આ આંકડા સુધી પહોંચી શકી નથી.તેવામાં માનવામાં આવી રહ્યું છે કે ટીઆરએસ અને AIMIM મળીને પોતાના મેયર બનાવી શકે છે.ટીઆરએસ અને એઆઈએમઆઈએમની કુલ સીટો મળીને 100 થઈ જશે,જે બહુમતના આંકડા કરતા ઘણી વધુ છે.

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો જાહેર થયા બાદ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી.તેમણે પોતાના સંબોધનમાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ પર હુમલો કર્યો હતો.આ સાથે તેમણે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી લડવાની વાત પણ કરી છે.

એઆઈએમઆઈએમની જીત પર ખુશી વ્યક્ત કરતા ઓવૈસીએ કહ્યુ,કોવિડ છતાં જેણે પોતાના મતનો ઉપયોગ કર્યો,તેને ધન્યવાદ આપુ છું.લોકોની વચ્ચે રહેવું અમારી સફળતાનું સૌથી મોટું કારણ છે.અમારા કોર્પોરેટર શનિવારથી કામ કરવાનું શરૂ કરી દેશે. મેયર અને ડેપ્યુટી મેયર પર અમે કોર્પોરેટરો સાથે વાત કરી નિર્ણય કરીશું.

અસદુદ્દીન ઓવૈસીએ આગળ કહ્યું કે, GHMC Elections 2020માં અમારી પાર્ટીએ 44 સીટો જીતી. આ અમારી સૌથી સારી સ્ટ્રાઇક રેટ છે.તેલંગણાની 2023 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સફળતા મળશે નહીં.સીએમ યોગી વધુ એક્ટિંગ ન કરે.શું થયું સર્જિકલ સ્ટ્રાઇક કરવાની વાત કરી હતી.અહીં તો ડેમોક્રેટિક સ્ટ્રાઇક થઈ ગઈ.જ્યાં ગૃહમંત્રી અને યોગી ગયા ત્યાં અમે જીતી ગયા.

દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણી લડવા પર ઓવૈસીએ કહ્યુ કે,અમે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણી લડીશું.આ સાથે કહ્યું કે,કેરલ અને અસમમાં અમે જશું નહીં.

ભિવંડીમાં સ્કૂલની બહાર વિરોધ-પ્રદર્શન દરમિયાન પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર
ડર્ટી પોલિટિક્સ : ટિકિટોની વહેંચણી બાદ ભાજપ, કોંગ્રેસ, આપ, BTP તમામ પક્ષોમાં ડખા
જાણો, ભારતના એક માત્ર જવાન વિશે જેણે એરફોર્સ, આર્મી અને નેવી એમ ત્રણેય પાંખમાં ફરજ બજાવેલી,
ભાજપના વોર્ડ પ્રમુખને જાહેરમાં જન્મદિવ દિવસ મનાવવો પડ્યો ભારે ,પોલીસે કાયદાનું કરાવ્યું ભાન
ભાજપ સામે બાંયો ચડાવનારાનું ભાજપમાં ‘હાર્દિક’ સ્વાગત
Share This Article
Facebook Email Print
Previous Article આ હિન્દુ ગદ્દાર છે.ખેડૂત આંદોલનમાં પહોંચેલા યુવીના પિતાના ભડકાઉ નિવેદનથી વિવાદ
Next Article મુસ્લિમોને એકથી વધુ લગ્ન કરતા અટકાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up