By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BJPમાં ફફડાટ : સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > BJPમાં ફફડાટ : સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે
GeneralNationalPolitics

BJPમાં ફફડાટ : સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

HM News
Last updated: 22/09/2021 6:55 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાત અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ બદલ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી તમામ ચૂંટણીવાળા રાજ્યોમાં સત્તા વિરોધી લહેરને સાધવા માટે હાલના ધારાસભ્યોમાં ઓછામાં ઓછા અડધા નેતાઓને ઘરે બેસાડવાની ફિરાકમાં છે.આ વાતની જાણકારી પાર્ટીના અમુક પદાધિકારીઓ આપી છે.ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ચાલુ ધારાસભ્યોમાંથી 15-20 ટકા ધારાસભ્યોને હટાવ્યા હતા.જો કે, આશા છે કે આ વખતે આ આંકડો તેનાથી પણ વધારે હોઈ શકે છે.

પાર્ટીના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યુ હતું કે, તેનું એક એવુ પણ કારણ છે કે, પાર્ટીના કેટલાય મુદ્દાઓેને લઈને જનતામાં નારાજગી છે. 2022માં પંજાબ,મણિપુર,ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશ,ગોવા,ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.એક ભાજપના કાર્યકર્તાએ જણાવ્યુ હતું કે, ધારાસભ્યોને છેલ્લા પાંચમાં કરાયેલા કામોનો રિપોર્ટ કાર્ડ આપવાનું કહેવામાં આવ્યુ છે.જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોના કામથી હાઈકમાન્ડ ખુશ નથી.પાર્ટીએ કહ્યુ છે કે, જે ધારાસભ્યોનું પ્રદર્શન સારૂ નથી,તેમને હટાવામાં આવશે.અને આગળના લોકોને જગ્યા આપવામાં આવશે.

ધારાસભ્યોના પ્રદર્શન મામલે મૂલ્યાંકન કરવા કેટલાય પેરામીટર્સના આધારે કરવામાં આવશે.જેમાં 1- સ્થાનિક લોકોના વિકાસ માટે આપવામાં આવેલા ફંડનો ઉપયોગ કેવો કર્યો. 2- હાંસિયામાં ધકેલાયેલા લોકોને સશક્ત બનાવવા માટે કેટલા પ્રોજેક્ટ કર્યા,આ લોકોને કેટલો ફાયદો થયો. 3- સેવા એજ સંગઠન કાર્યક્રમમાં ધારાસભ્યએ શું યોગદાન આપ્યું.આટલા મુદ્દા શામેલ છે.હાઈકમાન્ડે એવી દરેક જગ્યાએ સર્વે કરાવ્યો જ્યાં લોકોમાં નારાજગી હતી.

સત્તા વિરોધી લહેરની ટક્કર કરવી ભાજપ માટે મોટી ચિંતા

કાર્યકર્તાએ જણાવ્યુ હતું કે, કોરોનાના કારણે સરકારો સામે મોટી ચિંતા આવી છે.જ્યાં સરકારે હેલ્થ ઈંફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા,કોરોના વેક્સિનેશન નક્કી કરવા અને મેડિકલ સપ્લાઈને રોકવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે.પાર્ટીએ રાહત કાર્યોનું આયોજન કર્યા,જેપી નડ્ડાએ પણ આ અંગે દરેક બૂથ લેવલે કાર્ય કરવા આદેશ આપ્યા હતા.

સત્તા વિરોધી લહેરને ટક્કર આપવી ભારતીય જનતા પાર્ટી એક સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે.આ જ કારણ છે કે કેન્દ્રીય નેતૃત્વે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલવાનો નિર્ણય કર્યો,રાજ્યમાં પાર્ટી કેડરને ફરીથી મજબૂત કરવા માટે નવા મંત્રીમંત્રડળની રચના કરી, જે 2022ના અંતમાં ચૂંટણીમાં કામ આવી શકે.

કરાંચી એરપોર્ટ પર દાઉદનો કન્ટ્રોલ સંબંધીઓના પાસપોર્ટ પર સ્ટેમ્પિંગ નહીં
સૌ સાથે મળીને કોરોના સામે વિજય મેળવીશું જ : મુખ્યમંત્રી વિજય રૂપાણી
પેટ્રોલ પંપ માત્ર ૮ થી ૪ નહિ, પૂરો સમય ખુલ્લા રહેશે
ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? તેના જવાબમાં બાળકે લખ્યું ‘બાહુબલી’ .શિક્ષકે પૂર્ણ માકર્સ આપ્યા,જાણો કારણ
ડાંગમાં એક મહીના બાદ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ સતર્ક
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં નવમું પાસ યુવાને આપઘાતનું ટ્વીટ કરતા ખળભળાટ, શહેર અને પોલીસને દોડાવી
Next Article ભડકાઉ ભાઈજાન અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત ઘર પર હુમલો, હત્યાની અપાઇ ધમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up