ગુજરાત અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ બદલ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી તમામ ચૂંટણીવાળા રાજ્યોમાં સત્તા વિરોધી લહેરને સાધવા માટે હાલના ધારાસભ્યોમાં ઓછામાં ઓછા અડધા નેતાઓને ઘરે બેસાડવાની ફિરાકમાં છે.આ વાતની જાણકારી પાર્ટીના અમુક પદાધિકારીઓ આપી છે.ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ચાલુ ધારાસભ્યોમાંથી 15-20 ટકા ધારાસભ્યોને હટાવ્યા હતા.જો કે, આશા છે કે આ વખતે આ આંકડો તેનાથી પણ વધારે હોઈ શકે છે.
પાર્ટીના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યુ હતું કે, તેનું એક એવુ પણ કારણ છે કે, પાર્ટીના કેટલાય મુદ્દાઓેને લઈને જનતામાં નારાજગી છે. 2022માં પંજાબ,મણિપુર,ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશ,ગોવા,ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.એક ભાજપના કાર્યકર્તાએ જણાવ્યુ હતું કે, ધારાસભ્યોને છેલ્લા પાંચમાં કરાયેલા કામોનો રિપોર્ટ કાર્ડ આપવાનું કહેવામાં આવ્યુ છે.જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોના કામથી હાઈકમાન્ડ ખુશ નથી.પાર્ટીએ કહ્યુ છે કે, જે ધારાસભ્યોનું પ્રદર્શન સારૂ નથી,તેમને હટાવામાં આવશે.અને આગળના લોકોને જગ્યા આપવામાં આવશે.
ધારાસભ્યોના પ્રદર્શન મામલે મૂલ્યાંકન કરવા કેટલાય પેરામીટર્સના આધારે કરવામાં આવશે.જેમાં 1- સ્થાનિક લોકોના વિકાસ માટે આપવામાં આવેલા ફંડનો ઉપયોગ કેવો કર્યો. 2- હાંસિયામાં ધકેલાયેલા લોકોને સશક્ત બનાવવા માટે કેટલા પ્રોજેક્ટ કર્યા,આ લોકોને કેટલો ફાયદો થયો. 3- સેવા એજ સંગઠન કાર્યક્રમમાં ધારાસભ્યએ શું યોગદાન આપ્યું.આટલા મુદ્દા શામેલ છે.હાઈકમાન્ડે એવી દરેક જગ્યાએ સર્વે કરાવ્યો જ્યાં લોકોમાં નારાજગી હતી.
સત્તા વિરોધી લહેરની ટક્કર કરવી ભાજપ માટે મોટી ચિંતા
કાર્યકર્તાએ જણાવ્યુ હતું કે, કોરોનાના કારણે સરકારો સામે મોટી ચિંતા આવી છે.જ્યાં સરકારે હેલ્થ ઈંફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા,કોરોના વેક્સિનેશન નક્કી કરવા અને મેડિકલ સપ્લાઈને રોકવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે.પાર્ટીએ રાહત કાર્યોનું આયોજન કર્યા,જેપી નડ્ડાએ પણ આ અંગે દરેક બૂથ લેવલે કાર્ય કરવા આદેશ આપ્યા હતા.
સત્તા વિરોધી લહેરને ટક્કર આપવી ભારતીય જનતા પાર્ટી એક સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે.આ જ કારણ છે કે કેન્દ્રીય નેતૃત્વે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલવાનો નિર્ણય કર્યો,રાજ્યમાં પાર્ટી કેડરને ફરીથી મજબૂત કરવા માટે નવા મંત્રીમંત્રડળની રચના કરી, જે 2022ના અંતમાં ચૂંટણીમાં કામ આવી શકે.