By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CAA એક વાસ્તવિકતા, TMC કશું નહીં કરી શકે, મહામારીના અંત બાદ થશે લાગુ : અમિતભાઇ શાહ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > CAA એક વાસ્તવિકતા, TMC કશું નહીં કરી શકે, મહામારીના અંત બાદ થશે લાગુ : અમિતભાઇ શાહ
GeneralNational

CAA એક વાસ્તવિકતા, TMC કશું નહીં કરી શકે, મહામારીના અંત બાદ થશે લાગુ : અમિતભાઇ શાહ

HM News
Last updated: 06/05/2022 9:23 AM
HM News
3 years ago
Share
SHARE

– હું નથી ઈચ્છતી કે કોઈના નાગરકિતા અધિકારોને કોઈ નુકસાન પહોંચે : મમતા બેનર્જી

સિલિગુડી, તા. 06 મે 2022, શુક્રવાર : પશ્ચિમ બંગાળના 2 દિવસીય પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) લાગુ કરવા મામલે ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે.અમિત શાહે જણાવ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો એ એક વાસ્તવિકતા છે અને તૃણમૂલ કોંગ્રેસ તે માટે કશું જ નહીં કરી શકે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દિલ્હીના શાહીનબાગ સહિત દેશના વિભિન્ન ક્ષેત્રોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા.વર્ષ 2019ના અંત અને 2020ની શરૂઆતમાં CAA મુદ્દે વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા.

પશ્ચિમ બંગાળના સિલિગુડી ખાતે પોતાના સંબોધન દરમિયાન અમિત શાહે જણાવ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ એવી અફવા ફેલાવી રહી છે કે, નાગરિકતાનો કાયદો કદી ધરાતલ પર નહીં ઉતરે પરંતુ હું તેમને કહવા ઈચ્છું છું કે, અમે CAA લાગુ કરીશું. જ્યારે કોવિડ મહામારીનો અંત આવશે ત્યારે CAA લાગુ કરવામાં આવશે. મમતા દીદી ઘૂસણખોરી ઈચ્છે છે પરંતુ CAA એક વાસ્તવિકતા છે જેને અમલમાં લાવવામાં આવશે. જેટલી ઝડપથી કોરોના મહામારીનો અંત આવશે અમે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરીશું.

મમતા બેનર્જીની પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ જ એમની યોજના છે, તેઓ સંસદમાં બિલ શા માટે નથી લાવી રહ્યા, તેઓ 2024માં સત્તામાં પાછા નહીં આવે તે હું તમને જણાવી દેવા માગું છું.હું નથી ઈચ્છતી કે કોઈના નાગરિકતાના અધિકારોને કોઈ નુકસાન પહોંચે.આપણી એકતા જ આપણી તાકાત છે.તેઓ એક વર્ષ બાદ અહીં આવ્યા છે. દર વખતે આવે છે અને આવી ફાલતુ વાતો કરે છે.’

સરકાર સામે બંડ : કોળી સમાજને વાવાઝોડાની સહાયના મુદ્દે મંત્રી સોલંકીએ કહ્યુ – ‘મારે મંત્રી ન રહેવું જોઈએ, વટથી રાજીનામું આપવું જોઈએ’
શાહરૂખ ખાનના ઘરે NCBનું સર્ચ ઓપરેશન ચાલુ, અભિનેત્રી અનન્યા પાંડેને પણ સમન
સાંસદ દર્શના જરદોશની ભલામણથી સુરતના 4 દર્દીઓને PM રાહત ફંડમાંથી 8.25 લાખની સહાય ચૂકવાઈ
લાલ કિલ્લા કેસના આરોપી દીપ સિદ્ધુના મૃત્યુ અંગે NRI મિત્રએ આપ્યું આવું કારણ
રાજકારણના સમીકરણ બદલાયા : રાવપુરાના ઉમેદવાર પૂર્વ મંત્રીને મળ્યા
Share This Article
Facebook Email Print
Previous Article મનસુખ હિરેનની હત્યા કરવા વાઝેએ ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને 45 લાખ ચુકવ્યા હોવાનો ઘટસ્ફોટ
Next Article એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં મોટી ધાંધલીની આક્ષેપ : 7 સ્કીમના ફંડ મેનેજર્સની હકાલપટ્ટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up