અમદાવાદ :ચીનમાંથી ફેલાયેલ કોરોના વાયરસને પગલે વિશ્વભરમાં ચીનનો વિરોધ થયો છે.આવામાં ભારતમાં પણ ચીનની બનાવટની વસ્તુઓનો બહિષ્કા કરવાની માંગ ઉઠી હતી.તેમજ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવા પર ભાવ મૂકાયો છે.આવામાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે ચાઈનીસ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે માસ્ક અને ચાના કપ બનાવ્યા છે. ચીનના ભારત વિરોધી વલણને જોતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આ પગલું લીધું છે. ‘ભારતીય ચીજો અમારું ગૌરવ’ ટાઈટલ હેઠળ સ્વદેશી અભિયાન શરૂ કરાયું છે.આ અભિયાનમાં ૪૦ હજારથી વધુ વેપારી સંસ્થાઓ અને ૭ કરોડથી વધુ વેપારીઓ જોડાશે.
આ અભિયાનનો ઉદ્દેશ આયાતમાં ઘટાડો કરવાનો છે.વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર યોજનાને સફળ બનાવવા માટે ચીનથી આયાત થતી ૩૦૦૦ વસ્તુઓની યાદી બનાવી તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો છે.
ચાઇનાથી ફિનીષ્ડ માલ, કાચો માલ, સ્પેરપાર્ટસ અને તકનિકી ઉત્પાદન મળી ચાર પ્રકારની વસ્તુઓનું લિસ્ટ બનાવાયું છે.આયાત સીઆઇએટીએ પહેલા તબક્કામાં તૈયાર માલનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001 માં ચીનની ચીજોની આયાત 2 અબજ ડોલર હતી, જે વધીને ૭૦ અબજ ડોલરની થઇ છે. 20 વર્ષમાં ચીનની આયાત ૩૫૦૦ ટકા વધી છે.સીઆઇએટીના ચીનની ચીજોના બહિષ્કારના અભિયાને સફળતા મળવા લાગી અને આયાત ઘટી વર્ષ 2018માં આયાત 76 અબજ ડોલર હતી, જે વર્ષ 2020 માં 70 અબજ ડોલર છે