[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Gandhinagar

ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ વનપાલ સ્મારકનું લોકાર્પણ, જાણો શું છે વિશેષતા?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન ચેતના કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ વનપાલ સ્મારકનું લોકાર્પણ કર્યુ છે.વન અને વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન દરમિયાન શહીદ થયેલા ગુજરાતના આઠ જેટલા વન શહીદોને મુખ્યમંત્રી અને વન મંત્રી સહિતના મહાનુભાવોએ ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના ફ્રન્ટલાઈન સ્ટાફ જેવા કે, વનરક્ષક,વનપાલ,પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય અધિકારીઓના માનમાં વર્ષ 2013થી દર વર્ષે 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વન વિભાગના ફ્રન્ટલાઇન સ્ટાફ પોતાના જીવની પરવા
Read more

ગુજરાત પોલીસના જવાનો માટે મહત્વના સમાચાર

– ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે એમઓયુ થયા – સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે – પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો મળશે ગુજરાત પોલીસના જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે એમઓયુ થયા છે.તેમાં સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે.જેમાં પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો મળશે.તથા સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂપિયા 80 લાખ થી 1 કરોડનો વિમો મળશે.તેમજ એમ્બ્યુલન્સ,દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળશે. સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે ગુજરાત પોલીસના અનેક પ્રશ્નો એકસાથે સોલ્વ થઈ ગયા અને પોલીસ જવાનોના પરિવાર માટે
Read more

કંઈક નવાજૂનીના એંધાણ : અમિતભાઈ શાહ ગુજરાતમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરશે ગુપ્ત બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિતભાઈ શાહ સોમવારે ગુજરાતની મુલાકાતે છે.વેસ્ટ ઝોન કાઉન્સિલની ગાંધીનગર ખાતે સોમવારે અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક મળશે.જેમાં ગુજરાત,મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.ગાંધીનગરમાં મળનારી મહત્વની બેઠકમાં ત્રણેય રાજ્યો વચ્ચે વહીવટી કામ અને અન્ય મહત્વના પ્રોજેક્ટનું સંકલન થશે.મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે,ગોવાના CM પ્રમોદ સાવંત તેમજ મહારાષ્ટ્રના બંને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે.વર્ષમાં એકાદ બે વખત મળતી મહત્વની બેઠક આ વખતે ગુજરાતમાં મળશે.ત્યારે હવે રાજકારણમાં નવાજૂની થાય તેવા સંકેત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી ગુજરાતના પ્રવાસે છે,તેઓ આવતીકાલે 3 રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે.ગાંધીનગર ખાતે આ ખાસ બેઠક યોજાનારી છે.જેમાં તેઓ
Read more

હવે રાજનેતાઓની તમામ માહિતી સીધી ગાંધીનગરના દરબારમાં પહોંચશે : અધિકારીઓ મોકલશે ગુપ્ત રિપોર્ટ !

ગાંધીનગર : લોકસભાની ચૂંટણી આવતા જ રાજકીય પક્ષો એક્વિટ થયા છે.ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના નેતાઓને પ્રજાઓની વચ્ચે જવા અને તેમની મદદ માટેની સૂચના આપી છે.ત્યારે આ વચ્ચે રાજ્ય સરકાર એક્ટિવ બની છે.ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવુ કામ કરે છે, કામ કરે છે કે નથી કરતા તે ચેક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જેમાં નેતાઓની વોચ રાખવામાં આવશે.આ તમામ માહિતી ગુપ્ત રીતે ગાંધીનગર પહોંચાડવામાં આવી રહી છે. હજુ ચાર પાંચ દિવસ પહેલાં જ ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કરેલો કે તમામ અધિકારીઓએ ચૂંટાયેલાં જનપ્રતિનિધિ (ધારાસભ્ય,સાંસદ,જિલ્લા કે તાલુકા પંચાયત પ્રમુખો,નગરપાલિકા પ્રમુખો વગેરે વગેરે)ના ફોન નંબર સેવ
Read more

રાજ્ય સરકારે રક્ષાબંધનની રજા બાબતે પરિપત્ર કર્યો જાહેર, તમામ સરકારી કચેરીઓ રહેશે બંધ

– સરકારે 30મી ઓગસ્ટે રજા જાહેર કરી – તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધનને દિવસે રહેશે બંધ દરેક ભાઈ બહેન જે તહેવારની રાહ જોઈને બેઠા હોય એ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીક આવી રહ્યો છે.રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈનાં હાથે રક્ષા કરવા કે કરાવવા માટે દોરો બાંધે છે.આ પર્વ શ્રાવણ શુક્લ પૂર્ણિમાનાં ઊજવવામાં આવે છે. 2023 એટલે કે આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવશે.ત્યારે આ વખતે રાજ્ય સરકારે રક્ષાબંધનનાં દિવસે રજા જાહેર કરી છે.જેથી 30 મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા રક્ષાબંધનની રજા જાહેર કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર,શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર
Read more

ગુજરાત ભાજપમાં પત્રિકાકાંડે માથું ઉંચકતા દિલ્હીમાં હલચલ તેજ થઇ !

ગુજરાત ભાજપમાં મોટાપાયે આંતરિક ડખા ચાલી રહ્યા છે.પત્રિકાકાંડથી લઈને રાજીનામા સુધીના કિસ્સાઓને કારણે દિલ્હીમાં ચર્ચા થઈ રહી છે.કમલમમાં જ મોટા ડખા હોવાનું ચર્ચાય છે.ત્યારે પહેલા ભાર્ગવ ભટ્ટ અને હવે પ્રદીપસિંહ વાઘેલાને કારણે ગુજરાત ભાજપમાં ડખા છે.આ કારણે હવે દિલ્હીથી બુલાવો આવ્યો છે.રાજીનામાઓ બાદ હવે નવી નિયુક્તિ થાય તેવી શક્યતાઓ છે.ભાજપના મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા છે.ભાજપ સંગઠનમાં મોટાપાયે ફેરફાર થાય તેવુ લાગી રહ્યું છે. ભાજપમાંથી બે દિગ્ગજ નેતાઓના રાજીનામા પડ્યા છે.ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ જિલ્લા-મહાનગરોમાં જે રીતે પત્રિકાકાંડે માથુ ઉંચક્યું છે, તે જોતા હવે દિલ્હીમાં હલચલ થઈ છે.હાઈકમાન્ડે પ્રદેશ ભાજપ સંગઠનના સાંપ્રત પ્રવાહોથી વાકેફ કરીને ખાલી પડેલા પદો
Read more

પત્રિકાકાંડ : ભાજપ હાઇકમાન્ડે કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો : બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નાંખ્યા !

ગુજરાતના પત્રિકાકાંડનો રેલો ગુજરાતના 5 મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યો સુધી પહોંચ્યો છે.જેઓ પર ભાજપના એક સમયે ચાર હાથ અને ગુજરાત ભાજપનો ચહેરો હતા પણ પાટીલના સૂર્યોદય બાદ આ લોકો અંધકારમાં ધકેલાઈ જતાં એક સમયે ગાંધીનગરમાં મંત્રી ક્વાટર્સમાં મળેલી બેઠકમાં પાટીલ જૂથને પૂરું કરી દેવા ખેલાયેલા ખેલનો ખુલાસો થઈ ગયો છે.આમ છતાં એ હકિકત છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય.ભાજપે લાંબાગાળાનો ખેલ પાડ્યો છે અને બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નખાયા છે. દરેક પોલ ખૂલે એ માટે ભાજપ તૈયાર નથી આ પ્રકરણમાં સીધી નજર રાખતા સીએમઓ અને પીએમઓ તમામ બાબતોને ભૂપેન્દ્ર પટેલ, દિલ્હી હાઈકમાન્ડ અને પાટીલ સુધી
Read more

ગુજરાતમાં ભાજપની બાદશાહત પણ આ પરિણામોએ વધાર્યું ટેન્શન !

ગુજરાતમાં ભાજપે ફરી એકવાર 18 નગરપાલિકા અને એક મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણીમાં જીત મેળવી છે અને પોતાની બાદશાહત સાબિત કરી દીધી છે પણ આ પરિણામો ભાજપ માટે એલર્ટ પણ છે.પ્રતિષ્ઠિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સીટ ભાજપે જીતી હતી અને આમ આદમી પાર્ટીની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.18 નગરપાલિકાની 29 બેઠકો અને મહાનગરપાલિકાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી.આમાં ભાજપે કુલ 30માંથી 21 બેઠકો જીતી છે.આ ચૂંટણીઓમાં કોંગ્રેસને 8 બેઠકો મળી છે,જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી શકી નથી.આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખૂલ્યું નથી.ચૂંટણી
Read more

CM ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટની જાહેરાત કરી

ખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટની જાહેરાત કરી છે.મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષ રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા ૧૨ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.
Read more

સરકારનો ઐતિહાસિક નિર્ણય : 130 જેટલા ગામોના ખેડૂતોને અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે

ગાંધીનગર : કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર,મુન્દ્રા,માંડવી,ભુજ,નખત્રાણા,લખપત,અબડાસા અને રાપરના 130 જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે.તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી,ઉદ્યોગો,પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે માટે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત આગળ વધારી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન બહુહેતુક નર્મદામૈયાના પૂરના વહી જતા વધારાના ૩ મિલીયન એકર ફિટ પાણીમાંથી ૧ મિલીયન એકર ફિટ સૌરાષ્ટ્રને, ૧ મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને ૧ મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી
Read more
1 2 3 4 75

Most Read