
ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ વનપાલ સ્મારકનું લોકાર્પણ, જાણો શું છે વિશેષતા?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન ચેતના કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ વનપાલ સ્મારકનું લોકાર્પણ કર્યુ છે.વન અને વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન દરમિયાન શહીદ થયેલા ગુજરાતના આઠ જેટલા વન શહીદોને મુખ્યમંત્રી અને વન મંત્રી સહિતના મહાનુભાવોએ ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના ફ્રન્ટલાઈન સ્ટાફ જેવા કે, વનરક્ષક,વનપાલ,પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય અધિકારીઓના માનમાં વર્ષ 2013થી દર વર્ષે 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વન વિભાગના ફ્રન્ટલાઇન સ્ટાફ પોતાના જીવની પરવા
Read more