[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Gandhinagar

ગુજરાત ભાજપમાં પેમ્ફલેટ વૉર : CR પાટિલ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

– ભાજપમાં શરુ થયુ પેમ્ફલેટ વોર, પાટિલને બદનામ કરવા કાવતરું – પૂર્વ પાંચ મંત્રી આ કાવતરામાં સામેલ હોવાની શંકા વધી ગઈ – પોર્ટફોલિયોની ફાળવણીમાં પાટિલે રુપિયા લીધા હોવાનો આરોપ ગુજરાત ભાજપમાં પેમ્ફલેટ વોર કે જેણે રાજકીય વર્તુળોમાં હાહાકાર મચાવી દીધો છે.જે એક મોટા વિવાદમાં બદલાય એવું લાગી રહ્યું છે કે, કારણ કે આ પાછળ પાંચ પૂર્વ મંત્રીઓનો હાથ હોય એવી આશંકા છે.ભાજપના પ્રેસિડન્ટ સીઆર પાટીલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેમને બદનામ કરનારા આ પેમ્ફલેટ સૌથી પહેલાં સુરતમાં વહેંચવામાં આવ્યા હતા.જે બાદ સ્થાનિક પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.આ માનહાનિ સામગ્રીને એક પત્ર અને એક પેનડ્રાઈવમાં તરીકે એક લિફાફામાં પેક કરવામાં
Read more

રાજ્યના 20 GAS કેડરના અધિકારીઓને અપાઈ બઢતી

– વિવિધ ડેપ્યુટી કમિશ્નર, રેસિડેન્ટ એડિશનલ કલેકટર, એડિશનલ ડાયરેક્ટર, ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ – રાજ્યમાં હાલ બઢતી બદલીનો દોર ચાલી રહ્યો છે રાજ્યમાં હાલ બઢતી બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ છે જેમાં વિવિધ ડેપ્યુટી કમિશ્નર,રેસિડેન્ટ એડિશનલ કલેકટર,એડિશનલ ડાયરેક્ટર,ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને બઢતી અપાઈ રાજ્યમાં GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ છે જેમાં અધિકારી એ.જે.ગામીત,એસ.કે.પટેલ,એન.એફ.ચૌધરી,એચ.પી.પટેલ,જે.કે.જાદવ,ડી.કે.પંડ્યા,ડી.કે.બ્રહ્મભટ્ટ,એમ.પી.પંડ્યા,આર.વી.વાળા.આર.વી.વ્યાસ,એન.ડી.પરમાર. આર.એન.કુચારા,આર.પી.પટેલ,સી.બી.ગણાત્રા,સી.એ.ગાંધી,બી.એન.પટેલ,એ.કે.જોષી.કે.એસ.ઝાલા,વી.કે.જાદવ,વી.જી.પટેલને બઢતી અપાઇ છે.
Read more

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે : નવાજૂનીનાં એંધાણ !

– કચ્છના કંડલામાં અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધશે – શનિવારે તેઓ કચ્છમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરશે – કડંલા ખાતે ઈફ્કોના નેનો ફર્ટિલાઈઝર પ્લાન્ટનુ ઉદ્દઘાટન કરશે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.જેમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ શનિવારે કચ્છમાં અને રવિવારે અમદાવાદ-ગાંધીનગરમાં આવશે.તેમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ગુજરાતનો પ્રવાસ આરંભશે.તથા કચ્છના કંડલામાં અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધશે. શનિવારે તેઓ કચ્છમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરશે શુક્રવારે લોકસભાનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.શનિવારે તેઓ કચ્છમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ભારત-પાકિસ્તાન સરદહે નિરીક્ષણ કરશે.રવિવારે તેઓ સંસદિય મતક્ષેત્રમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસના
Read more

આણંદ કલેક્ટર IAS ડી.એસ ગઢવીનો સેક્સ વિડિઓ વાઇરલ થતા તાત્કાલિક સસ્પેન્ડ કરાયા

આણંદના કલેક્ટર DS ગઢવી ને તાત્કાલીક અસર થી સસ્પેન્સ કરવામા આવ્યા છે.અને આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓને સોપાયો છે.કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.ક્લીપ વિવાદમાં તેમને સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાનું કહેવામા આવી રહ્યું છે.આમ કલેક્ટર કચેરીમાં બહાર આવેલું વીડિયો ક્લિપિંગ તેમને નડી ગયું હોવાનું કહેવામા આવી રહ્યું છે. આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીને તાત્કાલિક સસ્પેન્ડ કરાતા હળકંપ પ્રાપ્ત જાણકારી મુજબ ડી.એસ ગઢવી પોતાની જ ચેમ્બરમાં ભારતના રાજચિહ્નોની સામે મહિલા સાથે અધમ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.રિટાયર્ડમેન્ટના આરે પહોંચેલા IAS ડી.એસ ગઢવીએ કલેક્ટર ચેમ્બરમાં જ મહિલા કર્મચારી સાથે ‘અવર્ણનીય કૃત્ય’ આચર્યા અંગે અહેવાલ પ્રસિધ્ધ થયો
Read more

આનંદીબેન, રૂપાણી બાદ હવે કોનો વારો, વાઘેલા બાદ કોઈ મોટો ખેલ પડશે !

ગુજરાત ભાજપમાં ફરી એકવાર આંતરિક સ્તરે ટાંટિયાખેંચમાં રાજકારણ ગરમાયું છે.ભ્રષ્ટાચાર પર પીએમ નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સ પોલિસી પર સવાલો ઉઠી રહ્યા છે.જે રીતે રાજકારણીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું રાજ્યમાં ફરી કંઇક મોટું થવાનું છે? ભાજપમાં હાલમં ભૂકંપ જેવો માહોલ છે કયા સમયે કોની વિકેટ પડશે એના અનુમાનથી નેતાઓ ફફડી રહ્યાં છે.ભાજપ માટે હંમેશાં ઓગસ્ટ- સપ્ટેમ્બર ભારે રહે છે.આનંદીબેન અને રૂપાણીએ પણ આ મહિનામાં ખુરશી છોડી હતી.હવે વાઘેલાના રાજીનામા બાદ હવે સવાલો ઉટી રહ્યાં છે કે શું ભાજપનો ભૂતકાળ રીપિટ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત બાદ ગુજરાત ભાજપ લોકસભાની
Read more

ગુજરાત ભાજપમાં CR પાટીલના બે સભ્યો અડધી મેચે આઉટ, શું ભાજપ ઉતારશે નવા ખેલાડીઓ ?

ગાંધીનગર : ગુજરાતમાં કોંગ્રેસના બદલે હાલમાં આંતરિક જૂથવાદમાં ભાજપ ચર્ચામાં છે.ભાજપના સૌથી શક્તિશાળી પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને ભાજપની અંદરો અંદરની ટાંટિયાખેંચ પણ જાહેર થઈ છે.આગામી દિવસોમાં ભાજપમાં વધુ કેટલાક રાજીનામા જોવા મળી શકે છે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.પ્રદેશ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રદિપસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે આગામી દિવસોમાં બધુ બરાબર થઈ જશે. 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી સમયે ભાજપમાં અચાનક રાજીનામાથી પાયાના કાર્યકરો હેરાન છે.હવે જોવાનું એ રહેશે કે પાર્ટી આંતરિક પડકારોને પાર કરીને કેવી રીતે આગળ વધે છે.રાજ્ય ભાજપમાં કુલ પાંચ મહામંત્રીઓ હતા. તેમાંથી રત્નાકર સંસ્થાના જનરલ
Read more

વારા પછી વારો! પ્રદીપસિંહની બદનામીના છાંટા કોંગ્રેસીઓ પર પણ ઉડશે, રાહ જુઓ આવી રહ્યો છે રેલો

ગાંધીનગર : ગુજરાતના પત્રિકાકાંડમાં સી આર પાટીલના જમણા હાથ સમાન પ્રદીપસિંહ વાઘેલાએ ભલે અડધી મેચે મેદાન છોડી દીધું છે પણ રાજકારણની ગેમમાંથી આઉટ થયા નથી.પ્રદીપસિંહે ભાજપ પર છાંટા ન ઉડે એ માટે પાટીલના કહેવાથી રાજીનામું આપ્યું છે પણ તેઓ ફરી સક્રિય થઈ ગયા છે.આ પ્રકરણના છાંટા ભલે હાલમાં ભાજપના મોટા માથાઓ સુધી ઉડી રહ્યાં હોય પણ આ કેસમાં અમે મોટો ખુલાસો કરી રહ્યાં છે.આ કેસમાં પોલીસ અત્યંત ઝીણવટભરી તપાસ કરી રહી છે જેમાં રેલો કોંગ્રેસ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં…કારણ કે પ્રદીપસિંહ વાઘેલાએ કમલમમાંથી એન્ટ્રી લીધા બાદ ભલે કોલેજ કાળનું રાજકારણ ન છોડ્યું હોય પણ કોંગ્રેસના નેતાઓથી પણ કોલેજનું
Read more

CR પાટીલ પાસે 8 કરોડની ખંડણી માંગનાર અમદાવાદના યુવક સામે વધુ એક ગુનો નોંધાયો

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલને બદનામ કરવા માટે વિવિધ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યાં છે.ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને બદનામ કરનાર શખ્સ મોરબીની હોટલોમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને ખોટું નામ ધારણ કરીને રોકાયો હોવાનું સામે આવ્યું હતું.જેથી કરીને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને બદનામ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીની સામે મોરબીમાં પણ એક ગુનો નોંધાયો હતો જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે જેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતું કે, મૂળ રાજકોટના સરધાર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં
Read more

કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે રૂ.10,000 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી

ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે.વર્ષ 2015-16 થી અત્યારસુધીમાં કુદરતી આફતોમાં અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને ચૂકવાયેલી સહાયની રકમનો આંકડો આ વાતનો પુરાવો છે.ગુજરાત સરકારના કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત સરકારે વર્ષ 2015-16 થી લઈને વર્ષ 2023-24 સુધીમાં કુદરતી આફતમાં થયેલા પાક નુકશાનીમાં રાહત આપવા 88.76 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. 10,532 કરોડથી વધુ રકમની આર્થિક સહાય ચૂકવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કાર્યરત છે,પણ કમનસીબે અનેકવાર અતિવૃષ્ટી,અનાવૃષ્ટી,વાવાઝોડું કે માવઠા જેવા કુદરતી પરિબળોના કારણે કિસાનોએ વ્યાપક પ્રમાણમાં પાક-નુકશાની સહન કરવી પડી છે.જો કે, આવા કપરા સંજોગોમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર ખેડૂતોની
Read more

ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ જમીનની ખંડણીથી માંડીને રાજકીય જાસૂસીમાં વ્યસ્ત, પૈસા ફેંકો- તમાશા દેખો જેવો ઘાટ

ગુજરાતમાં હવે ખાખી વર્દી શંકાના ઘેરામાં છે.કાયદો વ્યવસ્થા ચિથરેહાલ સ્થિતિ છે,ત્યારે ગુનાખોરી નાથવાને બદલે પોલીસ જાણે રાજકારણીઓનો હાથ બની હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.નવાઈની વાત એ છે કે ગૃહ વિભાગનીજ પોલસ પર પક્કડ રહી નથી.આતંકવાદ નાથવા રચાયેલું સ્પે.ઓપરેશન ગ્રુપને હવે વ્યક્તિગત અરજીની તપાસમાં રસ જાગ્યો છે તે પરથી પ્રદર્શિત થઈ રહ્યું છે કે રાજકીય દબાણને વશ થઈને પોલીસ દરોડા પાડે છે અને વ્યક્તિગત તપાસ કરે છે. રાજકીય દબાણને વશ થઈને પોલીસ દરોડા પાડે છે અને કરે છે વ્યક્તિગત તપાસ ભાજપના રાજમાં પોલીસની ભૂમિકા જાણે બદલાઈ રહી હોય તેવું સામાન્ય જનતા અહેસાસ કરી રહી છે.કાયદાના રખેવાળ હવે રાજકીય કઠપૂતળી બની રહ્યા
Read more
1 2 3 4 5 75

Most Read