[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

મહેસાણામાં 108 એમ્બ્યુલન્સ સેવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે : દર્દીઓ અને સગા સબંધીઓની હાલત કફોડી

મહેસાણા : મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે ઇમરજન્સી સેવા માટે તત્પર રહેતી 108 એમ્બ્યુલન્સ સારવાર લેવા જતા દર્દીઓને પણ હોસ્પિટલ બહાર કલાકો સુધી રાહ જોવી પડે છે.વડનગરની જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ હોસ્પિટલ બહાર કોરોના સંક્રમિત દર્દીઓને 108 એમ્બ્યુલન્સમાં બેસીને 20થી 22 કલાક સુધી સારવાર લેવી પડે છે.ત્યારે દર્દીઓ અને તેમના સગા સબંધીઓની હાલત કફોડી બની ગઇ છે.મહેસાણા જિલ્લામાં પ્રતિ દિવસ 108 એમ્બ્યુલન્સ સેવાને 120 થી વધુ કોલ મળી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ માર્ગો પર 108 એમ્બ્યુલન્સ દિવસ રાત દોડતી નજરે પડે છે. આ અંગેની વિગત એવી છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે સરકારી
Read more

ભાજપના આ MLAને રાત્રે ૩ વાગ્યે ઓક્સીજન મેળવવા માટે સમર્થકે ફોન કર્યો- એવો જવાબ મળ્યો કે વિશ્વાસ નહી આવે…

ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેને લઇને હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે.જોકે મોટાભાગના હોસ્પિટલમાં દર્દીઓને સતત ઓક્સિજનની જરૂર વર્તાઈ રહી છે.હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના ની સારવાર આપવામાં આવી રહી છે પરંતુ ઓક્સિજનની અર્થ ક્યાંકને ક્યાંક તબીબોને પણ લાચાર બનાવી રહી છે. ઊંઝાની એક ખાનગી હોસ્પિટલમાં આશરે ૩૦ જેટલા કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.આ 30 જેટલા દર્દીઓ ઓક્સિજન યુક્ત સારવાર લઇ રહ્યા હતા.ત્યારે આશરે રાત્રે ત્રણ વાગ્યા આજુબાજુ ઓક્સિજન પૂરો થવાની તૈયારીમાં હોવાનું સારવાર લઈ રહેલ દર્દીના એક સંબંધીને જાણવા મળ્યું અને તેમણે ઓક્સિજન માટે ની તપાસ શરૂ કરી.રાત્રિના સમયે ઓક્સિજનની
Read more

સાબરકાંઠામાં વરઘોડા પર ત્રાટકી પોલીસ, વરરાજા સહિત 17 સામે ગુનો દાખલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. 1 એપ્રિલથી રાજ્યમાં કોરોનાનો સંક્રમણ ખૂબ જ વધ્યું છે અને 22 એપ્રિલના રોજ 13,105 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. આ ઉપરાંત 5,010 દર્દી સારવાર લઈને સ્વસ્થ થયા હતા. રાજ્યમાં કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થવાનો દર 78.41 ટકા થયો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાજા થવાનો દર 97 ટકા કરતાં પણ વધારે હતો.રાજ્યમાં કોરોનાના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે.તો બીજી તરફ સ્મશાનમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે.તો બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા
Read more

અંબાજીમાં સ્વૈચ્છિક લૉકડાઉનનો લેવાયો નિર્ણય, બુધવારથી સતત 3 દિવસ રહેશે બંધ

યાત્રાધામ અંબાજીમાં હાલ દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે.ત્યારે આજે પણ 76 ઉપરાંત કોરોનાનાં પોઝીટીવ એક્ટીવ કેસ છે.અને અંબાજીમાં કોરોના કેસોના વધારા સાથે 37 કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવ્યા છે.હાલમાં વધતાં જતાં કોરોનાની આ સાંકળ તોડવા અંબાજીનાં તમામ વેપારીઓ એસોસિયેશનનાં અગ્રણીઓની એક બેઠક અંબાજી કોમ્યુનીટી હોલ ખાતે અધિક કલેકટરની અધ્યક્ષતામાં યોજાવામાં આવી હતી. જોકે આ બેઠકમાં સતત વધતાં કોરોનાનાં પોઝીટીવ કેસોને લઇ ચિંતા વ્યક્ત કરાઇ હતી. અને આગામી સમયમાં લોકોની ભુલનું ભોગ ન બનાય તે માટે સ્વૈચ્છિક લોકડાઉન માટેનો વિચાર વ્યક્ત કરાતાં વેપારીઓ દ્વારા આવતીકાલ મંગળવારે સાંજનાં 5 વાગ્યા બાદ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાં તેમજ બુધવારથી સતત ત્રણ
Read more

જાણો ગુજરાતના કયા શહેરમાં પકડાયો ભાજપનો સટોડીયો નેતા- આખી રાત ભાજપના નેતાઓ તેને છોડાવવા કરતા રહ્યા ધમપછાડા…

ગુજરાતમાં મહેસાણાના ઉંઝામાં સૌથી મોટા રાશન કાર્ડ કૌભાંડનો અગાઉ પર્દાફાસ કરનાર મહેસાણા એલસીબી પોલીસના ઇન્સ્પેક્ટર એવા ભાવેશ રાઠોડના આગેવાની હેઠળ તેમની ટીમે વિજાપુરમાં આવેલ મણીપુરા ગામમાં આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) પર ચાલી રહેલા ક્રિકેટ સટ્ટા પર રેડ પાડતાં ભાજપનો એક નેતા સટ્ટો રમાડતા પોલીસ દ્વારા રંગે હાથ ઝડપવામાં આવ્યો હતો.જેને લીધે આ મુદ્દો સમગ્ર વિસ્તરામાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં ચાલી રહેલા આઈપીએલ(ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસના વડા પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા એલસીબીના પીઆઇ એવા ભાવેશ રાઠોડને આપેલી સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા વિજાપુરના મણીપુરા
Read more

મહેસાણામાં બાકી રૂપિયા મુદ્દે સારવાર અટકાવી દેતા આઘેડનું મોત

મહેસાણા : કોરોના કાળમાં મહેસાણાની દીપ આઈ. સી. યુ. સામે ચોંકાવનારા આક્ષેપો સાથે મહિલાએ પોલીસમાં અરજી આપતાં ખળભળાટ સાથે ચકચાર મચી ગઇ છે.મહેસાણા પોલીસ સ્ટેશને આપેલ અરજી મુજબ ચાણસ્મા તાલુકાના એક આધેડ બિમાર હોઇ તેમને મહેસાણા સારવાર અર્થે લવાયા હતા.જે બાદમાં તેમને કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ દીપ આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર પેટે રૂ.૪,૫૦,૦૦૦ ભર્યા બાદ બાકીના ૧૬,૦૦૦ ભરવાના હતા.જાેકે મૃતક આધેડના ભાઇ પૈસાની સગવડ કરવામાં વિલંબ થતાં હોસ્પિટલે સારવાર બંધ કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.મહિલાના આક્ષેપો મુજબ હોસ્પિટલે વેન્ટિલેલર કાઢી નાંખતાં આધેડનું મોત થયુ હતુ.સમગ્ર મામલે મહિલાએ એ ડીવીઝન પોલીસ મથકે અરજી આપતાં પોલીસે વધુ
Read more

મહેસાણા ભાજપના નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં ખળભળાટ, નેતા ભૂગર્ભમાં

મહેસાણા : ખેરાલુ નગરપાલિકામાં ભાજપના નગર સેવકનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.નગર સેવક હનીટ્રેપનો શિકાર બન્યા છે.વીડિયો કોલના માધ્યમથી કરેલી વાત રેકોર્ડ કરીને બ્લેક મેઇલિંગ કરાયું હતું.આ અંગે મહેસાણા સાયબર ક્રાઈમને અરજી અપાઈ છે. વીડિયો વાયરલ થયા બાદ નગર સેવક ભૂગર્ભમાં ઉતરી ગયા છે.ભાજપના નગર સેવક હની ટ્રેપમાં ફસાતા ચકચાર મચી ગઈ છે.નોંધનીય છે કે,અગાઉ રાજકોટમાં પણ ભાજપના નેતા આ પ્રકારની ઘટનાનો શિકાર બન્યા હતા.રાજકોટ ભાજપના નેતાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે કે,અજાણી યુવતીએ વીડિયો કોલ મારફત તેમને બ્લેકમેલિંગકરી રહી છે.સાઇબર ક્રાઇમને કરેલી અરજીમાં ભાજપના નેતાએ જણાવ્યું છે કે, ગત 27મી માર્ચે સવારે એક યુવતીના ફેસબૂક એકાઉન્ટમાંથી
Read more

ભાજપ નેતાનો પુત્ર નાપાસ હોવા છતાં પાસ કરી દેવાયો !

પાટણ : પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મોટી ગેરરીતિનો એક મામલો ઉજાગર થયો છે. 2018માં એમબીબીએસનો અભ્યાસક્રમ કરી રહેલા ત્રણ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયાનો મામલો બહાર આવ્યા બાદ આ ત્રણ વિદ્યાર્થી પૈકીનો એક ભાજપ નેતાનો પુત્ર હોવાનું ખુલવા પામ્યું છે. વર્ષ 2018માં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એફ.વાય.એમબીબીએસની માર્ચ-જૂન મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રિ-એસેસમેન્ટની અરજી કરી હતી જેમાં તપાસ કર્યા બાદ ગોટાળાનો ખુલાસો થયો હતો. આ મુદ્દે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી જે તપાસ ત્રણ વર્ષ સુધી ચાલ્યા બાદ અંતે ત્રણ વિદ્યાર્થીઓને પાસ કરવા મામલે ગોલમાલ થઈ હોવાનું બહાર આવ્યું છે.સમિતિએ આપેલા
Read more

શકિતપીઠ અંબાજી મંદિરે હોળી-ધૂળેટીના પર્વેએ પરંપરાગત ફૂલડોલ ઉત્સવ મોકૂફ પણ શ્રદ્ધાળુઓ માટે કપાટ ખુલ્લા રહેશે

રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.રોજ કેસ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યા છે.હોળી ધુળેટીના તહેવારોની ઉજવણી પર પણ રાજય સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.મર્યાદિત લોકોની હાજરીમાં હોળી પ્રગટાવવાની છૂટ આપવામાંઆવી છે.પરંતુ ધુળેટીની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.કોરોનાનું સંક્રમણ વધતા રાજયનાં વિખ્યાત મંદિરોમા પણ પ્રતિબંધ મૂકાય રહ્યા છે.અને ધાર્મીક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવી રહ્યા છે.દરમિયાન પવિત્ર યાત્રાધામ શકિતપીઠ અંબાજી મંદિરમાં હોળી-ધૂળેટીના પર્વેએ યોજાતો પરંપરાગત ફૂલડોલ ઉત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે તહેવારોમા મંદિર શ્રધ્ધાળુઓ માટે ખૂલ્લુ રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. દ્વારકા જગતમંદિર હોળી-ધૂળેટીના તહેવારોમાં આગામી 27થી 29 માર્ચ દરમિયાન ભાવિકો માટે બંધ રહેશે
Read more

મોડાસા નગરપાલિકામાં પણ ઓવૈસીની AIMIMની એન્ટ્રી, જાણો ક્યાં બેઠક જીતી

ગુજરાતમાં હવે 1 નગરપાલિકામાં પણ અસાદુદ્દીન ઔવેસીની પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે.મોડાસા નગરપાલિકામાં AIMIMના ઉમેદવારની જીત થઇ છે.મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં AIMIMના 1 ઉમેદવારનો વિજય થયો છે.વોર્ડ નંબર 6માં કોંગ્રેસના 3 અને AIMIMનો 1 ઉમેદવાર જીત્યો છે. AIMIMની એન્ટ્રી મોડાસા નગરપાલિકામાં થઇ છે અને એ પણ કોંગ્રેસની વોટબેંક તોડીને.મહત્ત્વની વાત છે કે, છોટુ વસાવાના કારણે AIMIMની એન્ટ્રી ગુજરાતમાં થઇ છે. છોટુ વસાવાએ કોંગ્રેસની સાથે છેડો ફાડીને અસાદુદ્દીન ઔવેસી સાથે હાથ મિલાવીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને અમુક બેઠકો પર પોતાના ઉમેવારોને ઉભા રાખ્યા અને જેનો ફાયદો પણ AIMIMને મળી રહ્યો છે.અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની વોટબેંક તોડીને 7
Read more
1 8 9 10 11 12 18

Most Read