[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

પાલીતાણાના ગરજીયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોને માર મારવામાં આવ્યો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રાજકીય પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના કિસ્સાઓ સામે આવ્યા છે.ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વોએ ભાજપના ઉમેદવારને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.પાલીતાણાના ગરજીયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. ભાજપના ઉમેદવારનો આક્ષેપ છે કે,તેને માર મારીને તાલુકા પંચાયતનું ફોર્મ ખેંચવા માટે ધમકી આપવામાં આવી છે.આ બાબતે ભાજપના ઉમેદવારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ત્રણ લોકોની સામે ગુનો દાખલ કર્યો છે. રિપોર્ટ અનુસાર ભાવનગરના પાલીતાણાના જરાજીયા તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે ભાજપે ચેતન ડાભીને ટિકિટ આપી છે.ચેતન ડાભી ડુંગરપુર ગામમાં પરિવારની સાથે રહે છે.ચેતન ડાભીનો આક્ષેપ છે કે,તેને કેટલાક અસામાજિક તત્ત્વોએ
Read more

અરવલ્લીના મોડાસા ટાઉનમાં ઓવૈસીએ ખોલ્યો મોરચો ; મુસ્લિમ વિસ્તારોમાં ઓવૈસી તરફી જામી રહેલો માહોલ : કોંગ્રેસમાં મોટાપાયે ધોવાણ

ગુજરાતમાં ઓવૈસી ની એન્ટ્રી થતા જ સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું હોવાની વાત સપાટી ઉપર આવી રહી છે અને તેના ઉદાહરણમાં અરવલ્લી મોડાસા ટાઉનમાં કોંગ્રેસને બાય બાય કરી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજબાબુ ઓવૈસીની પાર્ટી AIMIMમાં જોડાઇ ગયા છે.તેઓ બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે અને હવે 200 કાર્યકરો AIMIMમાં જોડાઇ ગયા છે.રાજબાબુ અને 200 કાર્યકરોએ ઓવૈસી ની પાર્ટી માં જોઈન થતા પહેલા કોંગ્રેસના હાય હાયના નારા પણ લગાવ્યા હતા.સ્થાનિક સ્વરાજય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી સાથે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપીએ ગુજરાતમાં ગઠબંધન સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે ઓવૈસી ની
Read more

ATMમાં છેડછાડ કરી ફ્રોડ કરનારી ગેંગનો પર્દાફાશ

હિંમતનગર એટીએમ મશીન સાથે ચેડાં કરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લાખો રૂપિયાની ઠગાઈ કરનારી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે.ગેંગના ચાર સભ્યોમાંથી એકને હિંમતનગર બી ડિવિઝન પોલીસે ગુરૂવારે પાંચબત્તી ત્રણ રસ્તા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.ગેંગના અન્ય ત્રણ સભ્યો સાથે મળી હિંમતનગરની પંજાબ એન્ડ સિંધ બેન્કના એટીએમમાંથી રૂ. રૂ.૫.૮૬ લાખની વધુની ઠગાઇ કરી હોવાનું આરોપીએ કબૂલ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ,આ ગેંગે આણંદ તેમજ ગાંધીનગરના એટીએમમાંથી પણ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી.પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા હરિયાણાની મેવાતી ગેંગના અન્ય ત્રણ વોન્ટેડને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. સાબરકાંઠાના એસ.પી.તરીકે નિરજકુમાર બડગુજરે ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લામાં થતી વાહન ચોરી,ઘરફોડ,વિદેશી દારૂની હેરાફેરી સાથે
Read more

મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક

મહુવા યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે.આજે મહુવા યાર્ડમાં 4 લાખ ગુણીની આવક થઈ છે.ડુંગળી ઉતારવા માટે યાર્ડ દ્વારા 70 વિઘા જમીન ભાડે રાખવામાં આવી છે.જેથી નવી આવક પર રોક લગાવી દેવામાં આવી છે,અને જ્યા સુધી નવી સુચના ન મળે ત્યા સુધી ડુંગળી નહીં લાવવા ખેડૂતોને અનુરોધ કરાયો છે હાલ ખેડૂતોને 20 કિલોના રૂપિયા 500થી વધારે ભાવ મળી રહ્યાં છે.
Read more

ડીસા તાલુકામાં ખોટા હુકમ દ્વારા સહકારી મંડળીને ગૌચર ફાળવનાર તત્કાલીન અધિકારી સામે FIR

ડીસા : ડીસા તાલુકામાં ગેરકાયદે સરકારી અધિકારીએ ગામની ગૌચર જમીન સહકારી મંડળીને ફાળવી દેવાની ઘટના બનવા પામેલ છે જે મામલો ડીસા કોર્ટ સુધી પહોંચતા બનાસકાંઠા જિલ્લા પંચાયતે વહીવટી તપાસની કાર્યવાહી યથાવત રાખી હતી.આ સમગ્ર ઘટનાક્રમમાં હવે તત્કાલીન અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ થતાં ડીસા ટીડીઓએ બનાવટી કાગળો બનાવી ગેરકાયદે હુકમ કરનાર સસ્પેન્ડેડ નાયબ પશુપાલન નિયામક શશીકાંત પટેલ વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. ડીસા તાલુકાના સરત ગામે સરકારી જમીનની ગેરકાયદે ફાળવણીની ઘટના વર્ષ 2019 દરમ્યાન બની હતી.જેમાં પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. શશીકાંત ડાહ્યાલાલ પટેલે ગામની ધી સરત સામુદાયિક સેવા સહકારી મંડળીને ખોટાં કાગળો બનાવી ગૌચર જમીન આપી
Read more

પારડી પાલિકા સામાન્ય સભામાં ‌BJP સભ્ય પર બાટલી મારવાનો પ્રયાસ કરાયો

– 14 મુદ્દા સાથે પાલિકાની સભામાં 2021-22ના બજેટને મંજૂરી પારડી : પારડી પાલિકાના સભાખંડમાં ગુરૂવારે 14 મુદ્દાઓને આવરી સામાન્ય સભા મળી હતી.સભામાં ગત સભાની નોધને વંચાણે લઈ મંજૂરી આપવામાં ભારે ગરમા ગરમી થતાં સભા લંબાઈને પૂરા ત્રણ ક્લાક સુધી ચાલી હતી.જેમાં કેટલાક સભ્યો તો પોતાની ખુરશીને છોડી અંતમાં જતાં રહ્યા હતા. સભામાં માજી આરોગ્ય ચેરમેન અલી અંસારીએ મારી ત્રણ અરજી હોવા છતાં કેમ કામ કરતા નથી તેવો સવાલ કરતા તેમના ઉપર કોંગ્રેસ પ્રેરિત અપક્ષ સભ્યે વીફરી જઈ પાણીની બાટલી છૂટી મારવાનો પ્રયાસ કરતાં સભા ગરમાઈ ગઈ હતી. ક્યાં કામોની ચર્ચા સાથે બહાલી અપાઈ – પાર નદીના કિનારા પર રીવરફ્રન્ટ બનાવવાની
Read more

મોડાસા કોંગ્રેસના 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા, રાજકારણમાં અટકળો શરૂ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી કરવામાં આવી છે.જેમાં મોડાસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.ઉલ્લેખનીય છે કે મોડાસા શહેર કોંગ્રેસના 250 જેટલા કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમમાં જોડાયા છે. – મોડાસા શહેર કૉંગ્રેસમાં ગાબડુ, ૨૫૦ જેટલા કાર્યકરોએ છેડો ફાડ્યો – મોડાસા શહેર કૉંગ્રેસમાં ગાબડુ, ૨૫૦ જેટલા કાર્યકરોએ છેડો ફાડ્યો – ૪ કૉર્પોરેટર સહિત ૨૫૦ જેટલા કૉંગી કાર્યકરો AIMIM માં જોડાયા – સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકો – ભાજપ, કૉંગ્રેસ, AAP પછી MIM ની એન્ટ્રી નોંધનીય છે કે 4 કોર્પોરેટર સહિત 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા છે.અરવલ્લીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપ
Read more

ખેરાલુ કાંઠા વિસ્તારના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા આવેદનપત્ર આપ્યું

મહેસાણા : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કાંઠાવાળા વિસ્તારના ખેડૂતોની સિંચાઈ સહિત પાણીની માગણીઓ ન સંતોષાતાં આજે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવા મામલે કલેકટરને આવેદનપત્ર અપાયું છે.ખેરાળુ તાલુકાના ડાવોલ, વરેઠા તેમજ ડાલીસણા ગામના ખેડુતો રજૂઆત કરવા જોડાયા હતા. ખેરાલુ તાલુકામાં રૂપેણ નદીના કાંઠા વિસ્તારના ગામો પૈકી ડાવોલ,વરેઠા તેમજ ડાલીસણાના ખેડૂતોની સિંચાઈ સહિત પાણીની વિવિધ માંગણીઓ નહીં સંતોષાતાં રોષ જોવા મળ્યો છે.જેમાં કૂડા ફિડરથી વરસંગ તળાવ સુધી સુજલામ-સુફલામ યોજનામાં તળાવો ભરવા માટે પાઈપલાઈન નાંખેલ છે.પાઈપલાઈનમાં પાણી ચાલુ કરી વરસંગ તળાવ ભરી પાણી રૂપેણ નદીમાં વહેતું કરી ચીમનાબાઈ તળાવ સુધી પહોંચાડવું.જેથી કાંઠા વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેવી માગ છે. ઉપરાંત સિંચાઈના
Read more

પાટણનાં મુસ્લિમ તબીબ દંપતીએ રામ મંદિર નિર્માણ નિધિમાં રૂ, 1.51 લાખ અર્પણ કર્યાં

પાટણ : અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર નવનિર્માણના કાર્યમાં તમામ લોકો સહભાગી બને તેવા શુભ સંકલ્પ સાથે સમગ્ર ભારતભરમાં શ્રી રામ મંદિર નિર્માણ નીધી સમર્પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત પાટણ શહેર અને જિલ્લામાં પણ શ્રી રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેને તમામ સમુદાય તરફથી સુંદર સહકાર મળી રહ્યા છે ત્યારે બુધવારના રોજ પાટણ શહેરના જાણીતા તબીબ ડોક્ટર હમીરભાઇ મન્સુરી અને તેમના ધર્મપત્ની દ્વારા શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યમાં રૂ. એક લાખ ૫૧ હજારની માતબર રકમ અર્પણ કરી કોમી એખલાસની ભાવનાને ઉજાગર કરી છે. શ્રી રામ મંદિર નિર્માણ નીધી એકત્રીકરણ કાર્યમાં જોડાયેલા
Read more

રાજકોટ કોર્પોરેશન સોમવારથી વેક્સિનેશન બૂથ વધારશે

૧૪૫૦૦ હેલ્થ વર્કરોની યાદી સામે કોરોના ૧૬૫૦૦ ડોઝ ઉપલબ્ધ:જેમ જેમ વેકસીનનો જથ્થો ફળવાશે તેમ તેમ બૂથ વધારશે આજથી કોરોના મહારસીકરણ અભિયાન આરંભ કરી દેવામાં આવ્યો છે.રાજકોટમાં પ્રથમ દિવસે કુલ છ વેકસીન બુથ શરુ કરવામાં આવ્યા હતા દરમિયાન સોમવારથી વેક્સિન બૂથ વધારવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.શહેરમાં પ્રથમ તબક્કે જે હેલ્થ વર્કરોને વેક્સીન આપવાનું થાય છે.તેની સંખ્યા ૧૪૫૦૦ જેવી થવા પામેં છે જેની સામે કોરોના ૧૬૫૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે.આજે વેક્સિનેશનના પ્રથમ દિવસે વેકસીન લેનાર કોઈ વ્યક્તિને આડ અસર થવા આવી હતી.એક સાથે ૧૫૫ બૂથ પરથી કોરોના વેક્સિનેશનની કામગીરી કરી શકાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા ગોઠવવામાંઆવી છે. આજે વેક્સિનેશન ના
Read more
1 9 10 11 12 13 18

Most Read