[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

મહેસાણા : રબારી સમાજની ગુરૂગાદી તરભના મહંત બળદેવગીરી બાપુનું નિધન

– મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રબારી સમાજ ના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજી ના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે મહેસાણા : રબારી સમાજના શ્રધ્ધા આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામના ગાદીપતિ મહંત બળદેવગીરીજી મહારાજની છેલ્લા ઘણા દિવસથી તબિયત બગડી હતી. જેમનું આજે સાંજે દુઃખદ અવસાન થતા સમાજમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. રબારી સમાજના મહંદના નિધન અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રબારી સમાજ ના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજી ના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુની તબીયત છેલ્લા કેટલાક દિવસથી લથડતા તેમને અમદાવાદની
Read more

કોરોનાનો ડાયરો : ભીડ ભેગી કરી અને 10 કલાકારોને બોલાવી ડાયરો કરાયો

– કોરોના કાળમાં બનાસકાંઠાના થરાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે.થરાદમાં યોજાયેલ ડાયરામાં 10 કલાકારોને બોલાવી ભીડ એકઠી કરવામાં આવી હતી.તો સમગ્ર કાર્યક્રમમાં કલાકારો અને લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.ડાયરામાં હકડેઠઠ ભીડ જોવા મળી હતી.વડગામડા ગામે ધનજી પટેલે આ ડાયરો યોજ્યો હતો. – ડાયરાની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે થરાદના ASP પૂજા યાદવ,સાંસદ પરબત પટેલ,પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી,થરાદના ધારાસભ્ય ગુલબસિંહ રાજપૂત અને અન્ય કેટલાય લોકોના નામ સામેલ હતા.ત્યારે સવાલ એ છે કે,પોલીસ સહિતના અનેક મોટા નેતાઓના નામ પત્રિકામાં છપાવી મોટો ડાયરો કરતા પહેલા કેમ કોઈએ ધ્યાન ન આપ્યું. તો સાથે જ ડાયરાને લઈને પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા પોલીસની
Read more

ઊંઝામાં 109.97 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં અમિત ઉર્ફે ટેમી પટેલની ધરપકડ

– સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ઊંઝાના ચોથા વેપારી સામે કાર્યવાહી – ગરીબોના નામે બોગસ પેઢી બનાવી 6.31 કરોડની કરચોરી ખૂલી ઊંઝામાં જીરૂ કોમોડિટીમાં જુદી જુદી પેઢીઓ ઉભી કરી બોગસ બિલિંગ કૌભાંડ આચરી મોટા પાયે કરચોરીમાં અગાઉ ત્રણ વેપારીઓની ધરપકડ બાદ વધુ એક વેપારીની ધરપકડ કરાઇ છે.જીએસટીની ઇન્વેસ્ટીગેશન ટીમે રૂ.109.97 કરોડના ઇ-વે બિલ જનરેટ કરી રૂ.6.21 કરોડની કરચોરી મામલે સોમવારે અમિત રમેશભાઇ પટેલ ઉર્ફે ટેમીની ધરપકડ કરી હતી. બોગસ બિલિંગથી સરકારની આંખમાં ઘૂળ નાંખી ગેરકાયદે વેરાશાખ મેળવતા શખ્સો સામે જીએસટીની ઇન્વેસ્ટીગેશન ટીમે સકંજો કસ્યો છે.ઊંઝામાં બોગસ બિલિંગ મામલાની તપાસમાં ટીમને અમિત રમેશભાઇ પટેલ ઉર્ફે ટેમીની ગુનાહિત ભૂમિકા જણાઇ આવી હતી.જેણે ગરીબો
Read more

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના સાત PSIની એકસાથે બદલી ,જાણો ક્યા PSIને ક્યાં મૂકવામાં આવ્યા

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડાએ જીલ્લામાં સાત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI0ની આંતરિક બદલી કરી છે.પોલીસ વડા દ્વારા થોડા દિવસ પહેલા બે PSI અને એક PIની બદલી કરાઈ હતી અને ફરી એક વાર બદલી કરતાં પોલીસ વડા જિલ્લાના પોલીસ તંત્રમાં ઘરખમ ફેરફારો કરી રહ્યા હોવાના સંકેત મળ્યા છે. આ બદલીના દોરમાં PSI એ.વી.જોશીને SOGથી હિમતનગર B ડીવીઝન પોલીસ સ્ટેશનમાં, PSI કે.કે.રાઠોડને A ડીવીઝનથી SOG શાખામાં, PSI જે.આર.દેસાઈને ગાંભોઈથી LCBમાં , PSI પી. પી. જાનીને વડાલીથી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત PSI આર.જે.ચૌહાણને પોશીનાથી વડાલી પોલીસ સ્ટેશનમાં, PSI એ.બી.મિસ્ત્રીને પ્રાંતિજથી પોશીના પોલીસ સ્ટેશનમાં જ્યારે PSI એમ.એચ.પરાડીયાને તલોદથી ચિઠોડા પોલીસ
Read more

પાલનપુરમાં 2.3ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ

રાજ્યમાં બનાસકાંઠા વિસ્તારમાં પાલનપુરમાં ભૂકંપના આંચકા આવતા ભારે ગભરાટ ફેલાયો છે.પાલનપુરથી 39 કિ.મી.ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે.પાલનપુરમાં 2.3ની તિવ્રતાનો આંચકો આવતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.બનાસકાંઠાના અનેક જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે.ગુજરાતના ભૂકંપના પાંચ ઝોન પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-3માં આવે છે.ત્યારે આ ભુકંપને પગલે લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.
Read more

મહેસાણા નજીક પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના કરૂણ મોત

મહેસાણા : આજે વહેલી સવારે મહેસાણા તાલુકાના પાંચોટ ખાતે તળાળમાં કાર ખાબકતાં ત્રણ શિક્ષકોના મોત નિપજ્યાં હતાં.ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી.શિક્ષકો પોતાના નિયતક્રમ મુજબ વહેલી સવારે નોકરી પર જઇ રહ્યાં હતાં,ત્યારે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે,પાંચોટ તળાવ પાસે અચાનક જ રસ્તા વચ્ચે કૂતરું આવી જતાં કારચાલકે કાબુ ગુમાવ્યો હતો.કૂતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી હતી અને ત્રણ શિક્ષકોના કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ 108ની ટીમને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જેસીબીની મદદથી કાર તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી.મહેસાણા નજીક પાંચોટ ખાતે સર્જાયેલા એક
Read more

એક-બે નહીં પણ મહેસાણા જિલ્લા સહકારી દૂધ સંઘમાં કૌભાંડોની વણઝાર,વાંચો ખેડૂતોના નકલી મસીહા સાબિત થયેલા વિપુલ ચૌધરીની કૌભાંડ યાત્રા

મહેસાણાની જિલ્લા સહકારી દૂધ સંઘમાં એક નહી બે નહિ પણ કૌભાંડની વણઝાર છે.સાગરદાણ કૌભાંડ બાદ ખાંડ ખરીદી કૌભાંડ પણ ખુબ ગાજયું હતું. 2012-2014ના સમયગાળા દરમિયાન ખાંડની ખરીદી અન્ય સંઘો કરતા ઉભા ભાવે થયાની ફરિયાદ થઈ હતી.દૂધ.સંઘના માન્ય કરેલ ખરીદ પ્રક્રિયાથી ઉપર પર સાંઠગાંઠ વાળી એજન્સીઓ જેવી કે પેરેડાઇઝ ટ્રેડલિંક પ્રાઈવેટ લિમિટેડ,પ્રધીન એક્ષપોર્ટ,ગણેશ એગ્રોવેટ કોર્પોરેશન મારફતે ખાંડ ખરીદી હોવાનું સામે આવ્યુ હતું. ખાંડની મીલો પાસેથી ઓછા ભાવે ખાંડ ખરીદ કરી તે એજન્સીઓએ વધુ ભાવના બીલો બનાવી ડેરીને ખાંડ વેચી હતી.તેમાં પણ વિપુલ ચૌધરી અને નિયામક મંડળના સભ્યો અને અધિકારીઓએ મોટું કમિશન ખાઇ દુધ ઉત્પાદકોના નાણાની ઉચાપત કર્યાની પણ ફરિયાદ થઈ હતી.જેને
Read more

લગ્નમાં ભીડના મામલે લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ દાખલ

– મહેસાણામાં તાજેતરમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવ્યા – વરઘોડામાં કાજલ મહેરિયાના સૂર સાથે લોકો નાચતા જોવા મળ્યા બનાસકાંઠા : થરાદ તાલુકાના કેસર ગામે લગ્ન પ્રસંગે ભીડ એકઠી કરનાર લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.કેસર ગામે નાગજીભાઈ નાઈએ પોતાના પુત્રને લગ્નમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી.ત્યારે થરાદ પોલીસે વરરાજા તેમજ તેના પિતા અને ગાયિકા કાજલ મહેરિયા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે કાજલ મહેરિયા સામે નોંધાયેલો આ બીજો ગુનો છે. બે દિવસ પહેલા કાજલ મહેરિયા સામે વીસનગર તાલુકામાં ફરિયાદ
Read more

મહેસાણા લોકસભા સાંસદે લોકલ ટ્રેનો પુન: શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મહેસાણા : ઉ.ગુ. સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કારણે બંધ કરાયેલ લોકલ ટ્રેનોને પુન: શરૂ કરવા મહેસાણાના લોકસભા સાંસદ શારદાબેન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી અનુરોધ કર્યો છે.છેલ્લા કેટલાય સમયથી ધંધા-રોજગાર અર્થે અન્ય શહેરોમાં અપડાઉન કરતા મુસાફરોના હિતમાં બંધ કરાયેલ લોકલ પેસેન્જર ટ્રેનો સત્વરે પુન: શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે લાંબા સમયથી રેલવે વિભાગે લોકલ ટ્રેનો બંધ કરી દિધી હતી.અનલોક જાહેર થતાં ફરી એકવાર ઉદ્યોગ-ધંધા શરૂ થતાં જનજીવન ધબકતું થયું છે.પરંતુ,લોકલ ટ્રેનો બંધ હોવાથી ધંધા-રોજગાર સહિત આવન-જાવન કરતાં હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે મહેસાણા લોકસભાના સાંસદ
Read more

દિયોદરના R&Bના પેટા વિભાગ અધિકારી પાસેથી રૂ. 73.13 લાખની અપ્રમાણસર મિલકત મળી

પાલનપુર : દિયોદરના માર્ગ અને મકાન વિભાગના પેટા વિભાગ પેટા અધિકારી અધિક મદદનીશ ઈજનેર અગાઉ જંગલ કટિંગની કામગીરીનું બિલ મંજૂર કરવા રૂ. 40,000ની લાંચ ઝડપાયા હતા.જેઓની પાસેથી રૂ. 73.13 લાખની બેનામી મિલ્કત મળતાં એસીબીએ ગુનો નોંધ્યો હતો.દિયોદર મદદનીશ ઈજનેર રાહુલકુમાર બાબુલાલ પટેલ વર્ગ-3 માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગ અગાઉ જંગલ કટિંગની કામગીરીનું બિલ મંજુર કરવા માટે રૂ. 40,000 ની લાંચ ઝડપાયા હતા.જેઓ ફરજમોકૂફ અને 126 દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેઓના રાજ્યસેવક તરીકેના હોદ્દા,વર્ગ અને કાયદેસરની ફરજના ભાગરૂપે મળતા પગાર અને ભથ્થા ઇત્યાદિ કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણિક રીતે કરોડો રૂપિયાની જમીનો,મિલ્કતો અને સાધનો પોતાના તેમજ પોતાના પરિવાર ના સભ્યોના નામે
Read more
1 11 12 13 14 15 18

Most Read