[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

વડગામમાં ખેતરની જમીન માલિકી મુદ્દે થયેલા હુમલાથી હિન્દુ સમાજ લાલઘૂમ

પાલનપુર : વડગામ તાલુકાના રજોસણા ગામમાં હિન્દુ સમાજ પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા ખુની હુમલાના પડઘા સમગ્ર હિન્દુ સમાજ માં પડ્યા છે. હિન્દુ સમાજની જમીન પચાવી પાડવાના બદ ઇરાદાથી કેટલાક તત્વો દ્વારા હિન્દુ સમાજ પર ખુની હુમલો કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં હિન્દૂ સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ જઇ આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી.રજોસણામાં હિન્દુ સમાજ પર જાન થી મારી નાખવા ના ઇરાદા થી હુમલો કરાયો હતો.જેમાં દરજી પરિવારના સભ્યો હોસ્પિટલમાં દાખલ હોઇ આજ રોજ બનાસકાંઠા હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને ધારદાર રજૂઆત કરાઇ હતી. હિન્દુ સમાજ દ્વારા જણાવ્યું હતું કે, પરિવારની જમીન પચાવી પાડવાના બદ ઇરાદા સાથે ટોળું કુહાડી,તલવાર,ધારિયા
Read more

મહેસાણામાં આજે CMના હસ્તે પાણી પુરવઠાની રૂ.287 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત

મહેસાણા : મહેસાણા જિલ્લામાં હયાત પિવાના પાણીની વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા માટે જિલ્લામાં પાણી પુરવઠાની રૂ.૨૮૭ કરોડના ખર્ચે બનનારી વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત મંગળવારે સવારે મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પુરવઠા મંત્રી કુવરજી બાવળીયાની હાજરીમાં કરાવાનું હોઈ તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ૫૪ ગામો તેમજ મહેસાણા,વિસનગર અને ઊંઝા શહેર માટે નર્મદા મુખ્ય નહેર આધારિત રૂ.૭૮.૯૪ કરોડની ભાગ-૧ યોજના, રૂ.૮૦.૨૬ કરોડની ભાગ-૨ અને રૂ.૭૧.૫૩ કરોડની ભાગ-૩ યોજના ઉપરાંત વડનગર અને ખેરાલુ તાલુકાના ૯૦ ગામો અને ખેરાલુ તેમજ વડનગર શહેરની રૂ.૩૯.૪૨ કરોડની ધરોઈ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સિવાય સતલાસણા તાલુકાના ૭૦ ગામો માટે રૂ.૯.૨૫ કરોડની
Read more

દાંતા તાલુકા પંચાયતની કારોબારી, ન્યાય સમિતિ ભાજપે કબજે કરી

અંબાજી : દાંતા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળાતા પ્રમુખ કોંગ્રેસના અને ઉપપ્રમુખ ભાજપના ચૂંટાયા બાદ સોમવારે કારોબારી સમિતિ અને ન્યાય સમિતિમાં ભાજપે મેદાન મારી બન્ને સમિતિઓ પોતાના કબજે કરી હતી. દાંતા તા.પં. કોંગ્રેસની બહુમતી ધરાવતી પંચાયત હતી.જેથી અગાઉ પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ કારોબારી અને ન્યાય સમિતિ સહિતતમામ સત્તાઓ કોંગ્રેસ પાસે હતી. પરંતુ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં તાલુકા પંચાયત દાંતામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી.જેમાં ટાઇ પડતા ચિઠ્ઠી ઉછાડી પ્રમુખ – કોંગ્રેસનો અને ઉપપ્રમુખ ભાજપ ના બન્યા હતા.બાદ આજ સોમવાર ના રોજ પ્રથમ કારોબારી મળી હતી.જેમાં કારોબારી અધ્યક્ષ અને સમિતિ તેમજ સામાજીક ન્યાય સમિતિ અધ્યક્ષ અને સમિતિની રચના કરવામાં આવી
Read more

મહેસાણા કોંગ્રેસના કાર્યકરે WhatsApp ગ્રુપમાં અશ્લીલ તસવીરો મૂકતા લોકો શરમમાં મૂકાયા

હાલમાં સોશિયલ મીડિયાનો યુગ છે,સામાન્ય લોકોથી લઇ રાજનીતિ સાથે જોડાયેલા લોકો પણ સોશિયલ મીડિયાનો સંપૂર્ણ ઉપયોગ કરે છે. રાજનીતિ સાથે જોડાયેલી પાર્ટીઓના સ્થાનિક કાર્યકરો પણ વ્હોટ્ટસ એપ્પ (WhatsApp) ગ્રુપ ચલાવતા હોય છે અને આવા ગ્રુપોમાં ક્યારેય એવી તસવીરો અને વીડિયો શેર થઇ જતા હોય છે જેના કારણે મહિલા કાર્યકરો ક્ષોપજનક સ્થિતિમાં મૂકાઇ જતા હોય છે આવો જ એક કિસ્સો મહેસાણાના કોંગ્રેસ ગ્રુપમાં બન્યો છે.જ્યાં એક સ્થાનિક કાર્યકરે અશ્લીલ તસવીરો ગ્રુપમાં પોસ્ટ કરી હતી. મહેસાણા શહેર કોંગ્રેસના ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ મૂક્વાથી સ્થાનિક કાર્યકરો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગયા હતા. કોંગ્રેસ કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં ભત્સ પોસ્ટ મુકતા ગ્રુપના સભ્યો ક્ષોભમાં મુકાયા હતા.આ ગ્રુપમાં
Read more

પેટલાદ : યુવતીએ દર્દીને તપાસવા ડોક્ટરને ઘરે બોલાવ્યા, કપડાં કાઢીને થઈ ગઈ નગ્ન ને ડોક્ટરને પણ કર્યા નગ્ન ને પછી…..

નડિયાદ : આણંદ જિલ્લાના પેટલાદમાં હનીટ્રેપની ઘટના સામે આવી છે.નડિયાદના ડોક્ટરને દર્દીને તપાસવાના બહાને ઘરે બોલાવી યુવતીએ ફસાવ્યા હતા.દર્દીને તપાસવા માટે ડોક્ટર ઘરે આવતાં જ કાવતરા પ્રમાણે ત્રણ પુરુષો પોલીસના સ્વાંગમાં આવી પહોંચ્યા હતા અને ડોક્ટરને ધમકાવ્યા હતા. ડોક્ટરે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, ગત 29મી સપ્ટેમ્બરે પ્રફુલ્લા નામની મહિલાએ પેટલાદ બાજુના એક દર્દી પથારીવશ હોય અને ચાલી શકે તેમ ન હોય, ઘરે આવીને તપાસી જવા માટે ફોન પર જણાવ્યું હતું.આથી તેઓ બપોરના સમયે ફોન કરીને આ મહિલાને મળ્યા હતા.તેમની સાથે એક યુવતી પણ હતી.જેમને લઈ તેઓ દંતાલી ગામ પાસેના એક ઘરમાં લઈ ગયા હતા.જોકે,ઘરમાં કોઈ દેખાતું નહોતું.આ અંગે પૂછતા મહિલાએ
Read more

ભાવિકોની વધતી ભીડના પગલે આજથી અંબાજી મંદિરે દર્શનના સમયમાં વધારો

– સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શ્રદ્ધાળુઓ રાત્રીના ૧૧ વાગ્યા સુધી દર્શનનો લ્હાવો લઈ શકશે ભાવિકોની વધતી ભીડ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ખાતે ભાવિકો માટે દર્શનના સમયમાં વધારો કરાયો છે.નવરાત્રીનો આજે ચોથો દિવસ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.અંબાજી મંદિરે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભક્તજનો માઁ અંબાના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે. નોરતાનો આજે ચોથો દિવસ છે.કોરોના મહામારીને પગલે આ વર્ષે નવરાત્રીની સાદગી સભર ઉજવણી થઈ રહી છે.સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં નવલી નવરાત્રીની સાદાઈથી ઉજવણી થઈ રહી છે.માતાજીના મંદિરોમાં સામુહિક કાર્યક્રમો પણ આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યા છે.સરકારની ગાઈડ લાઇન્સ અનુસાર મંદિરોમાં ભાવિકોને માત્ર
Read more

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી 19 ઓક્ટોબરે યોજાશે

એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે. 19 ઓક્ટોબરના રોજ બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણીયોજાઇ રહી છે.જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની તારીખ જાહેર કરી છે.બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 19 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાઇ રહી છે.તમને જણાવી દઇએ કે બનાસ ડેરી એશિયાની નંબર વન ડેરી છે. 3.50 લાખ પશુપાલકો ધરાવતી એશિયાની નંબર વન ડેરી છે અને આ ડેરી દર વર્ષે 9 હજાર કરોડનું ટન ઓવર ધરાવે છે. 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય રાખવામાં આવ્યો છે.30 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 1લી ઓક્ટોબરે માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર કરાશે.જ્યારે 8 ઓક્ટોબરના રોજ
Read more

અંબાજી મંદિર પરિસરમાં જ કોરોનાની મહામારીના નાશ માટે તેમજ વિસ્વ કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો

અંબાજી 27 ઓગસ્ટ : અંબાજીમાં વર્ષ પરંપરા ગત રીતે ભરાતો ભાદરવી પુનમ નો મેળો આજ થી શરૂઆત થઇ રહી હતી જ્યાં કોરોનાના સંક્ર્મણ ને લઈ આજથી શરૂ થતો ભાદરવી પૂનમ નો મેળો જ્યાં અંબાજી મંદિર પરિષર લાલ ધજા પતાકાઓ સાથે બોલમાડી અંબે જય જય અંબે ના નાદ થી ધુજી ઉઠતું હતું ત્યાં આજે આ મેળો રદ કરાતા સમગ્ર અંબાજી મંદિર પરિષર માં જાણે સન્નાટો છવાયો હોય તેમ સુમસામ જોવા મળી રહ્યું છે કોરોના સંક્ર્મણ ને લઈ મેળા સહીત મંદિર માં દર્શન પણ બંધ કરાયા છે તેના બદલે જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન દ્વારા મંદિર પરિષર માં
Read more

ઉત્તર ગુજરાતના જૈન સાધુએ બાંધ્યા યુવતી સાથે શારીરિક સંબંધ, યુવતી કેમ પહોંચી પોલીસ સ્ટેશનમાં

હિંમતનગર : ઉત્તર ગુજરાતના વધુ એક જૈન સાધુ સેક્સ સ્કેન્ડલમાં ફસાયા છે અને તેમની સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે.ઈડર પાવાપુરી જલ મંદિરના સાધુ મહારાજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચ્યો છે. પાવાપુરી જલ મંદિરના રાજા સાહેબ ઉર્ફે રાજતીલક સાગર સામે નોંધાયેલી ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે,આઠ વર્ષ પહેલાં સાધુ મહારાજે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. આ અગાઉ પાવાપુરી જલ મંદિરના બે સાધુ મહારાજ સામે છેડતીની ફરિયાદ નોંધાઇ હતી.બે સાધુઓ પૈકી ના એક સાધુ સામે મંગળવારે મોડી રાત્રે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.અગાઉ બંને સાધુ મહારાજને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે શરતી જામીન આપ્યા
Read more

મહેસાણા નગરપાલિકાના રૂ.૧૦ કરોના વિકાસ કામોના ભુમિપૂજન,ખાતમુર્હુત, લોકાર્પણ કરાયું

મહેસાણા, 15 ઓગસ્ટ : મહેસાણા નગરપાલિકાના વિવિધ વિકાસ અને લોકપયોગી કામોના ખાતમુર્હુત,ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત મહેસાણા નાગલપુર ખાતે મ્યુનિસિપલ ફંડ અંતર્ગત સ્મશાન ડેવલપમેન્ટ કરવાનું કામ,મહેસાણા ખાતે ૧૪મા નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગત ભૂગર્ભ પમ્પીંગ સ્ટેશન (બીલાડી બાગ પરા વિસ્તાર) તેમજ સીવરેજ નેટર્વક બનાવવાનું કામ,મ્યુનિસિપલ હદ વિસ્તારમાં ટીપી-૦૪ના નગરપાલિકા હસ્તકના તમામ રીઝર્વ પ્લોટની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ તેમજ સોસાયટી સ્ટ્રીટ લાઇટની નિભાવણી તથા મેન્ટેનન્સ અને વીજ બીલ નગરપાલિકા દ્વારા ભરવાની યોજના લોન્ચ કરવામાં આવી હતી.નાયબ મુ્ખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ,રાજ્યસભા સંસદ જુગલજી લોખંડવાલા,ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,નગરપાલિકા પ્રમુખ નવીનભાઇ
Read more
1 12 13 14 15 16 18

Most Read