[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

પાલનપુરમાં રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ મળ્યો

પાલનપુર : પાલનપુરમાં એક બેજવાબદાર માતા નશામાં બેશુદ્ધ રહેતી હતી. જેનું એક માસનું બાળક મરવાનાં વાંકે રસ્તે રજળી રહ્યું હતું.ત્યારે 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનનાં મહિલા ટીમ મેમ્બરે આ બાળકની જવાબદારી લઈ પાલનપુર સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં સારવાર અર્થે દાખલ કર્યું છે.જન્માષ્ટમીના એક દિવસ આગળ જ બનેલી ઘટના જાણે રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ મળ્યો હોય એવી પ્રતિતિ કરાવી જાય છે. નિ:સંતાન દંપતી શેર માટીની ખોટ માટે પથ્થર એટલા દેવ કરી પૂજતા હોય છે. તો બીજી તરફ જેમને ત્યાં વ્હાલસોયા સંતાનો હોય છે તેવા કેટલાક માતા- પિતાને જાણે કઈ પડી જ હોતી નથી. હૃદય સ્પર્શી એક ઘટના જન્માષ્ટમીના એક દિવસ અગાઉ
Read more

ગુજરાત ACBનો વધુ એક સપાટો, લાંચીયા ઇજનેરને હજારોની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

ફરી એક વખત ગુજરાત ACBએ સપાટો બોલાવતા પોતાની કાર્યદક્ષતા સિદ્ધ કરી છે.અને લાંચીયારાજા એવા વધુ એક સરકારી આધિકારીને દબોચી લેવામાં આવ્યો છે.જી હા,આ વખત ગુજરાત ACBના ઝપટમાં બનાસકાંઠાનાં એક લાંચાયો ઇજનેર ચડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ દિયોદર,માર્ગ અને મકાન વિભાગના ઈજનેરને પાટણ ACBએ 42 હજારની લાંચ લેતા રંગા હાથ ઝડપ્યા છે.દિયોદર,માર્ગ અને મકાન વિભાગના ઈજનેર ડીસા પાટણ હાઇવે પર લાંચ લેતા ACBનાં હાથે ઝડપાયો છે.ઇજનેર દ્વારા રોડ રસ્તાના કામના બીલ મંજૂર કરવા લાંચ માંગવામાં આવી હતી અને લાંચનાં માગવામાં આવેલા પૈસા લેવા આવતા અને લાંચ લેતા ગુજરાત ACBએ ઝડપી પાડ્યા છે.
Read more

બનાસકાંઠામાં 50 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડઃ હાર્દિકનો આક્ષેપ

પાલનપુરઃ કોંગ્રેસના નવા કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વડનગરના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.તેમણે આ માટે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા છે.તેમણે કહ્યું છે કે મનરેગા મારફતે ગરીબ લોકોને રોજગાર અપાતી હોવાના સરકાર દ્વારા દાવા કરવામાં આવ્યા છે,પણ કોરોના રોગચાળા દરમ્યાન સરકારી અધિકારીઓની રહેમ નજર હેઠળ કરોડો રૂપિયા ચાંઉ થયા હોવાનો ગંભીર આક્ષેપ આ નેતાઓએ કર્યો છે. મનરેગામાં કૌભાંડની કાર્યપદ્ધતિ બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામમાં 10 કરોડના મોટા કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ આક્ષેપ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમ જ અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કર્યો છે.મનરેગામાં કામ
Read more

ગુજરાત ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, પાલીતાણામાં નવા-જૂની થવાના એંધાણ

ભાજપ દ્વારા સંગઠનની રચના કરવામાં આવી રહી છે ત્યારે ક્યાંકય ને ક્યાંક કાર્યકરો અને આગેવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે,ખાસ કરીને કોંગ્રેસ છોડીને મોટી આશાએ ભાજપમાં આવેલા આગેવાનોમાં ખાસ અસંતોષ જોવા મળી રહ્યો છે અને હવે સંગઠન રચના સમયે બહાર આવી રહ્યો છે. વાત છે પાલીતાણા સંગઠમાંમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આગેવાનોની,અઢી વર્ષ પહેલાં પાલીતાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ.પ્રમુખની વરણી કરવામાં આવી કોંગ્રેસની નગરપાલિકામાં બહુમતી હોય તેવા સંજોગમાં ભાજપની સત્તા સ્થાપવા માટે ભાજપ દ્વારા કોંગ્રેસ ઓમદેવસિંહ સરવૈયા સહિતના ચાર નગરસેવકોને તોડજોડની નીતિથી રાજકીય દાવપેચ રચી અને ભાજપમાં ભેળવી અને ભાજપની સત્તા સ્થાપવામાં આવી હતી. જો કે હવે જ્યારે હાલ ભાજપની સંગઠનની
Read more

મહેસાણા કોર્ટમાં કર્મચારીને કોરોના પોઝેટિવ આવતા કામકાજ બંધ કરાયું , સંકુલને સેનેટાઈઝ કરાયું

મહેસાણા, 16 જુલાઈ : મહેસાણા ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં કામ કરતા એક કર્મચારીનો કોરોના કેસ પોઝેટિવ આવ્યો છે આ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવતા તેના સંપર્કમાં આવેલા સહકર્મચારીઓ સહિત કોર્ટમાં સકમણ ન ફેલાય તે માટે કોર્ટનું કામકાજ બે થી ત્રણ દિવસ માટે બંધ કરવામા આવ્યું છે અને કોર્ટ બિલ્ડીંગને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું મહેસાણા પાલિકા દ્વારા કોર્ટને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું તેમજ હાલમાં કોર્ટમાં તકેદારીના ભાગ રૂપે પ્રવેશ અટકાવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા આ કર્મચારીના સંપર્કમાં આવેલા વ્યકિતઓનો સરવે શરૂ કરાયો છે.
Read more

ગુજરાતમાં ભાજપના કોર્પોરેટરના પિતાએ વ્યાજખોરોના આતંકથી આપઘાત કર્યો

લોકડાઉનમાં એક તરફ લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડે છે, તો બીજી તરફ વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે. વ્યાજખોરોએ પૈસા માટે દબાણ કરવાના કારણે લોકોએ આપઘાત કર્યો હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે,ત્યારે આ પ્રકારનો કિસ્સો બનાસકાંઠાના ડીસામાં સામે આવ્યો છે.ભાજપના કોર્પોરેટરના પિતાએ વ્યાજખોરોના ત્રાસના કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.આપઘાત કરતા પહેલા કોર્પોરેટરના પિતાએ એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતીં. હાલ સમગ્ર મામલે પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરીને જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરી હતી. રિપોર્ટ અનુસાર બનાસકાંઠાના ડીસામાં રહેતા જેસગ રાણા ચાની લારી ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા.જેસગ રાણાનો પુત્ર ડીસા વોર્ડ નંબર-1નો ભાજપનો કોર્પોરેટર છે. જેસગ રાણાએ
Read more

ઉ.ગુ.માં કોરોના ના વધુ 20 કેસ, એકનું મોત

મહેસાણા : ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ રહ્યો છે,ગુરુવારે અરવલ્લી જિલ્લામાં વધુ ૯,પાટણમાં પાંચ,બનાસકાંઠા અને મહેસાણામાં ત્રણ-ત્રણ મળીને એક જ દિવસમાં વધુ ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ઉત્તર ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોનો આંક વધીને ૭૮૩ થયો છે.ઉપરાંત મહેસાણા જિલ્લાના કડીનાં કોરોનાગ્રસ્ત આધેડ મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં ઉત્તર ગુજરાતમાં કુલ મોતની સંખ્યા પણ ૫૬ થઈ છે. મોડાસા : મોડાસા શહેરના ૭ સહિત જિલ્લામાં વધુ ૯ કેસ નોંધાતાં કુલ પોઝિટિવ કેસ ૧૭૧ થયા છે. પાટણ : પાટણ જિલ્લાના સરસ્વતીના જંગરાલની 58 વર્ષીય મહિલા, રાધનપુરની ધાર્મિક સોસાયટીમાં રહેતા 52 વર્ષીય પુરૂષ, પાટણના જકસીવાડા મહોલ્લાના 62 વર્ષીય પુરુષ, સિદ્ધપુરના તાહેરપુરાના 45
Read more

ઊંઝા પોલીસે પૂરવઠા વિભાગનું સસ્તા અનાજનું કૌભાંડ પકડ્યું, પૂરવઠા મંત્રીએ આપ્યા ખાતાકીય તપાસના સંકેત

મહેસાણા : જિલ્લાના ઉંઝા તાલુકા માં છેલ્લા કેટલાય સમયથી પુરવઠા તંત્રની રહેમ હેઠળ સસ્તા અનાજને વેચી મારવાનું કૌભાંડ ચાલતું હતું.આ કૌભાંડમાં અનેક કર્મચારીઓની મિલીભગત હતી જેને ઊંઝાના જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ રાઠોડ અને તેમની ટીમે રવિવારે ઊંઝાના કહોડા ગામ પાસે આવેલી પારસ ફ્લોર ફેક્ટરીમાંથી ઝડપી પાડયું હતું.જોકે આ કૌભાંડના સમાચાર ગાંધીનગર પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા સુધી પહોંચતા તેમને તરત જ કડક તપાસના આદેશો આપી પુરવઠા વિભાગની એક તપાસ સમિતિ નીમી હતી ત્યારે આ સમિતિ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થતા હજુ પણ કેટલાક કાળાબજારિયાઓના નામ ખૂલવાની શક્યતા દેખાઈ રહી છે. જોકે આ અનાજ કૌભાંડમાં સૌથી મોટો સવાલ નિયત નો છે.જે કામ
Read more

ઉ. ગુજરાતમાં વધુ 6 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા : વધુ બે વ્યક્તિના મોત

મહેસાણા : અરવલ્લી જિલ્લામાં ૩ અને મહેસાણા જિલ્લામાં ૩ એમ ઉત્તર ગુજરાતમાં બુધવારે વધુ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૬૬૭ થઈ છે.જ્યારે બુધવારે અરવલ્લીમાં એક અને બનાસકાંઠામાં એક મળીને વધુ બે મોત થતાં ઉત્તર ગુજરાતમાં કોરોનાથી મોતનો આંકડો પણ ૪૩ થઈ ગયો છે. મહેસાણા તાલુકાના ખદલપુર-બોરવેલનાં ૬૨ વર્ષનાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કડીના કરણનગરની એટલાન્ટાપાર્ક સોસાયટીના ૬૧ વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,અરવલ્લી જિલ્લામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો આંક ૧૩૯ પહોંચ્યો છે સાથે મોડાસા શહેરમાં જ ૪૮ કેસ નોંધાયા છે. મોડાસા શહેરમાં ખાનજી પાર્કમાં ૪૬ વર્ષના પુરુષ અને અંજુમન સોસાયટીમાં ૬૫ વર્ષના પુરુષ તેમજ
Read more

વેવાઈ-વેવાણના પ્રેમ પ્રકરણ નો કરુણ અંત, સજોડે કરી આત્મહત્યા

તાજેતરમાં સુરતના વેવાઈ-વેવાણની આખા દેશ માં ભારે ચર્ચાસ્પદ બની હતી અને હજુપણ તેની વાતો ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા વિસ્તાર ના ખેડબ્રહ્મામાં વેવાઈ-વેવાણ ના આવા જ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે પરંતુ દુઃખની વાત એછે કે ખેડબ્રહ્માની આ ઘટનામાં વેવાઈ- વેવાણે સજોડે આત્મહત્યા કરી લીધી છે. વડાલીના વેવાઈ વેવાણે દિધીયા ગામે જઈ આપઘાત કરી લેતા અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ખેડબ્રહ્માના વડાલી ગામના વેવાઈ-વેવાણે દિધીયા ગામે જઈને ગામની સીમમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી હતી.ખેડબ્રહ્મા પોલીસે આ ઘટનામાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.વડાલીના થેરાસણા ગામના બંને વેવાણ-વેવાઈ દિધીયા
Read more
1 13 14 15 16 17 18

Most Read