[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

વડોદરાના વધુ 8 કેસ ઉમેરાતા રાજ્યમાં કુલ કોરોનાના પોઝિટિવનો આંકડો 316

સિદ્ધપુર-નેદ્રા સહિતના ગામોને સીલ કરી દેવાયા : ઘરે-ઘરે સર્વે કામગીરી પાટણ, તા. ૧૦ : પાટણ જીલ્લામાં કોરોનાના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે ત્યારે આજે વધુ ર પોઝીટીવ કેસ સાથે પાટણ જીલ્લામાં કુલ ૧૪ પોઝીટીવ કેસ આવતા ખળભળાટ મચી ગયો છે.મુંબઇથી સિદ્ધપુરના ભીલવણ અને નેદ્રા ગામમાં આવેલા એક જ પરિવારના સભ્યોને કોરોના પોઝીટીવ આવ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં સર્વે કામગીરી અકિલા હાથ ધરવામાં આવી છે.સિદ્ધપુરના નેદ્રા ગામમાં એક સાથે ૧૦ પોઝીટીવ કેસ આવ્યા હતાં અને એક વ્યકિતનું મોત થયું હતું.ત્યાર બાદ કલેકટર શ્રી આનંદ પટેલની આગેવાનીમાં તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ માટે આરોગ્ય વિભાગની ૧૦૭ ટીમો દ્વારા
Read more

સિદ્ધપુર તાલુકો સીલ કરી દેવાયો : ઘરમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ, 5 કેસો નોંધાયા

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કોરોનાના એક સાથે ત્રણ કસ વધતાં કુલ પાંચ કેસ નોંધાતા સિદ્ધપુર તાલુકાને સીલ કરાયો છે. કોરોનાનો ચેપ ફેલાય નહીં તે માટે સિદ્ધપુર તાલુકાની તમામ બોર્ડરને સીલ કરાઈ છે. આ અંગે પાટણ કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. આજે કોરોનાના ત્રણ કેસ વધતાં સંક્રમણને અટકાવવા સિદ્ધપુર તાલુકાની બોર્ડરો સીલ કરવાનો હુકમ કરી દીધો છે. સિદ્ધપુરની બોર્ડર સીલ કરી દેવાઈ હાલમાં વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસ covid-19 ના કેસોનો ભારતમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા છે. જેથી નોવેલ કોરોના વાઇરસના સંક્રમણ ને અટકાવવા માટે લોકોની અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ
Read more

રાજ્યનાં પાટણમાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ, જિલ્લામાં કુલ 5 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો તાંડવ હવે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો છે. ત્યારે પાટણ માટે આજે ખરાબ સમાચાર આવ્યાં છે. પાટણમાં આજે નવા ત્રણ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટીવનોઆંકડો પાંચ થયો છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો આજે નોંધાયેલા ત્રણેય કેસ સિદ્ધપુર તાલુકામાં આવેલા નેદ્રાના વતની છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનો એક યુવક 15મી માર્ચે મુંબઈથી સિદ્ધપુર આવ્યો હતો આ ત્રણેય તેમના સંબંધી છે. મુંબઇથી આવેલા યુવકને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો ન હતો. પરંતુ
Read more

મહેસાણા જિલ્લામાં વધુ 13 કોરોના શંકાસ્પદ વ્યકિતના સેમ્પલ પૈકી 12 નેગેટિવ આવ્યાં, એકનો રિપોર્ટ પેન્ડિંગ

રાજસ્થાનનાં એક વૃદ્ધા સહિત જિલ્લામાં કુલ 29 શંકાસ્પદનાં સેમ્પલ ટેસ્ટ કરાયાં મહેસાણા, મહેસાણા જિલ્લામાં શુક્રવારે રાત્રે વધુ ૧૨ કોરોના શંકાસ્પદ દર્દીઓનાં સેમ્પલ લેવાયાં હતાં, જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે શનિવારે રાજસ્થાનથી સારવાર માટે આવેલાં ૭૬ વર્ષિય મહિલાનું સેમ્પલ લેવાયું હતું તેનો રિપોર્ટ પેન્ડીંગ છે. આમ મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કોરોના શંકાસ્પદ કુલ ૨૯ દર્દીઓનાં સેમ્પલ લેવાયાં હતાં, જેમાંથી ૨૮ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે ૨૯ સેમ્પલની વિગત જોઈએ તો, મહેસાણા જિલ્લામાં અગાઉ કોરોના અંગેની ખાસ બનાવેલી સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાંથી ૧૩ અને વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાંથી ૩ મળીને કુલ ૧૬ સેમ્પલ લેવાયાં હતાં, જે નેગેટિવ આવ્યાં હતાં. શુક્રવારે રાત્રે
Read more

પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતાં ખળભળાટ

મૂળ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના અને સિદ્ધપુરમાં રહેતા શખ્સને કોરોના પોઝીટીવ : 19 માર્ચે મુંબઇથી સિદ્ધપુર સ્થિત બહેનના ઘરે આવ્યો હતો સિદ્ધપુર પાટણ જિલ્લામાં કોરોનાનો કોઈ પણ કેસ પોઝિટિવ ના આવતા જિલ્લાવાસીઓમાં હાશકારો અનુભવ્યો હતો. પરંતુ શનિવારે સિદ્ધપુરમાં તમન્ના સોસાયટીમાં રહેતા 47 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે. જેને લઈ તંત્ર દ્વારા આરોગ્યની જુદી-જુદી છ ટીમો બનાવી સોસાયટી વિસ્તારમાં મેડિકલ ચેકઅપ તપાસ હાથ ધરી હતી તેમજ આખી સોસાયટીને પોલીસના બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના વતની અને મુંબઈથી 19 માર્ચે સિદ્ધપુર ખાતે આવેલ 47 વર્ષીય લુકમાનભાઈ અબ્દુલ રહીમ અરેડિયા વાળા તાવ-શરદી ખાંસીના
Read more

રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા લોકોની દયનીય હાલત

શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું છે. આ ધામથી 7 કિલોમીટર દુર રાજસ્થાન સરહદ આવેલી છે. રાજસ્થાન પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસથી રાજસ્થાન સરહદ સીલ કરવામાં આવતા અને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ હોઈ આ લોકો ચાલતા ચાલતા પોતાના વતન તરફ જઈ રહ્યા છે. અમુક લોકો તો 200 કિલોમીટર દૂરથી ચાલીને રાજસ્થાન બોર્ડરથી ગુજરાત રાજ્યની સરહદમાં પ્રવેશે છે, આ લોકોએ જણાવ્યું હતુ કે, રસ્તામાં અમને ક્યાંય પણ જમવાનું મળતું નથી અને સંપૂર્ણ દેશ બંધ હોઇ આ લોકો જીવના જોખમે પોતાના વતન તરફ ચાલતા ચાલતા દોટ લગાવી રહ્યા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, છાપરી રાજસ્થાન બોર્ડરથી આજે સવારે અને
Read more

સરકારના અધિક મદદનીશ ઇજનેરોને 38 વર્ષની નોકરી બાદ પણ બઢતીમાં અન્યાય

વિભાગના મંત્રી સુધી રજૂઆતો કરાયા બાદ પણ ન્યાય ન મળતા ઇજનેરોમાં રોષ : વિભાગોના વડાઓને સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર કરે તેવી અપેક્ષા હિંમતનગર ગુજરાત સરકારના સિંચાઇ વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેરોને ૩૮ વર્ષની નોકરી બાદ પણ બઢતીમાં અન્યાય કરાતા ઇજનેરોમાં ભારે અસંતોષ સાથે રોષની લાગણી પ્રવર્તવા પામી છે. વિભાગના મંત્રી સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ સચિવાલય કક્ષાના અધિકારીઓની આપખુદશાહીના કારણે રાજયના ઘણા ઇજનેરોને બઢતી મેળવ્યા વિના અન્યાય સહન કરી સેવામાંથી વયનિવૃત્ત થવુ પડયુ હોવાનું આક્રોશ રાજયના અધિક મદદનીશ ઇજનેર મંડળના અગ્રણીએ વ્યકત કર્યો છે અને સામાન્ય વહીવટ વિભાગ દરમિયાનગીરી કરી તમામ
Read more

મહેસાણા પાલિકાનાં કોંગ્રેસના 16 કોર્પોરેટરોને પક્ષાંતરધારાની નોટિસ

નામોદિષ્ટ અધિકારીએ નોટિસ પાઠવીને 3 એપ્રિલે હાજર રહેવા તાકીદ કરી મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરીને સમર્થન કરનાર કોંગ્રેસના ૧૬ કોર્પોરેટરોને ગાંધીનગરના નામોદિષ્ટ અધિકારીએ નોટિસ પાઠવી વધુ સુનાવણી માટે આગામી ત્રીજી એપ્રિલે હાજર રહેવા તાકીદ કરી છે. તાજેતરમાં મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી સામે કોંગ્રેસનાં જ ૧૭ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી. અવિશ્વાસ દરખાસ્ત સંદર્ભે મળેલી ખાસ સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા વ્હીપ જારી કરીને અવિશ્વાસ દરખાસ્તના વિરોધમાં મતદાન કરવાનો આદેશ કરાયો હતો. તેમ છતાં કોંગ્રેસનાં ૧૬ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરતાં ઘનશ્યામ સોલંકીએ પ્રમુખપદ ગુમાવવું પડ્યું હતું. તેથી શહેર કોંગ્રેસ પ્રમુખે વ્હીપનો અનાદર
Read more

પાલિકાના 62 લાખ યસ બેન્કમાં સલવાયા

મહેસાણા પાલિકાના 52 લાખના વ્યાજ સાથે 62 લાખ થયાનું અનુમાન રિઝર્વ બેન્ક દ્વારા યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરાતાં થાપણદારો, ખાતાધારકોમાં દોડધામ મચી ગઈ છે તેવામાં મહેસાણા નગરપાલિકાના પણ રૂપિયા ૬૨ લાખ યસ બેન્કમાં સલવાયા હોવાનું જાણવા મળતાં ખળભળાટ મચી ગયો છે. પાલિકાના આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સેવિંગ્સ ખાતામાં મૂકેલાં રૂપિયા 52 લાખના વ્યાજ સાથે હાલમાં રૂપિયા ૬૨ લાખ થયા છે. પરંતુ બેન્ક ફડચામાં જતાં આ નાણાં પરત મળશે કે કેમ તેમજ સરકારી સંસ્થાઓના નાણાં રાષ્ટ્રીયકૃત બેન્કમાં મૂકવાની ગાઈડલાઈન હોવા છતાં પ્રાઈવેટ બેન્કમાં રોકાણ કરવા અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ફડચામાં ગયેલી યસ બેન્કનાં ખાતાધારકોને હવે માત્ર ૫૦
Read more

અંબાજીમાં થીમપાર્કનું ભૂમિપૂજન થયે છ વર્ષ થયાં : હજુ સુધી પાયો જ નથી નંખાયો!

ગબ્બર શક્તિપીઠ નજીક બે કરોડના થીમપાર્કનું યાત્રિકોનું સ્વપ્ન અધૂરું  અંબાજી યાત્રાધામ અંબાજીમાં છ વર્ષ પૂર્વે ગબ્બર શક્તિપીઠ નજીક રૂપિયા બે કરોડના ખર્ચે થીમપાર્ક બનવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પરંતુ આજ સુધી આ ભૂમિ ઉપર હજુ થીમપાર્કનો પાયો જ નંખાયો નથી. જેને લઈને તર્ક વિતર્કો થઈ રહ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વધતી યાત્રિકોની જનસંખ્યાને ધ્યાને લઈ  સરકાર દ્વારા અનેક વિધ વિકાસલક્ષી અને પર્યટક સ્થળ લક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેના ઉદાહરણ સ્વરૂપ અંબાજી શક્તિપીઠ ગબર પર્વત ફરતે એકાવન શક્તિ પીઠનું નિર્માણ કરી યાત્રાધામ અંબાજીમાં આવતા સેંકડો શ્રદ્ધાળુઓને એકાવન શક્તિપીઠનો લાભ મળી શકે. આ શક્તિ પીઠોના લોકાર્પણ પૂર્વે જ સરકાર
Read more
1 15 16 17 18

Most Read