[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના આંતરિક જુથવાદના પગલે કોંગ્રેસ પ્રમુખને પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી

હેસાણા :મહેસાણાથી મોટા સમચારા સામે આવ્યા છે. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના આંતરિક જૂથવાદના પગલે કોંગ્રેસ પ્રમુખને પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી છે. 17  સભ્યોએ બાગી કોંગ્રેસના કોર્પોરેટર સાથે પાલિકા પ્રમુખ સામે અવિસવાસની દરખાસ્ત મૂકી હતી. ત્યારે આજે સાધારણ બોર્ડમાં પાલિકામાં કોંગ્રેસ દ્વારા  વ્હીપ મૂકવામાં  આવ્યો હતો. 29 સભ્યોએ એક તૃતિયાંશ બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પાલિકામાં પાસ કરાઈ છે. 11 સભ્યોએ કોંગ્રેસના પાલિકા  પ્રમુખને ટેકામાં મતદાન કર્યું છે. 11 કોંગ્રેસ 4 બાગી, ભાજપના 14 સભ્યોના ટેકાથી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પાસ કરવામાં આવી છે.  ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસમાંથી આવેલ 5 સભ્યો હવે પાલિકામાં પોતાની સત્તા સાંભળે તેવા એંધાણ લાગી રહ્યાં છે. તો
Read more

ધમર્શાળામાં અસામાજિક તત્વોની શિવમંદિરમાં તોડફોડ : શિવલિંગને ઉખાડીને ઝાડીઓમાં ફેંકી દીધું : ભારે આક્રોશ

-વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળે એસપીને આવેદન આપ્યું : આરોપીઓ સામે કડક પગલાંની માંગણી ધર્મશાલા:ધર્મશાળાના વોર્ડ નંબર -17 સિદ્ધપુરમાં અજાણ્યા લોકો દ્વારા શિવલિંગ તોડી નાખ્યું હતું જેના વિરોધમાં બજરંગ દળે ડીપીજી રાજ્ય પોલીસને આવેદન પત્ર પાઠવ્યું  હતું બીજીતરફ પીલસે સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.અસામાજિક તત્વોએ શિવલિંગ તોડીને બાજુની ઝાડીઓમાં ફેંકી દીધું હતું દેવામાં આવ્યું. સ્થાનિક અકિલા લોકોએ રાત્રે જ પોલીસને જાણ કરી હતી, જેના આધારે પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડીજીપીને મોકલેલા આવેદનપત્રમાં  બજરંગ દળે માંગ કરી છે કે આવા હિન્દુ વિરોધી તત્વો સામે એફઆઈઆર નોંધીને યોગ્ય પગલા લેવામાં આવે જેથી આગામી સમયમાં દેવભૂમિનું
Read more

શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન અંતર્ગત અંબાજીની પસંદગી થઇ

અંબાજીમાં રૂ.16.67 કરોડના વિવિધ કામો હાથ ધરાયા   શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત યાત્રાધામ અંબાજીની પસંદગી કરવામાં આવી છે. જે અંર્તગત અંબાજીમાં રૂ. ૧૬.૬૭ કરોડના વિવિધ કામો હાથ ધરાયા છે.શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન યોજનાનો મુખ્ય હેતુ ગામના સમૂહને માળખાકીય, આર્થિક, સામાજીક સવલતો પુરી પાડવાનો છે. જેથી ગામનાં જુથો તેમજ તેમના આસપાસના વિસ્તારોની સુખાકરીમાં વધારો થાય તે હેતુસર પ્રધાનમંત્રી દ્વારા તા. ૨૧ ફેબ્રુઆરી-૨૦૧૬ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. જેમાં ફેઝ-૧ માં બનાસકાંઠા જિલ્લાનાં પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી કલ્સ્ટરની પસંદગી કરાઇ છે. હાલમાં ફેઝ-૧, ૨ અને ૩ના ૧૫ જિલ્લાઓના કુલ ૧૬ કલસ્ટરની પસંદગી કરાઇ છે. આ યોજનાનો મુખ્ય
Read more

થરાદની કેનાલના જૂના ફોટા બતાવી ડાયરેકટરને ઊઠાં ભણાવતાં નર્મદાના અધિકારીઓ

પાતિયાસરાના કેટલાક ખેડૂતો પાસે પાણી મળતું હોવાનું લેખિત લખી લેવાયું હતું થરાદ તાલુકાના જામપુર ડિસ્ટ્રીમાંથી નીકળતી પાતીયાસરા કેનાલમાં છેલ્લા બે વર્ષથી પાણી મળતું ન હોવાથી ખેડૂતોમાં રોષ છે. આ અંગેનો અહેવાલ નવ ગુજરાત સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેનો અધિકારીઓના પગ તળે રેલો આવ્યો હતો. જેમણે નહેરમાં પાણી છોડવાને બદલે નહેરમાં પાણી વહેતું હોય તેવો જૂનો ફોટો ડાયરેકટરને બતાવી ઉઠા ભણાવવામાં આવતા હોવાનો પર્દાફાશ થતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. થરાદ તાલુકાની પાતીયાસરા કેનાલમાં છેલ્લા બે વર્ષથી પાણીનું એક ટીંપુ પણ આવ્યું ન હોવાનો અહેવાલ નવ ગુજરાત સમયમાં
Read more

હિંમતનગર તા.પં.માં કોંગ્રેસ લઘુમતીમાં મૂકાઇ

તા. પં.સદસ્ય અંકિત પટેલે કોંગ્રેસની કાર્યરીતિથી રાજીનામું આપતાં પાર્ટીનું સંખ્યાબળ 12 માં સમેટાયું   સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેમ અનેક વિવાદો વચ્ચે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાંથી સત્તા હાથમાં સરકી રહી છે ત્યારે હિંમતનગર તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના કાંકણોલ-ર બેઠકના ચૂંટાયેલા સદસ્યએ નારાજગી દર્શાવી રાજીનામુ ધરી દેતા તાલુકા પંચાયતના રાજકારણમાં ફરી ભકડો થયો છે. તાજેતરમાં જ કોંગ્રેસના બે સભ્યો પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠર્યા હતા તો સોમવારે બીજી તરફ કોંગ્રેસે તાલુકા પંચાયતના પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી તેવા જ સમય તા. પં.ની સવગઢ-ર બેઠક પરથી ચૂંટાયેલા એક સદસ્યનું સોમવારે આકસ્મિક નિધન થયુ હતું. આમ તાલુકા
Read more

પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ 11 ભાજપના, 2 અપક્ષ સભ્યોએ રાજીનામાં આપ્યાં 

ડીસા નગરપાલિકામાં ચૂંટાયેલા 13 સભ્યોએ વિવિધ સમિતિના ચેરમેનપદેથી રાજીનામાં ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. નગરપાલિકા પ્રમુખના વહીવટથી નારાજ થઈ સામુહિક નિર્ણય લીધો હતો. વ્યાપારી મથક ડીસામાં રાજકીય વિવાદ દિનપ્રતિદિન વધી રહ્યો છે.ત્યારે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં પણ છેલ્લા એકાદ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકામાં હાલ પ્રમુખ તરીકે ભાજપના શિલ્પાબેન માળી વહીવટ કરી રહ્યા છે. એમના વહીવટ સામે નારાજગી દર્શાવી ભાજપના સિમ્બોલ પરથી ચૂંટાયેલા અગિયાર અને બે અપક્ષ સભ્ય મળી કુલ તેર સભ્યોએ વિવિધ સમિતિના ચેરમેનપદેથી રાજીનામુ શહેર ભાજપ પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટને ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. છેલ્લા એકાદ વર્ષથી પ્રમુખ સામે સભ્યોમાં અસંતોષ હતો. અને
Read more
1 16 17 18

Most Read