[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

અમિતભાઈ શાહે કલોલના ગામમાં તળાવનું ખાતમુહૂર્ત કર્યું

– ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં ૬ કરોડ રૂપિયાના ખર્ચે તળાવનું નવીનીકરણ કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે ગઈ કાલે ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં ૬ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.અહીં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના કોઈ પણ ગામનાં તળાવો એકબીજા સાથે લિંક છે.પૂર્વજોએ તળાવનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે કોઈ પણ ગામના તળાવનું પાણી ઊભરાય તો અન્ય ગામના તળાવમાં પાણી જાય,પરંતુ આઝાદી પછી કોઈએ આ તળાવના એકબીજાના જોડાણ કરતા આવરા કે માર્ગની સફાઈની ચિંતા કરી નહોતી,જેને કારણે તળાવો સુકાવા લાગ્યાં,તળાવ નજીક કચરાના ઢગલા થવા લાગ્યા.ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા કનૅલની સુચારુ વ્યવસ્થા ગોઠવી
Read more

ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ જંગ

મહેસાણામાં નુગર ગામે એકઠા થયેલા જુદા-જુદા સમાજે એક અવાજે કહ્યું : લવ જેહાદને દૂર કરો, આ દૂષણ બંધ કરો : જુદા-જુદા સમાજના પ્રતિનિધિઓ તેમના સમાજના વિધાનસભ્યોને મળશે અને સરકારમાં દરખાસ્ત કરશે ઉત્તર ગુજરાતના મહેસાણા પાસે આવેલા નુગર ગામે ગઈકાલે લવ જેહાદના મુદ્દે ૨૫થી વધુ જ્ઞાતિના પ્રતિનિધિઓ એકઠા થયા હતા અને આ જુદા-જુદા સમાજે એક અવાજે લવ જેહાદને દૂર કરો, આ દૂષણ બંધ કરો એવી માંગણી બુલંદ કરીને લવ જેહાદના મુદ્દે મનોમંથન કરી ઠરાવો કર્યો હતા.એટલુ જ નહીં, પરંતુ લવ જેહાદના મુદ્દે કરેલા ચાર ઠરાવો વિશે ગુજરાત સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. ચોરાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુ પટેલે કહ્યું હતું કે
Read more

અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રત્યેક શક્તિપીઠ પર તિરંગો લહેરાયો

– ભારત પુનઃ અખંડ ભારતવર્ષ બને એ પ્રાર્થના માં અંબાના ચરણોમાં કરી શક્તિપીઠો પર ત્રિરંગો ફરકાવ્યો બનાસકાંઠા, તા. 14 ઓગષ્ટ 2022, રવિવાર : આસ્થા તીર્થ અંબાજી અનેરી આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે.દેશ-વિદેશના અનેક શ્રધ્ધાળુઓ મા અંબાના ચરણોમાં આવી ધન્યતા અનુભવે છે.ધાર્મિક ક્ષેત્રે ઉન્નત અને આગવું સ્થાન ધરાવતું અંબાજી સાંપ્રત સમયમાં ગબ્બર પર્વત ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમા પથના લીધે વિશેષ બન્યું છે.51 શક્તિપીઠ પરિક્રમા પથ પર ભારતના વિવિધ રાજ્યો અને પ્રાચીન સમયમાં ભારત જ્યારે અખંડ ભારત હતું એ સમયે આવેલા શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે.અહીં એક જ પરિક્રમા પથ પર શ્રધ્ધાળુઓને આ તમામ શક્તિપીઠોના દર્શનનો લાભ મળે છે. આજે જ્યારે સમગ્ર
Read more

પૂર્વ DYCM નીતિન પટેલને ગાયએ અડફેટે લીધા, ઢીંચણના ભાગે ઇજા થતા હોસ્પિટલ લઇ જવાયા

રખડતા ઢોરના (Stray cattle) આતંકથી અત્યાર સુધી સામાન્ય પ્રજા તો ત્રસ્ત હતી, પણ હવે તો સરકારના જ એક નેતાને રખડતા ઢોરે અડફેટે લીધા છે.મહેસાણા જિલ્લાના કડીમાં તિરંગા રેલી દરમિયાન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા.કડીના કરણપુર શાક માર્કેટ નજીક ગાયે નીતિન પટેલને હડફેટે લેતા ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે.જેથી પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લાના કડીના જાહેર માર્ગો પર મોટી સંખ્યામાં ગાયો અને આખલાઓ અડિંગો જમાવીને બેસી રહે છે.આ જાનવરો આવતા જતાં રાહદારીઓ તેમજ વાહન ચાલક પર હુમલો કરી તેમને ઘાયલ કરી દેતા હોય છે.જેનો ભોગ આજે
Read more

ભાજપ શાસિત આ પાલિકામાં ભષ્ટ્રાચાર, હોદ્દેદારો ટકાવારી લેતા હોવાનો ઓડિયો વાયરલ

બનાસકાંઠા : પાલનપુર પાલિકાના ભાજપ સદસ્યોની ઓડિયો ક્લિપ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.પાલનપુર નગરપાલિકામાં ટકાવારી મામલે જીલ્લા પ્રભારીને રજુઆત કરવા અંગેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.મહિલા નગરસેવકના પતિ અને નગરસેવકનો ઓડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.પાલિકાના ઉપપ્રમુખ હસમુખ પઢિયાર અને પૂર્વ પ્રમુખ પતિ સંજય જાની વિરુદ્ધમાં રજુઆત કરતો ઓડિયો વાયરલ થયો છે. પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર નગરસેવક સાગર માલી અને નગરસેવીકા જાગૃતિ પંડ્યાના પતિ વચ્ચે થયેલી વાતચીતના ઓડિયોથી રાજકારણ ગરમાયું છે.પાલિકામાં ખોટા ઠરાવ અને ટકાવારીની વાતો આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહી છે.ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ ઉપપ્રમુખ વિરુદ્ધ જીલ્લા પ્રભારી નંદાજી ઠાકોરને રજુઆત કરી છે.પાલનપુર પાલિકા
Read more

લો બોલો ! માલપુર મામલતદારનો વિચિત્ર પત્ર વાઇરલ : રેવન્યૂ તલાટીને ટ્વીટર પર રોજ 10 ફોલોઅર્સ વધારવાનો ટાર્ગેટ આપ્યો

મોડાસા : માલપુર મામલતદારનો વિચિત્ર પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.પત્રમાં કચેરીમાં ફરજ બજાવતા રેવન્યૂ તલાટીને સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટરમાં રોજના 10 નવા ફોલોઅર્સ વધારવાનો આદેશ આપ્યો છે.ત્યારે આ પત્ર વાઇરલ થતા ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. 10 ફોલોઅર્સ વધારવાનો ટાર્ગેટ આપ્યો વધુમાં પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જે તારીખે જેટલા ફોલોઅર્સ અનફોલો કરે તેના બીજા દિવસે 10 ઉપરાંત અનફોલો કરનારની સંખ્યા ઉમેરતાં જે આંકડો થાય તેટલા ફોલોઅર્સ વધારવાનો લક્ષ્યાંક રહેશે અને આ અંગેની જાણકારી દરરોજ મામલતદારને કરવાની રહેશે.   કાર્યવાહી કરવાની જરૂર લાગતી નથી : કલેક્ટર આ અંગે અરવલ્લી કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, ‘આ મામલે કોઇ
Read more

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભાજપ સમર્થક ડેપ્યૂટી સરપંચનો અશ્લીલ વીડિયો વાયરલ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડેપ્યુટી સરપંચનો અશ્લીલ ચેનચાડા કરતો વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.રાજકીય વગ ધરાવતા માલપુરના ડેપ્યુટી સરપંચનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઇ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ ડેપ્યુટી સરપંચ ભાજપ સમર્થક છે.ડેપ્યુટી સરપંચનો 3 મીનીટ જેટલો લાંબો વિડીયોમાં સ્વરૂપવાન યુવતિ સાથે અશ્લીલ ચેનચાડા કરતા જોવા મળે છે.તેમજ યુવતીને અશ્લીલ ઇશારા કર છે.સામે યુવતી નગ્ન અવસ્થામાં અશ્લીલ હરકતો કરતી જોવા મળે છે.સોશિયલ મિડીયમાં હનિ ટ્રેપમાં ફસાવતી ગેંગ નામી વ્યક્તિઓને ટાર્ગેટ બનાવીને તેમના અશ્લીલ વિડીયો કેપ્ચર કરીને તેમની પાસે પૈસાની માંગ કરતા હોય છે.ફેસબુકના માધ્યમથી આ પ્રકારની ગેંગ સક્રીય હોય છે.આ પ્રકારની ગેગની યૂવતી
Read more

પાલનપુરના ઈરફાન શેખે નૂપુર શર્મા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી, નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો

ઈરફાન શેખે નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરતા ફરજમુક્ત કરાયો છે. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા સંસ્થાએ ઈરફાન શેખ વિરુદ્ધ પગલા લીધા છે.પાલનપુરના ઈરફાન શેખે નૂપુર શર્મા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા નોકરીમાંથી કાઢી મુક્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.નુપુર શર્મા વિવાદ બાદ દેશ સહીત ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા હતા. મળતી માહિતી પ્રમાણે ખાનગી નોકરી કરતા પાલનપુરના ઈરફાન શેખે નુપુર શર્મા વિરુદ્ધ ટીપ્પણી કર્યા બાદ તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.ઈરફાન શેખે નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરતા ફરજમુક્ત કરાયો છે.સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા સંસ્થાએ ઈરફાન શેખ વિરુદ્ધ પગલા લીધા છે.આ ઉપરાંત રાજકોટમાં નૂપુર શર્મા એરેસ્ટના પોસ્ટર
Read more

બળતામાં ઘી હોમાયું ! ભાજપ હિન્દુઓને મુસલમાનો વિરુદ્ધ ભડકાવે છે : ઓવૈસી

બનાસકાંઠા : વડગામના મજાદર નજીક AIMIMના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને અનુલક્ષીને જંગી સભાને સંબોધતાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું હતું કે ભાજપ હિન્દુઓને મુસલમાનો સામે ભડકાવે છે,જ્યારે કોંગ્રેસની ચુપકીદી પર તેમણે સવાલો કર્યા હતા.ઓવૈસીએ પાર્ટીના ઉમેદવારને વડગામ સીટ ઉપરથી જીતાડવા માટે હાકલ કરી હતી તેમણે કેન્દ્ર પર પણ આકરા પ્રહારો કર્યા હતા.તેમને સાંભળવા મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.તેમણે આ પહેલાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવા પર હુંકાર કર્યો હતો. તેમણે જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે હું અલ્લાથી ડરું છું, કોઈ મોદી અને યોગીથી નથી ડરતો.તેમણે વધુમાં કહ્યું હતું કે
Read more

કોંગ્રેસ NGO બની ગઈ છે, વિકાસ કરવા ભાજપમાં જોડાઈ રહ્યો છું : અશ્વિન કોટવાલ

– કોટવાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમા બેન આચાર્યને રાજીનામુ સોંપ્યું છે સાબરકાંઠા, તા. 03 મે 2022, મંગળવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા.ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.અશ્વિન કોતવાલે જણાવ્યું કે, તેઓ 2007માં જ ભાજપમાં જોડાવાના હતા. તેમણે આગળ કહ્યું કે, હું કોંગ્રેસમાં 3-3 વાર ચૂંટાયો છું પરંતું નરેન્દ્ર મોદી મારા દિલમાં વસેલા છે. રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.તેમ તેમ પક્ષપલટો વધી રહ્યો છે.વિધાન સભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતના આદિવાસી પંથકમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.એક સાંધેને તેર તૂટે
Read more
1 2 3 4 5 6 18

Most Read