[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

નવસારી ખાતે મુખ્યમંત્રી ના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં ગરમીથી અકળાઈ ઉઠેલા લોકોએ ચાલુ સભાએ ચાલતી પકડી

નવસારી : હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગે પણ હિટ વેવ ની આગાહી કરી છે તેવામાં નવસારી ખાતે વિકાસના લોકઉપયોગી કાર્ય ના ખાતર્મુહત માટે આવેલ મુખ્યમંત્રીને લોકોની ગરમીનો અહેસાસ થયો હતો.નવસારી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઘરેચ ખાતે ટાઈડલ ડેમના ખાતમૂહુર્ત પ્રસંગમાં હાજર રહ્યા હતા.જેમાં કાર્યક્રમમાં નિર્ધારિત સમય કરતાં સીએમ આશરે દોઢ કલાકથી વધુ સમય મોડા પહોંચ્યા હતા જ્યાં સભા સ્થળમાં ગરમીથી અકળાયેલા લોકોએ ગરમી સહન ન થતા ચાલુ સભાઈ ચાલતી પકડી હતી.કાર્યક્રમ મુજબ બપોરે 12:15 વાગ્યે મુખ્યમંત્રી એ સભાસ્થળ પર પહોંચવાનું હતું.પરંતુ તેનાથી આશરે દોઢ કલાકથી વધુ સમય વીતી ગયા બાદ પણ મુખ્યમંત્રી ન આવતા સ્થાનિક નેતાઓ
Read more

મહેસાણા : સાંથલ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ

મહેસાણા : મહેસાણાના સાંથલ પોલીસ મથકમાં આજે એક મહિલા કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.સાંથલ પોલીસ મથકમાં ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતા આશાબેન કાનજીભાઈ નામના મહિલા કોન્સ્ટેબલ 2500 રૂપિયાની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા હતા.મળતી માહિતી મુજબ મહિલા કોન્સ્ટેબલ ફરિયાદી નો મુદ્દામાલ છોડાવવા લાંચ માગી હતી. સાંથલ પોલીસ મથકમાં પોલીસે જુગાર ધારા હેઠળ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.જેમાં પોલીસે આરોપીઓનો મુદ્દામાલ કબ્જે કર્યા હતા.એ છોડાવવા માટે આરોપી મહિલા કોન્સ્ટેબલે,ફરિયાદી પાસે રૂપિયા 2500ની લાંચ માંગી હતી,જ્યાં ફરિયાદીએ મહેસાણા અસીબી જે જાણ કરતા અસીબી એ છટકું ગોઠવ્યું હતું,જેમાં ફરિયાદી પાસેથી મહિલા પોલીસ કોન્સ્ટેબલે લાંચની રકમ સ્વીકારતા
Read more

અરવલ્લીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ત્રણ લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

અરાવલી : એન્ટી કરપ્શન બ્યુરોએ ગુરૂવારે લાંચ લેતા ત્રણ સરકારી કર્મચારીઓને ઝડપી પાડ્યા છે.એસીબી એ અરાવલી જિલ્લાના ધનસુરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વર્ગ-2) હિતેન્દ્ર ફુલેત્રા,વિરાંજલી નર્સરી નવલપુરના કાયમી રોજમદાર (વર્ગ-4) વિક્રમ દેસાઈ અને કાયમી રોજમદાર (વર્ગ-4) રમેશ પરમારની ધરપકડ કરી છે.એસીબી એ આ ત્રણેયને ધનસુરા તાલુકાના વડાગામ ખાતે ચિત્રકલા સ્ટુડિયોની આગળ ચાની કિટલી પાસે લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એન્ટી કરપ્શન બ્યુરોએ ગુરૂવારે લાંચ લેતા ત્રણ સરકારી કર્મચારીઓને ઝડપી પાડ્યા છે.એસીબી એ અરાવલી જિલ્લાના ધનસુરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વર્ગ-2) હિતેન્દ્ર ફુલેત્રા,વિરાંજલી નર્સરી નવલપુરના કાયમી રોજમદાર (વર્ગ-4) વિક્રમ દેસાઈ અને કાયમી રોજમદાર (વર્ગ-4) રમેશ પરમારની ધરપકડ કરી છે.એસીબી એ આ
Read more

પોરબંદરમાં પણ ધંધુકાવાળી કરવાની ફિરાકમાં હતા આરોપી,પોલીસમાં કરેલી અરજીમાં મહિલા જજનો પણ ઉલ્લેખ

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ થયેલા એક બાદ એક ખુલાસામાં પોરબંદરના સાજણ ઓડેદરાનું નામ પણ પ્રકાશમાં આવ્યું જેમાં એવો ખુલાસો થયો કે પકડાયેલા આરોપીઓ દ્વારા પોરબંદરના સાજણ ઓડેદરાની પણ હત્યાનું કાવતરું ઘડાયું હતું.જેથી આ ખુલાસા બાદ સાજણ ઓડેદરાની એડવોકેટ બહેને પોલીસમાં અરજી કરી છે.જેમાં પોરબંદર જિલ્લા પોલિસ અધિકારીને લખેલા પત્રમાં આ કાવતરામાં પોરબંદરના યુસુફ એહમદ પૂજાણીનો હાથ હોવાનો પણ પત્રમાં ઉલલેખ કરાયો છે. પોરબંદરમાં 20 વર્ષથી આતંકી કૃત્યો થાય છે તેમાં સત્તાર મોલાના અને યુસુફ પૂજાણીનો હાથ હોવાનું આ પત્રમાં સ્પષ્ટપણે લખાયું છે.સત્તાર મોલાના ઉંમરને કારણે નિવૃત છે એમનો કારોબાર યુસુફ પૂજાણી સંભાળતા હોવાનું આ પત્રમાં જણાવાયું છે.આ સાથે યુસુફ
Read more

ખેડૂતો ચિંતાતૂર : આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી,ઘઉં, રાયડો, ચણા, એરંડા જેવા પાકોમાં નુકશાન થવાની ભીતિ

મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ઠંડીના પ્રભુત્વમાં સાધારણ ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે 28 ડિસેમ્બરે બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા,પાટણ,કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી.પરંતુ બુધવારથી લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો અનુભવાશે.બીજી તરફ ફરીવાર માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.ત્યારે બટાટા,વરિયાળી અને જીરુંમાં ફૂગ સહિતનો રોગચાળો આવવાની દહેશત રહેલી છે.રાજકોટ અને પોરબંદર સહિત કચ્છમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઘઉં,રાયડો,ચણા,એરંડા,જીરું જેવા પાકોમાં નુકશાન થવાની ભીતિ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાન
Read more

ગુજરાતનું સૌથી’વૃદ્ધ’ ગામ:1100ની વસતિમાંથી 300 વિદેશમાં,57 વર્ષના સરપંચ સૌથી નાની ઉંમરના,બધા એક રસોડે જમે છે

મહેસાણા : મહેસાણાનું ચાંદણકી ગામ એક શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ પાડી રહ્યું છે.અંદાજે 1100ની વસતિવાળા આ ગામના 300થી વધુ લોકો અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશમાં વેલસેટ છે.એટલું જ નહીં,આ ગામના અન્ય લોકો રાજ્યના અલગ-અલગ શહેરમાં સ્થાયી થયા છે.અત્યારે ગામમાં માત્ર 50-60 જ લોકો રહે છે.ગામમાં રહેતા દરેક લોકોની ઉંમર 60 ઉપર છે,પણ ગામના સરપંચ પૂનમભાઈ પટેલ સૌથી નાના,એટલે કે 57 વર્ષના હોવાની સાથે પોતાને ગામના યંગેસ્ટ પણ ગણાવે છે.આજે આ ગામમાં કોઈ યુવાન રહેતું નથી.આમ છતાં ગામમાં તમામ પ્રકારની સુવિધા અને સ્વચ્છતા જોવા મળે છે.ત્યારે 18 ડિસેમ્બર,એટલે કે ઇન્ટરનેશલ માઇગ્રન્ટ્સ ડે નિમિત્તે દિવ્યભાસ્કર ડિજિટલે આ ગામની મુલાકાત લીધી હતી અને અહીં
Read more

રાજકોટ : પેસેન્જર ભરેલી ખાનગી બસને જેતપુર NH પર નડ્યો અકસ્માત, લોકોની નીકળી ગઈ ચીસો

– ચરખડીના પાટિયા પાસે ખાનગી બસ પલ્ટી મારી ગઈ હતી.સીટી રાઈડ બસ પલ્ટી મારતા અનેક મુસાફરોને ઇજા પહોંચી છે.અકસ્માતને પગલે બસમાં બેઠેલા મુસાફરોએ રાડા-રાડ કરી મુકી હતી. રાજકોટ : જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે.ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.ચરખડીના પાટિયા પાસે ખાનગી બસ પલ્ટી મારી ગઈ હતી.સીટી રાઈડ બસ પલ્ટી મારતા અનેક મુસાફરોને ઇજા પહોંચી છે.અકસ્માતને પગલે બસમાં બેઠેલા મુસાફરોએ રાડા-રાડ કરી મુકી હતી. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલમાં ખસેડવામાં આવ્યા.નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ 108 સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.જાણવા મળતી વિગત અનુસાર 10 થી 15 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.અકસ્માતના બનાવને લઈને પોલીસે
Read more

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન, ભાઇના હાથે અંતિમવિધિ પૂર્ણ કરાઈ

મહેસાણા : મહેસાણા જિલ્લામાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન બહેન પટેલના આજે સિદ્ધપુરના મુક્તિધામમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ આખરે પંચમહાભૂતમાં વિલિન થયો છે.આશાબેનની અંતિમવિધિ તેમના ભાઇના હાથે પૂર્ણ કરાઇ છે.તમને જણાવી દઈએ કે ઊંઝા APMCથી આજે સવારે આશાબેન પટેલની અંતિમયાત્રા નીકળી હતી.ઊંઝા પથકમાં નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા.અંતિમ સંસ્કાર વખતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,બળવંતસિંહ,સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.જ્યાં ભારત માતાકી જય,વંદે માતરમ અને આશાબેન તુમ અમર રહોના નારા લાગ્યા હતા. તમને જણાવીએ કે આશાબેનની ઊંઝામાં અંતિમયાત્રા પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને તેમના વતન વિશોળ ગામમાં દર્શાનાર્થે મૂકવામાં આવ્યો હતો.જ્યાં
Read more

વંશ વેલો વધારવા સાસરીવાળા ઘેલા થયા, વહુને કહ્યું-પતિ નથી તો સસરા તો છે ને…

ગુજરાતમાં ફરી એકવાર પારિવારિક સંબંધોની હત્યા કરતો કિસ્સો સામે આવ્યો છે.લોકો સંબંધોમાં પોતાની મર્યાદા ઓળંગી રહ્યા છે.પાટણનો એક એવો કિસ્સો સામે આવ્યો છે,જેમાં વંશવેલો વધારવા એક પરિવાર એટલો ગાંડો થયો કે તેમણે વહુ સાથે ખરાબ હરકત કરી હતી.વંશવેલો વધારવા માટે સાસરીવાળાઓએ વહુને જબરદસ્તી ટેસ્ટ ટ્યુબ કરાવીને ગર્ભ ધારણ કરાવ્યો હતો. ગુજરાતના અનેક ગામડાઓમાં આજે પણ સાટા પદ્ધતિથી લગ્ન થાય છે.સમી તાલુકના સોનાર ગામની યુવતીના લગ્ન શંખેશ્વરના યુવક સાથે વર્ષ 2013 માં થયા હતા.યુવક પહેલેથી જ શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હતો.તેથી લગ્નના 8 વર્ષમાં તેણે એકપણ વાર પરિણીતા સાથે સંબંધ બાંધ્યો ન હતો.પરંતુ યુવકના પરિવારને તેમનો વંશવેલો વધારવાની ઘેલછા હતી,
Read more

શું આ રીતે સરકારી નોકરી અપાશે? પાલનપુરના GRD ભરતી મેળામાં નોકરીની આશાએ આવેલા બેરોજગારો પર લાઠી ચલાવાઈ

બનાસકાંઠા : ગુજરાતમા એક તરફ LRD-PSI ભરતી માટે તૈયારીઓ ચાલી રહી છે,ત્યાં બીજી તરફ પાલનપુરમાં GRD ભરતી વિવાદમાં આવી છે.સરકારી નોકરીની આશાએ આવેલા નવયુવાનો પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.બનાસકાંઠાના પાલનપુરમાં GRD ભરતીના ઉમેદવારોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું.પાલનપુરમાં હજારોની સંખ્યામાં આવેલી યુવાનો વચ્ચે ધક્કામૂક્કી સર્જાઈ હતી. જેથી પોલીસ જવાનોએ ભીડને કાબૂમાં લેવા માટે યુવાનો પર લાઠી ચાર્જ પણ કર્યો હતો. પાલનપુરમાં આજે GRD ભરતી મેળો યોજાયો હતો. જેમાં 600 જગ્યા માટે 6 હજારથી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા.હજારોની સંખ્યામાં યુવાનો ઉમટતા સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી.કોઈ પણ પ્રકારના આયોજન વગર તંત્ર દ્વારા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.એક તરફ બેરોજગારોનો મેળો
Read more
1 3 4 5 6 7 18

Most Read