[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

શા માટે પત્નીથી છૂપાઈને પાટણ ગયા હતા ગૃહ રાજ્યમંત્રી સંઘવી ? : જાણો વિગતે

પાટણમાં માતૃવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.તેમણે લોકોને સંબોધન કરતા સમયે કહ્યું કે તેઓ પત્નીથી છૂપાઈને પાટણના કાર્યક્રમમાં આવ્યા છે.જોકે તેઓ શા માટે પત્નીથી છૂપાઈને પાટણના કાર્યક્રમમાં આવ્યા તે બાબતે પણ તેમણે લોકોને જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રુદ્રમાળ સિદ્ધપુરની વખણાય છે.તેમાં પણ પાટણ જિલ્લાની વાત આવે તો તમામ ઘરના લોકો જો પાટણ જતા હોય ત્યારે આજે મારી પણ તમારા સૌ જેવી હાલત થઇ.પાટણ જઈએ એટલે પટોળું લીધા વગર પાછા પોતાના જિલ્લામાં ન જઈ શકીએ તેવી હાલત હોય એટલે આજે હું છૂપાઈ છૂપાઈને અહીં આવ્યો છું. મારા
Read more

રાજ્યના CM ને ધમકી આપનાર બટુક મોરારીને પોલીસ પકડવા પહોંચી તો થયો ચમત્કાર, પોલીસ અધિકારીઓ..

બનાસકાંઠા : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને ધમકી આપી હતી. CM ભુપેન્દ્ર પટેલ પાસે 1 કરોડની ખંડણી મોકલી દેવા નહી તો માત્ર ભુપેન્દ્ર પટેલનું નહી પરંતુ સમગ્ર પાટીદાર સમાજનું રાજન ઉખેડી નાખવાની ધમકી આપી હતી.આ ધમકી આપનાર કોઇ જેવી તેવી વ્યક્તિ નહી પરંતુ પોતાની જાતને બાપુ ગણાવનાર અને સેંકડો ભક્તો ધરાવનારા વાવના કથાકાર બટુક મોરારી બાપુનો હતો.ખંડણી મોકલાવી આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.આ વીડિયોમાં વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ નામનો વ્યક્તિ વીડિયોમાં સ્પષ્ટ રીતે નામજોગ મુખ્યમંત્રીને ધમકી આપતો જોવા મળે છે. આ મુદ્દે આખરે લોકલ ક્રાઇમબ્રાંચ દ્વારા 1 કરોડની ખંડણી માંગનારા બટુક
Read more

CM ભુપેન્દ્ર પટેલને ધમકી : 11 દિવસની અંદર 1 કરોડ મોકલાવી દેજો, નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉ…

બનાસકાંઠા : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને ધમકી આપવાના સમાચાર સામે આવી રહ્યા છે.ભુપેન્દ્રભાઈ પટેલના નામે 1 કરોડની ખંડણી મોકલાવી દેવાની સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.જેમાં બનાસકાઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ નામના વ્યક્તિએ વીડિયો વાયરલ કરીને ખુલ્લેઆમ ધમકી આપી છે. વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ એ 11 દિવસની અંદર અને 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી છે.અને જો તેઓ 1 કરોડ નહિ મોકલાવો તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવાની,તેમજ મુખ્યમંત્રીને અકસ્માતમાં માર્યા જશે તેવી ધમક અપાઈ છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂનો
Read more

ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલના વિદાય સમારંભમાં જનતાની આંખમાંથી આંસુ સરી પડ્યાં : લોકડાઉનમાં ખડે પગે સેવા બજાવી હતી ..

– વિશાલ પટેલની વિદાયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો​​​​​​ ખેડબ્રહ્માના : પોલીસના સામાન્ય લોકો વચ્ચે કેવા આત્મીયતાના સંબંધો હોય એનું ઉદાહરણ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના એક પોલીસ સબ-ઈન્સપેક્ટરની બદલી થયા પછી તેમની વિદાય વખતે જોવા મળ્યું હતું.ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલની બદલી થતાં ખેડબ્રહ્મા તાલુકાના લોકોએ ભારે હૈયે વિદાય આપી હતી.વિદાય કાર્યક્રમમાં પોલીસકર્મચારીઓ તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા,પરંતુ સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં.આ વિદાય સમારંભનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યો છે. પોલીસની નોકરી એવી છે,જેમાં પોલીસકર્મચારીઓ અને અધિકારીઓની અવારનવાર બદલીઓ થતી હોય છે.ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં PSI
Read more

CR પાટિલના મેન્ડેટનો ધરાર અનાદર : ત્રણ બળવાખોર ઉમેદવાર બનાસ જિલ્લા બૅન્કની ચૂંટણીમાં વિજેતા જાહેર થયા

– સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં સીઆર પાટિલના મેન્ડેટની થતી અવગણનાથી ભાજપ માટે આગામી સમય આકરી કસોટીનો રહેશેે અમદાવાદ-પાલનપુર : બનાસકાંઠા જિલ્લા સહકારી બૅન્કની ચૂંટણીમાં ભાજપના પ્રાદેશિક વડા સી.આર. પાટીલે તેમની પોતાની સહી સાથે આપેલા મેન્ડેટનો અનાદર કરીને જિલ્લા બૅન્કની ચૂંટણી લડેલા ત્રણ ઉમેદવારો પક્ષની ઉપરવટ જઈને વિજેતા બન્યા છે.પરિણામે સી.આર. પાટીની સત્તાને પડકારનારાઓ વધી જવાની દહેશત ઊભી થઈ છે.આ સંજોગોમાં સીઆર પાટીલ પણ પોતાનો કક્કો ખરો કરાવવા માટે આગામી દિવસોમાં વધુ આકરાં પગલાં લઈને આ સ્થિતિને દાબી દેવા ઉગ્ર બને તેવી સંભાવના છે. ભાજપના સત્તાવાર ઉમેદવારોની પેનલમાંથી છ સભ્ય જ ચૂંટાયા છે.જ્યારે ત્રણ બળવાખોર ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે.આમ ભાજપના પાર્ટીના મેન્ડેટની
Read more

માઉન્ટ આબુના હોટલ માલિકની ચપ્પાના ઘા ઝીંકી હત્યા, શંકાસ્પદ યુવતીની થઇ પૂછપરછ

અંબાજીમાં હોટલ માલિક વિનય રાવલની ઘાતકી હત્યા થતા ચકચાર મચી ગઇ હતી. વિનય રાવલ સોમવારે સવારે માઉન્ટ આબુથી અંબાજી આવ્યો હતો.જે બાદ સાંજના સુમારે તેની ગબ્બરના પાછળના વિસ્તારમાં ઘાતકી હત્યા થઇના સમાચાર સામે આવ્યા હતા.હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે એક શકમંદ યુવતીની પૂછતાછ હાથ ધરી છે.બીજી તરફ ઘટનાને પગલે સમગ્ર સમાજમાં ભારે રોષ છવાયો છે. ચપ્પાના ઘા ઝીંકી કરાઇ ઘાતકી હત્યા આ દરમિયાન સોમવારની મોડી સાંજે અંબાજી ગબ્બર પાછળના વિસ્તારમાં આવેલા તેલિયા નદીના પુલ પાસેના માર્ગ નજીકના જંગલમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ ચપ્પાના ઘા ઝીંકી ઘાયલ કર્યો હતો.જે બાદ હત્યારા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ લોહીલુહાણ હાલતમાં જોતા તેને
Read more

ડ્રગ્સ હેરાફેરીનું સેન્ટર બન્યું ગુજરાત, 26 લાખના MD ડ્રગ્સ સાથે બે શખ્સની ધરપકડ

પાલનપુર : ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ (Drugs) પકડાતા ચકચાર મચી ગયો હતો.ત્યારે રાજ્યના બનાસકાંઠા જિલ્લામાંથી ડ્રગ્સ પકડાવવાનો કિસ્સા સામે આવ્યો છે.પાલનપુરમાંથી પોલીસે એમડી ડ્રગ્સ (MD Drugs) સાથે બે શખ્સોની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાની પાલનપુર SOG પોલીસે શહેરના એરોમા સર્કલ પાસેથી એમડી ડ્રગ્સ (MD Drugs) ઝડપી પાડ્યું છે.પોલીસે બાતમીના આધારે અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે શખ્સો પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.પોલીસે કુલ 26 લાખ રૂપિયાની કિંમતનું 260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (Drugs) ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાલનપુર SOG પોલીસે
Read more

નીતિન પટેલ સાથે ભાજપના ટોચના નેતાઓએ અનેક વખત અન્યાય કર્યો છે: નરેશ રાવલ

ગુજરાતના રાજકારણમાં રાજકીય સમીકરણો બદલાયા છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા છે.તો સાથે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે અને તમામ મંત્રીઓને તેમના ખાતાઓ ફાળવી દેવામાં આવ્યા છે. હવે મંત્રીઓ તેમની જવાબદારી સંભાળી રહ્યા છે.તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક શરૂ કરવામાં આવ્યો છે.આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા દ્વારા લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.તો કોંગ્રેસ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રા દ્વારા લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.ત્યારે મહેસાણામાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રાને લઈને એક પ્રેસ
Read more

અંબાજીમાં પૂનમ ભરવા જતા યાત્રીઓને ગાડીએ કચડ્યા, 3 કિશોરોના ઘટનાસ્થળે મોત

અંબાજી : ગુજરાતમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે.ચોમાસામાં સતત અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રન (hit and run) ની ઘટના બની છે.અંબાજીમાં પગપાળા જતા યાત્રીઓને એક અજાણ્યું વાહને ટક્કર મારીને ફરાર થયો હતો.આ ઘટનામાં 3 પદયાત્રીના મોત નિપજ્યા છે. ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવો સતત વધી રહ્યાં છે.તેમાં પણ અંધારામાં હાઈવે પર પગપાળા જવું જોખમી બન્યું છે.આવામાં હાલ ભાદરવી પૂનમને લઈને અનેક યાત્રીઓ પગપાળા અંબાજી તરફ જઈ રહ્યાં છે.આવામાં પદયાત્રીઓના જીવ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. અબાજી નજીક વાહન અડફેટે 3 પદયાત્રીના મોત નિપજ્યા છે.રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી
Read more

બળતામાં ઘી હોમાયું !! કુંવરજી બાવળિયા બાદ દિલીપ ઠાકોરના સમર્થકો ભાજપ સામે બગાવત પર ઉતર્યા, રાજીનામાની ઉચ્ચારી ચીમકી

પાટણ : ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને નવા પ્રધાન મંડળમાં પડતા મૂકવામાં આવનાર હોવાની જાણ થતાં તેમના સમર્થકો રીતસર ભાજપ સામે બગાવત પર ઉતરી આવ્યા હતા અને હારીજ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જો દિલીપ ઠાકોરને પુનઃમંત્રી બનાવવામાં નહીં આવે તો સામૂહિક રીતે પક્ષમાંથી રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારી હતી. પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી એક માત્ર ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા અને ભાજપનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય દિલીપ ઠાકોર મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી હતા.પરંતુ નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં તેમની બાદબાકી કરવામાં આવનાર હોવાની જાણ તેમના સમર્થકોને થતાં હારીજ ખાતે તાલુકા પંચાયત કચેરીએ
Read more
1 4 5 6 7 8 18

Most Read