
મનરેગાના શ્રમિકોને બે માસથી નાણાં ન ચૂકવાતાં પાલનપુરમાં ધરણાં
પાલનપુર : બનાસકાંઠામાં મનરેગાનું કામ કરતા મજુરોના છેલ્લા બે માસથી મજુરીનાં નાણાં ન ચૂકવાતાં વડગામના ધારાસભ્ય મજુરો સાથે પાલનપુર કલેક્ટર કચેરી બહાર એક દિવસનાં પ્રતિક ધરણાં ઉપર બેસી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે તેમજ આગામી દિવસોમાં નાણાં નહી ચૂકવાય તો અચોક્કસ મુદ્દતનાં ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠામાં મનરેગામાં કામ કરતા મજુરોને છેલ્લા બે માસથી પોતાની મજુરી વેતન ચૂકવવામાં આવ્યુ નથી.જેના પગલે પાલનપુર કલેક્ટર કચેરી બહાર પાલનપુર અને વડગામના મજુરો સાથે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેસી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ અંગે વડગામના ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે બેરોજગારી અને મોંઘવારીના કાળા દોરમાં આજીવીકા
Read more