[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: North Gujarat

અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટેથી 15.69 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

અમીરગઢ : અમીરગઢ પોલીસ બોર્ડર ચેક પોસ્ટ પર રાત્રીના સમયે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. દરમ્યાન રાજસ્થાન તરફ થી આવી રહેલી ટ્રક નંબર. RJ-19-GB-5347 પર શંકા જતા તેને થોભાવી તપાસ કરતા તેમાં પાવડરની થેલીઓની નીચે રાજસ્થાન બ્રાન્ડનો વિદેશી દારૂ ભરેલો હતો.જેથી પોલીસે વધુ તપાસ કરતા ગાડીમાંથી રાજસ્થાનની અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ કુલ પેટી 281 અને બોટલ નંગ 5568 જેની કિંમત કુલ 15,69,600 તથા મોબાઈલ નંગ 02 જેની કિંમત 10,000 તથા ગાડી ની કિંમત 10,00,000 મળી કુલ 25,69,600, નો મુદ્દામાલ કબજે લઇ 2 શખ્સોને ઝડપી લીધા હતા અને 1 આરોપીની તપાસ ચાલુ છે.
Read more

મહેસાણા જિલ્લામાં એક સાથે 333 પોલીસ કર્મચારીઓની બદલીનો ગંજીપો ચીપાયો

મહેસાણા : મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ મથકો, હેડ ક્વાર્ટર સહિત વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા ૩૩૩ જેટલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીના આદેશ કરાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.લોકરક્ષકથી લઈને એએસઆઈ સુધીના હોદ્દા ધરાવતા હથિયારધારી તેમજ બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓની બદલીનો ગંજીપો ચીપાયો છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જિલ્લાનાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૩૩૩ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ કર્યા છે.જિલ્લામાં સમયાંતરે થોડી સંખ્યામાં પોલીસ અધિકારીઓની તેમજ કર્મચારીઓની વિવિધ કારણોસર કે માગણીથી આંતરિક બદલીઓ કરવામાં આવતી હોય છે પરંતુ એક સાથે જિલ્લાના ૩૩૩ જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓમાં લોકરક્ષક, પોલીસ
Read more

સિપોર ગ્રા. પં.ની માહિતી ન આપવા બદલ તલાટીને રૂ. 25 હજારનો દંડ

મહેસાણા : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની સિપોર ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રી તેમજ જાહેર માહિતી અધિકારી તરીકે અરજદારને સમય મર્યાદામાં માહિતી ન આપવા બદલ રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.જ્યારે ગુજરાત માહિતી આયોગની સુનાવણીમાં તાકીદ કરી હોવા છતાં ગેરહાજર રહેવા બદલ તલાટી સામે તાત્કાલિક ખાતાકીય તપાસ શરૂ કરી શિક્ષાત્મ કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે.જ્યારે અરજદારને દિન-૩૦માં અરજદારને માહિતી પુરી પાડવા પ્રથમ અપીલ અધિકારી તેમજ વડનગર તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે. વડનગર તાલુકાની સિપોર ગ્રામ પંચાયત કચેરીમાં ગામના જ અરજદાર બળવંતજી રામસંગજી ઠાકોરે ગત ૧૨મી ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી મેળવવા અરજી કરી હતી.જેમાં સિપોર
Read more

મનરેગા કૌભાંડની તપાસ દરમિયાન તલાટીની બદલી કરી દેવાતાં તર્કવિતર્ક

વડગામ : વડગામ તાલુકા ભલગામ સહિત કેટલાય ગામોના કૌંભોડીઓને તપાસ અધિકારીઓનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.સાથે જ મનરેગા શાખાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને બચાવવા માટે ચાલુ તપાસે જિલ્લા પંચાયતના કેટલાક અધિકારીઓ દ્વારા તલાટીની બદલી કરી દેવામાં આવી છે.જેને લઇ અરજદાર દ્વારા પણ તપાસ અધિકારીઓ દ્વારા ભીનું સંકેલવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.ત્યારે આ ગંભીર બાબતે ડીડીઓ દ્વારા તલાટીને ન્યાય મળે તેવી માંગ કરાઇ છે. વડગામ તાલુકાના ભલગામ સહિત વણસોલ,નાવિસણા,નવો વાસ,કરનાળા,વરસડા,વેસા,સીસરાણા,શેરપુરા સેભર,ચોંગા,ધોતા,જૂની સેધની,નવી સેધની,કોદ્રાલી સહિત તાલુકાના ઘણા ગામોમાં તાલુકા પંચાયતના મનરેગા શાખાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા મળીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.દરમિયાન ભલગામ ગામની તપાસમાં કૌભોંડીને ત્રણ ત્રણ
Read more

‘કર્મ એ જ ધર્મ’ના સિદ્ધાંતને સાચો સાર્થક કરતાં વિસનગરનાં મહિલા ડો.નાઝ મનસૂરી

મહેસાણા : રાષ્ટ્રના તમામ ધર્મોના ધર્મગ્રંથોમાં ‘કર્મ એ જ ધર્મ’ ને મહત્વ આપ્યું છે.મહેસાણા જિલ્લાના વિસનગરના વતની અને હાલ અમદાવાદ સિવિલ ખાતે ફરજ બજાવતા મહિલા ડો નાઝ મનસુરીએ ધર્મ સાથે કર્મેને મહત્વ આપી કોરોના દર્દીઓની સેવામાં સતત અડીખમ રહ્યા છે.વ્યવસાયે ગાયનેક એવા મહિલા ડો નાઝ મનસૂરી રમજાન માસના 30 દિવસમાં પવિત્ર ઉપવાસ સાથે કોરોના દર્દીઓની સારવાર અને સુશ્રુષા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે. રાજ્યમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં એમ.ડીનો અભ્યાસ કરતા મહિલા ડો નાઝ મનસૂરી કોરોના અનેક દર્દીઓને સારવાર કરી નવજીવન આપ્યું છે.કોરોનાની આ બીજી ઘાતક લહેરમાં અમદાવાદ સિવિલમાં કાર્યરત ડો નાઝ મનસૂરી દર્દીઓની સેવા સાથે પવિત્ર રમજાન
Read more

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી પોલીસને શંકાસ્પદ ગાડીમાંથી સાડા ચાર કરોડ રૂપિયા રોકડા મળ્યા

– પકડાયેલી ગાડી દિલ્હીથી ગુજરાત આવી હતી અને પકડાયેલા લોકો ગુજરાતી છે,એક પાટણ અને એક ઉંઝાનો નિવાસી છે,તપાસ ચાલુ છે કોરોના સંક્રમણ અને લોકડાઉનમાં પણ કેટલાક લોકો પિયાની હેરાફેરી કરતા જોવા મળે છે.રાજસ્થાનને અડીને આવેલી ગુજરાતની બોર્ડર પરથી એક શંકાસ્પદ ગાડીને પોલીસે પકડી હતી અને તેમાંથી સાડા ચાર કરોડ પિયા રોકડા મળી આવ્યા છે. પોલીસને આ રૂપિયા ગણતાં દોઢ દિવસ થયો હતો. મળેલી બાતમીના આધારે રાજસ્થાન બોર્ડરે પોલીસે ચોકી પહેરો કરીને વાહનોનું ચેકીંગ શ કયુ હતું જેમાં પોલીસને શઆતમાં કઇં શંકાસ્પદ મળ્યું ન હતું પરંતુ વધારે તપાસ કરતાં તેમાંથી મોટી રકમ રોકડમાં મળી આવી હતી.આ રૂપિયા કયાંથી આવ્યા અને કયાં
Read more

પાલનપુર-આબુ હાઇવે પર પોલીસવાનને ટક્કર મારતાં 4 પોલીસકર્મી ઘાયલ

પાલનપુર: પાલનપુર તાલુકા પોલીસની મોબાઇલ વાન જીજે. 08.જીએ. 1239માં ચાલક મહંમદયુનુસ અબ્દુલ કરીમ, એ.એસ.આઇ રહીમખાન જમાલખાન, અ.હે.કો. મહેશકુમાર બાબુલાલ અને એલ.આર.પો.કો. અક્ષયકુમાર શનિવારે રાત્રે 2 કલાકે ખેમાણા ટોલ પ્લાઝાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા.ત્યારે હાઇવેની ડાબી સાઇડે કંઇક શંકાસ્પદ જણાતાં ગાડી ઉભી રાખી ચેક કરવા ઉતરતા હતા. તે દરમિયાન પાછળથી પુરઝડપે આવેલા કન્ટેનર નં. એચ. આર.55. એ.એ. 3509ના ચાલક રાજસ્થાનના ઝુંઝનુ જીલ્લાના ઉદેપુરવાટી તાલુકાના ચકજોધપુરાના રોહીતાસભાઇ જાબરમલ માળીએ પોલીસની ગાડીને પાછળથી ટક્કર મારી હતી.જેથી ગાડી આગળ ઉભેલા ઝાડ સાથે અથડાઇ હતી.આ અકસ્કમાતમાં ચારેય પોલીસ કર્મીઓને ઇજાઓ થતાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે કન્ટેનટર ચાલક સામે ગુનો નોંધી
Read more

મહેસાણા જિલ્લાના 241 NHM કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ

મહેસાણા : કોરોના મહામારીમાં સતત કામગીરી બજાવનારા નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓની પડતર માગણીઓનો કોઈ ઉકેલ ના આવતાં તેમણે આંદોલન છેડ્યું હતું અને બુધવારથી હડતાળ પર ઉતર જતાં મહેસાણા જિલ્લાના કુલ ૨૪૧ જેટલા કર્મચારીઓ વિરુદ્ધ મહામારી અધિનિયમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ વિવિધ પોલીસ મથકોએ ગુનો નોંધાતાં કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા છ મહિના પહેલાં પ્રશ્નોની રજૂઆત કર્યા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો ત્યારે એક વર્ષથી કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ પરિવારની પરવા કર્યા વગર,જીવના જોખમે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા હોવા છતાં અવગણના થતી હોવાની લાગણી સાથે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.જેથી બેઝીક
Read more

શક્તિપીઠ અંબાજી મંદિર 21 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય

અંબાજી : સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે તા. ૧૮ મે- ૨૦૨૧ સુધી અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ યાત્રિકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૧૭ મે-૨૦૨૧ હુકમ અન્વયે અંબાજી મંદિર તા. ૨૧ મે-૨૦૨૧ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન,અર્ચન તથા ધાર્મિક વિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે.વધુમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર,અંબિકા વિશ્રામ ગૃહ,જગદ્દજનની પથિકાશ્રમ (હોલી ડે
Read more

મહેસાણામાં રેમડેસિવિર ઇન્જેકશનનાં કાળાંબજારનું કૌભાંડ : 7 જણાં ઝડપાયાં

મહેસાણા : કોરોના સંક્રમણ ભયાનક રીતે વકર્યું હોઈ દવાઓની પણ અછત સર્જાઈ છે ત્યારે કેટલાક લોકો સ્થિતિનો ગેરલાભ લઈ રેમડેસિવિર ઈન્જેક્શનનાં કાળાંબજાર કરી રહ્યા હોઈ પોલીસે આવાં તત્ત્વો સામે ધાંસ વધારી છે.મહેસાણા પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે બાતમીના આધારે ડિકોય ગોઠવી મહેસાણામાં રેમડેસિવિર ઈન્જેક્શનનાં કાળાંબજાર કરતા ત્રણ શખ્સોને બે ઈન્જેક્શન સાથે ઝડપી લીધા હતા તેમજ આ કાળા કાબોબારમાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓને પણ પોલીસે ઝડપી લઈને સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસનો સતત વધારો થઈ રહ્યો છે,ત્યારે કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિમાં અક્સિર ઈલાજ સાબિત થઈ રહેલાં રેમડેસિવિર ઈન્જેક્શનની પણ માંગ વધી છે.પરંતુ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો
Read more
1 7 8 9 10 11 18

Most Read