[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Saurashtra

DRI ઓપેરેશન : મુન્દ્રા પોર્ટ પરથી 26.8 કરોડની એન્ટીક વસ્તુઓ જપ્ત

મુન્દ્રા : ડીઆરઆઈ એટલેકે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને મોટી સફળતા હાથ લાગી છે.ડીઆરઆઈની ટીમ દ્વારા કરોડો રૂપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે.જોકે, આ સફળતા સરળતાથી નથી મળી.તેના માટે તેમની જાંબાઝ ટીમ દ્વારા સતત નાની નાની બાબતોનું મોનિટરિંગ અને ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હતું. વૈશ્વિક સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેના પોતાના સંકલ્પને આગળ ધપાવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ વિન્ટેજ આર્ટિકલ્સ,એન્ટિક વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત કરી છે,જેની કિંમત બજારમાં રૂ. 26.8 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.એક ચોક્કસ બાતમી પર કાર્યવાહી કરતા, ડીઆરઆઇએ યુએઇના જેબેલ અલીથી આયાત કરવામાં આવતા આયાત કન્ટેનરની ઓળખ કરી હતી.આ કન્ટેનર જેને કસ્ટમ્સ સમક્ષ વિસ્તૃત તપાસ માટે “અનએકમ્પનીડ બેગેજ
Read more

સ્વામીનારાયણ સંપ્રદાય જ્ઞાનનો અખાડો નહીં પણ પૈસા ભેગા કરવાની સંસ્થા : BJP MLA ફતેસિંહ ચૌહાણ

– રાજકોટના સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદના નિવેદન બાદ સનાતની સંતોમાં આક્રોશ સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ ઉકેલાયા બાદ સ્વામીનારાયણ અને સનાતન ધર્મ વચ્ચે વિવાદ વધી રહ્યો છે.આ બાબતે હજી પણ સનાતની સંતો નમતુ જોખવા તૈયાર નથી.બીજી બાજુ હવે આ મુદ્દે ભાજપના ધારાસભ્યએ નિવેદન આપતો વીડિયો વાયરલ થયો છે.કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે સ્વામીનારાયણ સંપ્રદાય પર નિવેદન આપતાં જણાય છે કે, હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? ત્યારે એક જણાએ કહ્યું હતું કે ‘ના’ કેમ? મેં ત્યારે કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી.સ્વામીનારાયણ સંપ્રદાય જ્ઞાનનો
Read more

રાજકોટ : સાળંગપુર વિવાદ બાદ હવે અપૂર્વ મુનિના નિવેદનથી વધુ એક વિવાદ

– માતા જાનકી અને લક્ષ્મણજીને માટે વાપરેલી અભદ્ર ભાષાથી સનાતનધર્મીઓ અને સાધુ-સંતોમાં આક્રોશ. રાજકોટ : ગુજરાતમાં હમણાં શાંતિ ભાગી પડી છે.એક બાજુ સ્વામીનારાયણ સંપ્રદાય તો બીજી બાજુ સનાતન ધર્મીઓ સામ સામે આવી ગયા છે.હજી તો માડ સાળંગપુર હનુમાનદાદાનો ભીત ચિતોનો વિવાદ માંડ શાંત થયો છે.એવામાં રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયના અપૂર્વ મુનિનું એક નિવેદ વિવાદીત બન્યું છે.સીતામાતા અને લક્ષ્મણજી માટે વાપરેલી અભદ્ર ટિપ્પણીથી સનાતન ધર્મીઓ તેમજ સાધુ-સંતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરના અપૂર્વ મુનિનો એક વિડિયો વાઇરલ થયો છે,જેમાં તેઓ પ્રભુ શ્રીરામને બચાવવા માટે સીતામાતા અને લક્ષ્મણજી વચ્ચે થયેલા એક પ્રસંગને ટાંકીને એવું બોલતા જણાઈ રહ્યા
Read more

મનોવિકૃત રમેશ ફેફરની અટકાયત, મોઢું કાળું કરનારને 10 હજારના ઈનામની જાહેરાત

રાજકોટમાં પોતાને કલ્કી અવતાર કહેનારા પૂર્વ સરકારી કર્મચારી રમેશ ફેફરની પોલીસે અટકાયત કરી છે.વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી,ત્યારબાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસને બોલાવી રમેશ ફેફરના ઘરે વિરોધ કર્યો હતો.બ્રહ્મ સમાજ વિશે જેમ તેમ બોલનાર રમેશકુમાર ફેફરને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.બ્રહ્મ સમાજના યુવાનો પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. શહેરમાં રહેતા અને સરકારી પૂર્વ કર્મચારી રમેશ ફેફર પોતાને કલ્કી અવતાર ગણાવે છે.પરંતુ આ કર્મચારીએ તો આ વખતે હદ કરી નાંખી.વિવાદોનો બીજો પર્યાય બની ગયેલા રમેશ ફેફરે બ્રહ્મ સમાજનું સૌથી મોટું અપમાન કર્યુ.તેણે બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની સરખામણી
Read more

ભાજપ પત્રિકાકાંડ : કચ્છમાં અમિતભાઈ શાહના કાર્યક્રમમાં કચ્છના જ સાંસદ ગેરહાજર રહ્યા !

ગુજરાત ભાજપ ભલે બહારથી બધું યોગ્ય દેખાતું હોય પરંતું હકીકત તો એવી છે કે, ઘરમાં ફૂટ તો પડી છે.ઘરમાં પડેલી દરાર હજી ભરાઈ નથી.ગુજરાત ભાજપના પત્રિકાકાંડનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો,તેના બાદ એવુ બતાવવામાં આવ્યું કે, બધુ સારું છે.પરંતુ અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસમાં ફરી કંઈક એવુ દેખાયુ કે બધુ બરાબર નથી.શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં હતા,પરંતું તેના કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા ગાયબ હતા.તેમની ગેરહાજરીથી અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. ભાજપના પત્રિકાકાંડે બધા રાઝ ખોલ્યા છે.પત્રિકાકાંડમાં ઘરમાં પડેલી ફાટફૂટ ખુલ્લી પડી ગઈ છે.એક જોતા ભાજપમાં કોલ્ડવોર ચાલી રહ્યો હોય તેવું દેખાય છે.લોકસભાની ચૂંટણી સાવ નજીક છે,ત્યારે ભાજપના આંતરિક ડખા બહાર
Read more

અમિત શાહે ગાંધીધામમાં 17 એકરમાં IFFCOના નેનો DAP પ્લાન્ટનું કર્યું ભૂમિપૂજન, પ્રાકૃતિક ખેતીની હરિયાળી ક્રાંતિ લાવવા ખેડૂતોને આહ્વાન

ગાંધીધામ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે.આ દરમિયાન કચ્છમાં ગાંધીધામ ખાતે તેમણે 17 એકરમાં તૈયાર થનારા કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ છે.તેમણે કહ્યું કે જ્યારે હું ધારાસભ્ય બન્યો હતો ત્યારે કલોલમાં ઇફકોનો પ્લાન્ટ હતો.આજે ગાંધીધામમાં નેનો ડીએપી પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે.ભૂમિપૂજન કરવા સાથે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે નેનો DAPના કારણે ખેડૂતોની જમીનને બિલકુલ નુકસાન નહીં થાય.ભારત વિશ્વને પ્રાકૃતિક ખેતીનો રસ્તો બતાવશે. સહકારિતા મંત્રાલાય બન્યું ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સહકાર મંત્રાલયના માધ્યમથી દેશના ખેડૂતોને સમૃદ્ઘ બનાવવાના છે.જેમાં આજે ઇફ્કો મારી સાથે છે.આજે નેનો ડીએપી (તરલ)નું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.આગામી પાંચ વર્ષમાં
Read more

‘પંદ્રહ મિનિટ કે લિયે પુલિસ હટા દો…..’ : મોહરમ પર ભડકાઉ વિડીયો વાઇરલ કરનારા આરિફ,રેહાન,અકબર સહિત ચારની ધરપકડ

સુરેન્દ્રનગરમાં મોહરમના જુલુસ દરમિયાન ભડકાઉ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા મામલે પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.આરોપીઓની ઓળખ આરીફ મોવર,રેહાન મોગલ,માહિર સમા અને અકબર મોવર તરીકે થઇ છે.ગત 29 જુલાઈ, 2023ના રોજ મોહરમના દિવસે સુરેન્દ્રનગરમાં તાજિયાના જુલુસ નીકળ્યાં હતાં.આ દરમિયાન અમુક ઉન્માદી તત્વોએ શહેરની શાંતિ ડહોળવા માટે ભડકાઉ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. એક વીડિયોમાં જાહેર રસ્તા પર ટોળું એકઠું થયેલું જોવા મળે છે,સંભવતઃ તાજિયાના જુલુસમાં આ તમામ સામેલ થયા હતા.વીડિયોમાં ટોળામાં તલવારો લહેરાતી જોવા મળે છે તો ઇસ્લામિક ઝંડા પણ નજરે પડે છે.આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં AIMIM ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીનું કુખ્યાત ભાષણ ઉમેરવામાં આવ્યું હતું,જેમાં તેઓ
Read more

આવકવેરાના દરોડામાં લાખો રૂા.ના બેનામી વ્યવહારો મળ્યાં, 25 લોકર સીઝ કરાયાં

– બિલ્ડર્સ ગ્રુપના પ્રોજેક્ટની વિગતો મેળવવા રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં છાનબીન : રાજકોટના રાધિકા, શિલ્પા જ્વેલર્સ, જે.પી. એક્સપોર્ટ્સ અને વર્ધમાન બિલ્ડર્સ ગ્રુપને ત્યાં બીજા દિવસે તપાસ યથાવત; બંધ બારણે સ્ટોક વેલ્યુએશન રાજકોટ, : રાજકોટ અને જુનાગઢમાં જ્વેલર્સ અને બિલ્ડર્સ ગ્રુપને ત્યાં આવકવેરાની તપાસ આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી.તપાસ દરમિયાન લાખો રૂા.ના બેનામી વ્યવહારો બહાર આવ્યા હોવાનું તેમજ 25 લોકર સીઝ કરી હોવાનું જાણવા મળ્યું હતું.આવકવેરા વિભાગના અધિકારીઓને આજે બિલ્ડર્સ ગ્રુપની તપાસ દરમિયાન રાજકોટ મ્યુ. કોર્પોેશનની ઓફિસે પહોંચ્યા હતા.જ્યાંથી ક્યાબિલ્ડરે કેટલા પ્રોજેક્ટ મુક્યા છે ? બિલ્ડરો દ્વારા મુકવામાં આવેલા હાઈરાઈઝ,લોરાઈઝ અને કોમર્શિયલ બિલ્ડિંગના કેટલા પ્લાનપાસ થયા ? તેની વિગતો મેળવવા
Read more

રાજકોટ જવેલર્સના ત્યાં IT વિભાગની બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત

રાજકોટમાં ગઈકાલે IT વિભાગે બે જાણીતા રાધિકા અને શિલ્પા જ્વેલર્સને ત્યાં દરોડા પાડ્યા હતા.આ બંને જ્વેલર્સના શોરૂમ સહિત આશરે 18 જેટલા સ્થળે IT વિભાગની ટીમોએ વહેલી સવારથી દરોડા પાડ્યા હતા.જે બીજા દિવસે પણ યથાવત્ છે.જેને લઈને કરચોરી કરતા સોની વેપારી તેમજ બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્વેલર્સોના માલિકોએ જમીનના મોટા વ્યવહારો કર્યા હોવાનો ખુલાસો મળતી માહિતી મુજબ ગઈકાલે વહેલી સવારે સાત વાગ્યાથી IT વિભાગની અલગ-અલગ ટીમો રાજકોટમાં ત્રાટકી હતી.જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી.આ દરમિયાન જ્વેલર્સોના માલિકોએ જમીનના મોટા વ્યવહારો કર્યા હોવાના ખુલાસો થયો છે.ખાસ કરીને બે હજારની નોટ પરત ખેંચાયા બાદ આ મોટા
Read more

રાજકોટમાં આવકવેરા વિભાગના જવેલર્સના ત્યાં દરોડા : 20 ટીમો દ્વારા સર્ચ ઓપરેશ હાથ ધરાયું

રાજકોટમાં બિલ્ડર લોબી પર કાર્યવાહી કર્યાના લાંબા સમય બાદ આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશ હાથ ધર્યુ હતું જેમા મોટા જવેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગની 20 ટીમો દ્વારા 18થી વધુ સ્થળોએ કાર્યવાહી હાથ ધરી છે. અચાનક દરોડા પડતા સોની વેપારીઓમાં ફફડાટ રાજકોટમાં આજે આવકવેરા વિભાગ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે જેમા જાણીતા રાધિકા જવેલર્સ અને શિલ્પા જવેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.આજે વહેલી સવારથી જ જુદી-જુદી ટુકડીઓ દ્વારા અલગ અલગ 18થી વધુ સ્થળોએ કાર્યવાહી કરી હતી.જેમાં રાજકોટના પેલેસ રોડ,સોની બજારમાં આવેલા શોરુમ તેમજ અક્ષર માર્ગ-અમીન માર્ગ પર આવેલો શો રુમ પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી
Read more
1 2 3 37

Most Read