[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Saurashtra

ગુજરાતમાં વાવાઝોડા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

ગુજરાતના માથે હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડળાઈ રહ્યો છે.તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.આ સાથે લોકોને વારવાર અપીલ પણ કરવામાં આવી રહી છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજયના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જો કે, મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે. વેરાવળ અને સુત્રાપાડામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરુ થઈ ગયો છે.છેલ્લા 24 કલાકમાં સાઠ આઠ ઈંચ વરસાદ ખાબક્તા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી તળાઈ હતી.જ્યારે ખંભાળિયામાં આજે સવારે બે કલાકમાં 3 ઈંચ અને ઉપલેટામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.બિપોરજોય વાવાઝોડાની અસર હાલ
Read more

બિપરજોય વાવાઝોડું : દરિયાકિનારાના વિસ્તારો તરફ જતી ટ્રેનો રદ્દ, ગુજરાત માટે 3 દિવસ અતિ ભારે, અત્યાર સુધીની તમામ અપડેટ્સ

વામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટકશે,ત્યારે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં તકેદારીનાં પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે.સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વાવાઝોડાથી લોકોની સુરક્ષા અને ઓછામાં ઓછું નુકસાન સુનિશ્ચિત કરવા માટેનાં પગલાં લેવાઈ રહ્યાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 જૂને સવારે 5.30 કલાકે બિપરજોય છેલ્લા 6 કલાકમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.ગુજરાતના દેવભૂમિ દ્વારકા,કચ્છ,પોરબંદર,જામનગર, રાજકોટ,જૂનાગઢ અને મોરબી જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની પણ ચેતવણી આપી છે. 14 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના
Read more

આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ખંભાળિયામાં 2 કલાકમાં 3 ઈંચ ખાબક્યો

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.જેના પગલે સોમવારે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.ત્યારે આજ સવારથી જામગર જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. આજે કચ્છ,દ્વારકા,જામનગર,પોરબંદર,રાજકોટ,મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વેરાવળ અને સુત્રાપાડાને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. 24 કલાકમાં આ બન્ને વિસ્તારમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જ્યારે ખંભાળિયામાં આજે સવારે
Read more

ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાની તૈયારીઓની કરી સમીક્ષા, ઘોઘા- હજીરા રોરો ફેરી અને અંબાજી રોપ-વે સેવા 4 દિવસ માટે બંધ

– ગુજરાતના 62 તાલુકામાં વાવાઝોડાની અસર,રાજ્યના 9 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ – 15 જૂને આ વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે તેવી આગાહી વાવાઝોડા સામે લડવા તૈયાર છીએ : અમિત શાહ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે વાવાઝોડાની તૈયારીઓની કરી સમીક્ષા કરી હતી.તેમણે કહ્યું કે, વાવાઝોડા સામે લડવા કોઈ પણ પરિસ્થીતીમાં તૈયાર છીએ.આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહેલા કરતા વધુ મજબુત બનાવ્યું છે અને તે બિપરજોય વાવાઝોડા સામે લડવા માટે તૈયાર છે.દરિયા કિનારાના વિસ્તારો પર NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. બિપરજય વાવાઝોડાને પગલે આકસ્મિક સંજોગોમાં નીચે દર્શાવેલ નંબરનો સંપર્ક કરી શકશો અંબાજીમાં દિવસ સુધી રોપ-વે સેવા બંધ આજથી 4
Read more

ધારાસભ્ય હીરા સોલંકીએ દરિયો શાંત પડે તે માટે દરિયાદેવની પૂજા કરી

– હિરા સોલંકીએ દરિયામાં શ્રીફળ અને દુધ ચડાવી દરિયા દેવને શાંત થવા માટે વિનંતી કરી – વાવાઝોડાને પગલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પોરબંદરની જવાબદારી સોંપાઈ પોરબંદર : હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર,જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે.આ ઉપરાંત નલિયાથી 440 કિલોમીટર દૂર છે.વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે.હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ,જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.બીજી બાજુ જાફરાબાદના દરિયા કિનારે ધારાસભ્ય હિરા સોલંકીએ દરિયાદેવની પૂજા અર્ચના કરી હતી. દરિયા દેવને શાંત
Read more

રાજકોટમાં ભાજપનાં યુવા નેતાએ ફાયરિંગ કરવા પર પાર્ટીએ બચાવ કર્યો,જાણો શું કહ્યું

રાજકોટ શહેરના સોરઠીયા વાડી સર્કલ નજીક શહેર યુવા ભાજપના મંત્રી લખેલી નેમપ્લેટ વાળી કારમાંથી ઉતરી કરણ સોરઠીયા નામના યુવાને પાનના ધંધાર્થી ઉપર નશાની હાલતમાં આવી ફાયરિંગ કરી જાનથી મારી નાખવા કોશિશ કરી હતી જે મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પાર્ટીનો બચાવ કરી તેમની નવી નિમણુંક બાદ બધી જ કમિટી નવી બનતી હોય છે.માટે કરણ કોઈ હોદા પર ન હોવાનું કહ્યું હતુ અને જવાબદારી પરથી છટકી શિસ્ત કમિટી ઉપર ટોપલો ઢોળી દીધો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બાબતે સ્પષ્ટતા કરવા માંગુ છું કે મારી નવા પ્રમુખ તરીકે નિમણુંક થયા બાદ બધી જ
Read more

રાજકોટમાં ભાજપના યુવા નેતાએ નશાની હાલતમાં દુકાનદાર પર ફાયરીંગ કર્યું

– પોલીસે આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી – પોલીસ એડવોકેટ,ડોક્ટર,પોલીસ કે પ્રેસ લખેલાં લખાણો કે નેમ પ્લેટ વાહનોમાંથી દૂર કરે છે,પરંતુ નેતાઓની ગાડીઓમાં રહેલી નંબર પ્લેટ તેમને દેખાતી કેમ નથી? રાજકોટ : શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જાહેર શૌચાલય પાસે શહેર યુવા ભાજપના મંત્રી અને પૂર્વ કોર્પોરેટરના પુત્ર કરણ રાજુભાઈ સોરઠિયાએ બે રાઉન્ડ હવામાં ફાયર કરતા દોડધામ મચી જવા પામી હતી.જેને લઇ ભક્તિનગર પોલીસે આરોપી કરણ સોરઠિયા સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.યુવા નેતા દારૂ પીધેલી હાલતમાં હોવાનો રિપોર્ટ આવતા તેની સામે વધુ એક પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
Read more

જેતપુરની 15 વર્ષની હિંદુ સગીરાને સોશિયલ મીડિયા પર ફસાવીને અમરેલીના સાહિલે 3 વાર કર્યો બળાત્કાર

ગુજરાતમાં હવે દિનપ્રતિદિન લવ જેહાદના મામલા સામે આવતા જાય છે.એવામાં જેતપુરથી પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પીડિત હિંદુ સગીરાની ઉંમર માત્ર 15 વર્ષની છે.પરિવારની ફરિયાદ બાદ હાલ પોલીસે આરોપી અને તેના સહયોગીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ એક વર્ષ પૂર્વે અમરેલીના સાહિલ કયુમભાઇ પરમાર નામના મુસ્લિમ યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલા આ હિન્દૂ સગીરા સાથે મિત્રતા કરી હતી.બાદમાં તેને ભોળાવી-ફોસલાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.અહેવાલો મુજબ જેતપુરની આ માત્ર 15 વર્ષની સગીરાને સાહિલે તેના જ ગામની એક દરગાહ પાસે મળવા બોલાવી હતી.ત્યાં સાહિલ પહેલાથી પોતાના મિત્ર અમીર અલ્તાફ ચૌહાણ સાથે કાર લઈને હાજર હતો.જેવી યુવતી
Read more

અબજોપતિ નેતાએ કરોડો ફસાવ્યા મુદ્દે ભાજપનું મૌન,રૂપાણીએ કહ્યું બંને વચ્ચેનો અંગત મામલો

– સ્ફોટક પોસ્ટ પછી પક્ષનું ડેમેજ કંટ્રોલ શરુ થયું હોય તેમ મોકરીયાનો ફોન બંધ, રકમ મળવાની ખાત્રી મળી? – એ બે મોટા નેતાઓ વચ્ચેની આંતરિક બાબત છે અને તેમાં કાંઈ કહેવામાં હું નાનો કહેવાઉંઃ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા રાજકોટ ભાજપના એક સૌથી વરિષ્ઠ અને અબજોપતિ નેતાએ મારા કરોડો રૂપિયા 2011 પછી પરત આપ્યા નથી,તેમને પૈસાની તંગી નથી પરંતુ,દાનત નથી ઈ.સ.1980થી રાજકારણમાં અને 1990થી સરકારના જુદા જુદા પદમાં રહીને રાજ્ય બહાર નિવૃત થયા છે.તેવી પોસ્ટ શહેરના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ મુક્યા બાદ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને આજે ગુપ્ત રીતે ડેમેજ કંટ્રોલ શરુ થતા આ મુદ્દે નેતાઓએ મગનું નામ
Read more

ગુજરાતના આ ધારાસભ્ય ડૂબતા યુવકોને બચાવવા ખુદ દરિયામાં કૂદ્યા ..

અમરેલી : હાલ ભાજપના એક ધારાસભ્યની ચારેતરફ ચર્ચા થઈ રહી છે.એ છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી.અમરેલીના રાજુલામાં તણાયેલા યુવાનોને બચાવવા તરવૈયાની ટીમ સાથે MLA હીરા સોલંકીની પણ દરિયામાં કૂદ્યા હતા.તેઓ પણ યુવકોની શોધખોળમાં લાગી ગયા છે.દરિયામાં કરંટ હોવા છતા તેઓ પોતાના જીવના જોખમે બચાવ ટીમ સાથે યુવકોની શોધખોળમાં લાગી ગયા છે. અમરેલીના રાજુલાના પટવા ગામની ઘટના છે.જેમાં દરિયામાં 4 યુવાનો નાહવા ગયા હતા.આ યુવકો દરિયામાં ડૂબી ગયા હતા.આ ઘટનાની જાણ થતા જ રેસ્ક્યૂ ટીમ દરિયામાં ઉતરી હતી.રેસ્ક્યૂ ટીમ આવે તે પહેલા સ્થાનિક લોકો યુવકોને બચાવવા દરિયામાં કૂદ્યા હતા.ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી અને તરવૈયા ટીમ યુવાનોને બચાવવા દરિયામાં બચાવવા પહોંચી હતી.યુવકો
Read more
1 2 3 4 5 37

Most Read