
વડોદરા કોંગ્રેસમાં રાજીનામા આપવાનો સિલસિલોય થાવત : પૂર્વ કોર્પોરેટરે રાજીનામું આપ્યું
વડોદરા : વડોદરા શહેર કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા આપવાનો સિલસિલો હજી પણ ચાલુ છે.જેમાં વિધાનસભાની ચૂંટણી 2017માં ભાજપ સામે લડીને હારી જનાર પૂર્વક કોર્પોરેટર અનિલ પરમારે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ પ્રદેશ કોંગી પ્રમુખને મોકલી આપ્યું છે.કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર તમામ અગ્રણીઓ આગામી તા.17મીએ વડાપ્રધાનના જન્મદિનને ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કરશે.શહેર કોંગ્રેસમાંથી રાજીનામાનો આ સીલસીલો હજી પણ ચાલુ રહે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે અગાઉ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા હતા તેઓને ત્યાં પ્રદેશ પ્રમુખ આવીને ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું જેથી સુરેશ પટેલ આગામી તા 17મીએ વિધિવત રીતે કેસરિયો ધારણ કરશે.આવી જ રીતે
Read more