By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CBIએ રૂ 34,615 કરોડના બેન્કિંગ ફ્રોડ કેસમાં DHFL, પ્રમોટર્સ સામે ફરિયાદ નોંધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > CBIએ રૂ 34,615 કરોડના બેન્કિંગ ફ્રોડ કેસમાં DHFL, પ્રમોટર્સ સામે ફરિયાદ નોંધી
GeneralNational

CBIએ રૂ 34,615 કરોડના બેન્કિંગ ફ્રોડ કેસમાં DHFL, પ્રમોટર્સ સામે ફરિયાદ નોંધી

HM News
Last updated: 23/06/2022 6:42 AM
HM News
3 years ago
Share
SHARE

નવી િદલ્હી : CBIએ દિવાન હાઉસિંગ ફાઇનાન્સ(DHFL),તેના ચેરમેન અને એમડી કપિલ વાધવાન,ડિરેક્ટર ધીરજ વાધવાન અને અન્ય લોકો સામે રૂ.૩૪,૬૧૫ કરોડના બેન્ક ફ્રોડની ફરિયાદ નોંધી છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે,CBIની તપાસ હેઠળનો છેતરપિંડીનો આ સૌથી મોટો કેસ હશે.

૨૦ જૂને કેસની નોંધણી પછી ૫૦ અધિકારીઓની ટીમે બુધવારે એક સાથે મુંબઇમાં આરોપીઓના ૧૨ સંકુલની તપાસ હાથ ધરી હતી.જેમાં અમરિલીસ રિયલ્ટર્સના સુધાકર શેટ્ટી અને અન્ય આઠ બિલ્ડર્સનો પણ સમાવેશ થાય છે.DHFLને ૨૦૧૦થી ૨૦૧૮ના ગાળામાં રૂ.૪૨,૮૭૧ કરોડની ધિરાણ કરનારી ૧૭ બેન્કના કન્સોર્ટિયમની આગેવાન યુનિયન બેન્કની ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બેન્કે કપિલ અને ધીરજ વાધવાન તેમજ અન્ય લોકો પર સાચી માહિતી છુપાવવા અને ખોટી રજૂઆત કરવાના ફોજદારી ષડયંત્રનો આરોપ મૂક્યો છે.

આરોપની વિગતમાં કંપનીએ લોકોના ભંડોળનો દુરુપયોગ કરી બેન્કોના કન્સોર્ટિયમ સાથે રૂ.૩૪,૬૧૪ કરોડની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે. બેન્કોના જણાવ્યા અનુસાર મે ૨૦૧૯થી કંપનીએ લોનની ચુકવણીમાં સતત ડિફોલ્ટ કર્યું છે.DHFLના હિસાબોનું ઓડિટ દર્શાવે છે કે,કંપનીએ નાણાકીય ગેરરીતિ કરી છે,ભંડોળનો દુરુપયોગ કર્યો છે,હિસાબોમાં ગોટાળા કર્યા છે,લોકોના નાણાંનો ઉપયોગ કપિલ અને ધીરજ વાધવાન માટે એસેટ્સ ઊભી કરવા કર્યો છે.ઉલ્લેખનીય છે કે,અગાઉના જુદાજુદા ફ્રોડ કેસમાં કપિલ અને ધીરજ વાધવાન જેલમાં છે.કંપનીને ધિરાણ કરનારી બેન્કો દ્વારા જુદાજુદા સમયે DHFLના લોન એકાઉન્ટ્સને નોન-પરફોર્મિંગ એસેટ્સ જાહેર કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે,જાન્યુઆરી ૨૦૧૯માં DHFLનું કૌભાંડ સપાટી પર આવ્યું ત્યારે ધિરાણકર્તા બેન્કોએ ૧ એપ્રિલ,૨૦૧૫થી ૩૧ ડિસેમ્બર,૨૦૧૮ના ગાળા માટે DHFLના‘સ્પેશિયલ રિવ્યૂ ઓડિટ’માટે KPMGની નિમણૂક કરી હતી.બેન્કોએ ૧૮ ઓક્ટોબર,૨૦૧૯ના રોજ કપિલ અને ધીરજ વાધવાનને દેશ છોડીને ભાગતા અટકાવવા‘લૂક આઉટ’સર્ક્યુલર પણ જારી કર્યો હતો.

‘મહાકાલ’ના ભક્તોની નારાજગી બાદ Zomatoએ પાછી ખેંચી એડ
અબ્દુલ કરીમે ભગવાન ગણેશની મૂર્તિ પર ફેંક્યું ઈંડું : મહારાષ્ટ્ર પોલીસે બાથરૂમમાંથી દબોચ્યો
એરલાઇન્સ- હોસ્‍પિટાલિટી સેક્ટરને મોટુ નુકશાન : દેશના ખાનગી એરપોર્ટના 2 લાખ કર્મચારીઓની નોકરી જોખમમાં
ચીને દુનિયાને અંધારામાં રાખી ખેલી રહ્યું છે ખેલ : પરમાણુ પરીક્ષણ કરતા ભારતની ચિંતા વધી
મુંબઈના મટકા કિંગની થઇ હત્યા, હત્યા પાછળ છોટા રાજનનો હાથ હોવાની શક્યતા
Share This Article
Facebook Email Print
Previous Article સોનિયા ગાંધીએ પૂછપરછ માટે હાજર થવા ઇડી પાસે સમય માંગ્યો
Next Article કાનપુરના ડિમોલિશનને રમખાણો સાથે સંબંધ નથીઃ યુપી સરકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up