દેશમાં કોરોનાવાયરસ અને તેને પગલે ચાલી રહેલી તાળાબંધી ને પગલે દેશનું અર્થતત્રં સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે અને સેંકડો ઉધોગો બધં પડી જવાની હાલતમાં છે ત્યારે દેશના ઉધોગ જગત ને બેઠો કરવા માટે કેન્દ્ર સરકાર પાસે પિયા ૧૫ લાખ કરોડના રાહત પેકેજની માગણી કરવામાં આવી છે.
ઔધોગિક સંગઠન સીઆઈઆઈ દ્રારા જાહેર કરવામાં આવ્યું છે કે ઉધોગો તાળાબંધી ના ત્રીજા તબક્કામાં સંપૂર્ણ રીતે તબાહ થઇ ગયા છે અને અર્થતત્રં ખાડે ગયું છે ત્યારે ઉધોગોને ચાલતા કરવા માટે પંદર લાખ કરોડના વિશેષ રાહત પેકેજની જર છે અને તેના સિવાય ઔધોગિક એકમો બેઠા થઈ શકે તેમ નથી.સીઆઇઆઇના પ્રમુખ વિક્રમ કિલોસ્કર એ એવી માહિતી આપી છે કે દેશમાં તાળાબંધી નો ત્રીજો તબક્કો ઉધોગો માટે મરણતોલ બની ગયો છે અને એમની તમામ સિલક ખલાસ થઈ ગઈ છે. કામદારો વધ્યા નથી.રો મટીરીયલ નથી અને રો મટીરીયલ ખરીદવા માટે નાણાંકીય વ્યવસ્થા નથી. એ જ રીતે કર્મચારીઓ માટે વેતનના પિયા પણ નથી.સીઆઇઆઇ દ્રારા એટલા માટે જ કેન્દ્ર સરકાર પાસે કુલ પિયા ૧૫ લાખ કરોડના ખાસ રાહત પેકેજની માગણી કરવામાં આવી છે જે જીડીપીના ૭.૫ ટકા જેટલી થાય છે.તેમણે કહ્યું કે દેશમાં તાળાબંધી નો ત્રીજો તબક્કો પૂરો થશે ત્યાં સુધીમાં બે મહિના જેટલું આઉટપુટ ઘટી ગયું હશે.
ગત ૨૫મી માર્ચ થી દેશમાં તાળાબંધી ચાલી રહી છે અને હજુ ૧૭મી મે સુધી ચાલવાની છે પરંતુ દેશમાં કેસ ની સંખ્યા જે ઝડપથી વધી રહી છે તેને જોતા એવા અનુમાનો થઈ રહ્યા છે કે હજુ પણ લોક ડાઉન લંબાવવાની શકયતા છે ત્યારે દેશના ઉધોગની હાલત સદંતર પાયમાલ જેવી થઈ જશે.બેરોજગારી નો રાક્ષસ દેશમાં વધુ કણતા ફેલાવશે તેવો ખતરો હવે પેદા થઈ ગયો છે.ઓલરેડી છેલ્લા બે માસમાં દેશમાં બેરોજગારી વિક્રમજનક સપાટી પર પહોંચી ગઈ છે અને જો વધુ તાળાબંધી લંબાવવામાં આવશે તો ઉધોગોને બેઠા કરવા માટે પિયા ૧૫ લાખ કરોડના રાહત પેકેજની જર છે તેમાં કોઈ શંકા નથી