નવી દિલ્હી,
કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપનીઝ(સીઆઇએબીસી)એ ૧૦ રાજ્યોને દારૃના વેચાણને મંજૂરી આપવાની વિનંતી કરી છે. સીઆઇએબીસીએ જણાવ્યું છે કે લોકડાઉનને કારણે ગેરકાયદેસર અને નકલી દારૃનું વેચાણ વધી ગયું છે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉનને કારણે સમગ્ર દેશમાં દારૃની જથ્થાબંધ અને રિટેલ દુકાનો બંધ થઇ ગઇ છે.ઇન્ડિયન આલ્કોહોલિક બેવરેજ ઇન્ડસ્ટ્રીઝની સર્વોચ્ચ સંસ્થા સીઆઇએબીસીએ દસ રાજ્યો દિલ્હી,હરિયાણા,કર્ણાટક,મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર,પંજાબ,રાજસ્થાન,તેલંગણા,ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનોને પત્ર લખ્યો છે.
સીઆઇએબીસીના ડાયરેક્ટર જનરલ વિનોદ ગિરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગેરકાયદેસર અને બનાવટી દારૃનું વેચાણ વધી ગયું છે.જેના કારણે લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે.
આ પત્રમાં સીઆઇએબીસીના ડાયરેક્ટર જનરલે તમામ રાજ્યોને વિનંતી કરી છે કે દારૃના તમામ લાયસન્સની મુદ્દત ૩૦ એપ્રિલ અથવા લોકડાઉન પછીના એક મહિના સુધી વધારવાની માગ કરવામાં આવી છે.
ગીરીએૈ વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારો માટે દારૃ આવકનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે.દારૃની દુકાનો બંધ કરી દેવાથી રાજ્ય સરકારોની આવકને મોટો ફટકો પડયો છે.