By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CM યોગી આદિત્યનાથની તાજપોશી માટે ભવ્ય તૈયારી, 48 મંત્રીઓની યાદી ફાઈનલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > CM યોગી આદિત્યનાથની તાજપોશી માટે ભવ્ય તૈયારી, 48 મંત્રીઓની યાદી ફાઈનલ
GeneralNational

CM યોગી આદિત્યનાથની તાજપોશી માટે ભવ્ય તૈયારી, 48 મંત્રીઓની યાદી ફાઈનલ

HM News
Last updated: 25/03/2022 10:38 AM
HM News
3 years ago
Share
SHARE

લખનૌ, તા. 25 માર્ચ 2022, શુક્રવાર : યોગી આદિત્યનાથ આજે ઈકાના સ્ટેડિયમ ખાતે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.તેમના સાથે 48 મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે.આજે સાંજે 4:00 વાગ્યે યોજાનારા આ શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓ ઉપસ્થિત રહેશે.યોગી આદિત્યનાથે પોતે જ ફોન કરીને મુલાયમ સિંહ,અખિલેશ યાદવ અને માયાવતીને સમારંભમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું છે.

આજે યોગી આદિત્યનાથની સાથે આશરે 47 જેટલા મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે.નવી કેબિનેટમાં 7થી 8 મહિલાઓ પણ મંત્રી બની શકે છે.જોકે કોણ મંત્રી બનશે તે નામ સ્પષ્ટ નથી થયા પરંતુ કેટલાક જૂના મંત્રીઓની વાપસી અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય મળશે તેમ જણાઈ રહ્યું છે.

આ સાથે જ 2 નાયબ મુખ્યમંત્રી અને તેમાંથી એક કેશવ પ્રસાદ મૌર્ય હશે તે નિર્ધારિત જણાઈ રહ્યું છે.પાછલી સરકારમાં મંત્રી રહેલા 20થી વધારે નેતાઓને આ વખતે યોગી કેબિનેટમાં સ્થાન નહીં મળે.આ વખતે બનારસથી એક એવો ચહેરો યોગી મંત્રીમંડળમાં દેખાઈ શકે છે જે કોઈ સદનનો સદસ્ય નથી.

શપથ ગ્રહણમાં સામેલ થનારા નેતાઓ,ધારાસભ્યો અને MLCનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.જેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હશે તે લોકોને જ મંચ પર સ્થાન આપવામાં આવશે.આશરે 70 નેતાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ પહેલા કાર્યકરોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે.પ્રદેશના વિભિન્ન વિસ્તારોમાંથી ભાજપ કાર્યાલય પહોંચેલા કાર્યકરોએ ગાઈ-વગાડીને મુખ્યમંત્રી યોગીની સેકન્ડ ઈનીંગનું સ્વાગત કર્યું હતું.કાર્યકરોના કહેવા પ્રમાણે બુલડોઝર બાબાએ કાયદાનું રાજ,મહિલા સુરક્ષા અને ગરીબ કલ્યાણ વડે પ્રદેશની તસવીર બદલી નાખી છે.

ગોરખનાથ મંદિરમાં 11 ક્વિન્ટલ લાડુ ધરાવાયા

લખનૌમાં યોગી આદિત્યનાથના બીજી વખતના શપથ ગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેમના ઘર ગોરખપુરમાં શપથ ગ્રહણ બાદની ઉજવણી અને પ્રસાદ વિતરણની તૈયારીઓ થઈ રહી છે.ગોરખનાથ મંદિરમાં 11 ક્વિન્ટલ લાગુ ભગવાન ગોરખનાથને પ્રસાદમાં ધરાવીને તેને ઈકાના સ્ટેડિયમ મોકલી દેવાયો છે.સાંજે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે ત્યાર બાદ ઈકાના સ્ટેડિયમ મોકલવામાં આવેલા લાડુ મહેમાનોને પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવશે.શપથ ગ્રહણ બાદ ગોરખનાથ મંદિરમાં પ્રસાદરૂપે વિતરણ કરવા 5 ક્વિન્ટલ લાડુ બનાવવામાં આવ્યા છે.

શું રામ મંદિર માટે ફાળો નહીં આપનારા ઉમેદવારોને ભાજપ ટિકિટ નહીં આપે?
અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુર જતાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ 4700 એસ.ટી.ની બસ દોડાવાશે : પરિવહન પ્રધાન
નોકરિયાતો ફોર્મ -૧૬ વગર પણ ભરી શકશે આવકવેરા રિટર્ન
સુરતમાં કથિત પથ્થરમારા મુદ્દે આપે ભાજપ પર આરોપ લગાવ્યા બાદ હવે મહેસાણાનો આખલો પણ ભાજપનો નીકળ્યો!
પંજાબમાં લુધિયાણાની કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ, કોર્ટ પરિસરમાં અફરાતફરી
Share This Article
Facebook Email Print
Previous Article અખિલેશથી માંડીને અમિતાભ બચ્ચન, જાણો યોગીના સોગંદવિધિ સમારોહ માટે કોને કોને આમંત્રણ
Next Article મૂર્ખતાનુ પ્રદર્શન છે, ઈસ્લામિક દેશોના સંગઠને આપેલા નિવેદનની ભારતે કાઢી આકરી ઝાટકણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up