By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Corona Virus: દેશમાં સંક્રમણના કેસો 500ને પાર, રાજ્યસભાની ચૂંટણી મુલતવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Corona Virus: દેશમાં સંક્રમણના કેસો 500ને પાર, રાજ્યસભાની ચૂંટણી મુલતવી
GeneralNational

Corona Virus: દેશમાં સંક્રમણના કેસો 500ને પાર, રાજ્યસભાની ચૂંટણી મુલતવી

HM News
Last updated: 24/03/2020 7:57 AM
HM News
5 years ago
Share
SHARE

પૂર્વોત્તરમાં મણિપુર ખાતે કોરોના વાયરસથી સંક્રમણનો સૌપ્રથમ કેસ નોંધાયો
એજન્સી, નવી દિલ્હી

દેશમાં કોરોના વાયરસના સંક્રમિત કેસોની સંખ્યા 512 પર પહોંચી ગઈ છે તેમજ આ ગંભીર વાયરસે અત્યાર સુધીમાં નવ લોકોનો ભોગ લીધો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 101 કેસો નોંધાયા છે તેમજ બીજા ક્રમે કેરળ રહ્યું છે જ્યાં 95 કેસ થયા હોવાના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. મંગળવારે મણિપુરમાં સંક્રમણનો સૌપ્રથમ કેસ નોંધાયો છે. 23 વર્ષની યુવતી તાજેતરમાં બ્રિટનથી પરત ફરી હતી અને તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત 568 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 26 માર્ચના રાજ્યસભાની 55 બેઠકોની ચૂંટણી પણ હાલ મુલતવી રાખવાનો આદેશ ચૂંટણી પંચે આપ્યો છે. ગુજરાતની ચાર રાજ્યસભા સહિત કુલ 55 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની હતી જે હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. 31મી માર્ચ બાદ ચૂંટણી પંચ રાજ્યસભા ચૂંટણીની નવી તારીખ જાહેર કરશે.

દેશના પાંચ રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. પોલીસે રસ્તાઓ પર અડિંગ જમાવ્યો છે અને અકારણ ઘરની બહાર નિકળતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છએ. પોલીસે બેરિકેડિંગ કરી ફક્ત આવશ્ય કામ માટે જ લોકોને બહાર નિકળવા મંજૂરી આપી છે.

લોકડાઉન વચ્ચે મંગળવારે સવારે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા બહાર નિકળેલા કેટલાક લોકોએ જણાવ્યું કે સરકારે રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવા માટે સમય નક્કી કરવો જોઈએ, જેથી લોકોને હાલાકીનો સામનો ના કરવો પડે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તેઓ લોકડાઉનો કડક રીતે અમલ કરે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 102 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. વૈશ્વિક સ્તરે કોરોનાના નવા 40788 કેસો નોંધાયા હતા અને કુલ સંક્રમિત લોકોનો આંકડો વધીને 3,32930નો થયો હતો.

વીજ વિતરણ કંપનીઓની ઉત્પાદકોને 92,693 કરોડની ચૂકવણી બાકી
રથયાત્રાને લઈને મોસાળમાં ભારે ઉત્સાહ, મામેરામાં આભૂષણ, વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ કરાશે
સંજય રાઉત પર ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો
મહારાષ્ટ્ર્રમાં શિવસેનાના બદલાતા સુર : સંજય રાઉતે વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા
ભાજપની વર્ચ્યુઅલ મિટિંગમાં કોણે વગાડી મંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ? આ ઘટના પછી તો એવું થયું…
Share This Article
Facebook Email Print
Previous Article હું સમાજનો દુશ્મન છું, હું ઘરે નહી રહું…
Next Article કોરોનાથી 1600ના મોત છતાં ઈરાને અમેરિકાની મદદ લેવાનો કર્યો ઈનકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up