By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: COVID 19 : ઇન્દોરમાં સર્વે કરવા ગયેલી ટીમ પર ચાકૂથી હુમલો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > COVID 19 : ઇન્દોરમાં સર્વે કરવા ગયેલી ટીમ પર ચાકૂથી હુમલો
GeneralNational

COVID 19 : ઇન્દોરમાં સર્વે કરવા ગયેલી ટીમ પર ચાકૂથી હુમલો

HM News
Last updated: 18/04/2020 10:13 AM
HM News
5 years ago
Share
SHARE

ઇન્દોર : કોરોના સંક્રમણના આ દૌરમાં આપણા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહેલા ડૉક્ટર્સ,સ્વાસ્થ્યકર્મી અને પોલીસકર્મીઓ સાથે ગેરવર્તનના બનાવો ઓછું થવાના નામ નથી લઈ રહ્યા.ફરી એક વખત ઇન્દોર શહેરમાંથી આવા સમાચાર આવ્યા છે.અહીં ફરી એક વખત સ્વાસ્થ્ય વિભાગની ટીમ પર હુમલો થયો છે.આ વખતે એક બદમાશે હુમલો કર્યો છે.આ દરમિયાન તેણે ચાકૂ વડે ટીમ પર હુમલો કર્યો હતો,ટીમના બચાવમાં વચ્ચે પડેલા પાડોશીને ચાકૂ વાગ્યું હતું અને તે ઘાયલ થયો હતો.આ સાથે જ સ્વાસ્થ્યકર્મીના હાથ અને પગલમાં ઈજા પહોંચી હતી.

નશાની હાલતમાં હતો હુમલાખોર

ઇન્દોરના વિનોબા નગરમાં સર્વે કરી રહેલા ડૉક્ટર,ટીચર,પેરામેડિકલ અને આશા કાર્યકરો પર અચાનક પારસ નામના એક યુવકે હુમલો કરી દીધો હતો. આ દરમિયાન તે નશાની હાલતમાં હતો.કહેવામાં આવી રહ્યું છે કે તે નશો વેચવાનું કામ કરે છે,હુમલા બાદ સ્થાનિક લોકોએ તેનો રોકવાનો પ્રયાસ કર્યો હતો,આ સમયે તે ચાકૂ લઈને લોકો પાછળ દોડ્યો હતો.હુમલામાં સ્વાસ્થ્યકર્મીની સાથે સાથે એક સ્થાનિક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો છે.

પહેલા પણ હુમલો થયો હતો

આ પહેલા ઇન્દોરના જ ટાટ પટ્ટી બાખલ વિસ્તારમાં જ સર્વે માટે ગયેલી ટીમ પર હુમલો કરાયો હતો.ટીમ આ વિસ્તારમાં પહોંચતા જ લોકોએ પથ્થરમારો કરી દીધો હતો.આ દરમિયાન આખા વિસ્તારમાં હંગામો થયો હતો.તણાવને કારણે આ વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ટાટ પટ્ટી બાખલ વિસ્તારમાં ગત દિવસોમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું.આ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોના સ્ક્રિનિંગ માટે સ્વાસ્થ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી.

જોકે,આ દરમિયાન સ્વાસ્થ્ય વિભાગની ટીમને સહકાર આપવાને બદલે તેમના પર હુમલો કરાયો હતો.લોકો ધીમે ધીમે એકઠા થવા લાગ્યા હતા અને વાત પથ્થરમારા સુધી પહોંચી હતી.કોરોનાનું સંક્રમણ રોકવા માટે આ વિસ્તારને કેન્ટોમેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.સુરક્ષાને ધ્યાનમાં રાખીને આડસો લગાવવામાં આવી હતી જોકે,ગુસ્સે ભરાયેલા લોકોએ આડસો તોડી નાખી હતી.

લોકો ડૉક્ટરો પર થૂંક્યા હતા

જ્યારે શહેરના રાનીપુર વિસ્તારમાં થોડા દિવસ પહેલા તપાસ માટે ગયેલા ડૉક્ટરો પર સ્થાનિક લોકો થૂંક્યા હતા.જે બાદમાં ડૉક્ટરોએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી હતી.

યુક્રેનનું શરમજનક કૃત્ય! યુદ્ધ વચ્ચે કાળી માતાનું અપમાન કર્યું, ભારે વિરોધ બાદ ટ્વિટ ડિલીટ કરવી પડી
વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિન અન્વયે કલેકટરનાઅધ્યક્ષ સ્થાને બેઠક મળી
સુકેશ કેસમાં અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝની ફરી ઈડી દ્વારા પૂછપરછ
અમદાવાદ : ભાજપના કયા દિગ્ગજ નેતાને પોલીસ સાથે થઈ બબાલ? જાણો શું છે કારણ?
દિલ્હી હિંસા: ચાંદબાગમાં ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીનો મૃતદેહ મળ્યો
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદમાં એક દિવસમાં 143 પોઝિટિવ કેસ, સૌથી વધુ 91 કેસ જમાલપુર વિસ્તારમાં
Next Article ગુજરાતીઓ માટે ખુશખબર, 66 લાખ લોકોના ખાતામાં જમા થશે રૂપિયા 10000 : અશ્વિનિ કુમાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up