CR પાટીલ વિરુદ્ધ મોર્ચો ખોલી ચુકેલા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા

HM News
3 Min Read

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હજુ પણ પક્ષ પલટાના મૌસમ રુકવાનું નામ જ નથી લઈ રહ્યા અને ગુજરાતની રાજનીતિમાં ઉથલ પાથલ થતી જોવા મળી રહી છે.ત્યારે આજે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસએ હવે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે અને તેઓ તેમના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે.તેઓનુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ખેંસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ.

સિદ્ધપુર વિધાનસભાના દિગ્ગજ નેતા અને સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જાહેર સભામાં અચાનક પહોચીને સમર્થન જાહેર કર્યુ છે.ત્યારે અચાનક પહોંચીને તેમણે પોતાના સમર્થકોને જ ચંદનજી ઠાકોરને મત આપવા અપીલ કરી હતી.મળતી માહિતી મુજબ ભાજપની નેતાગીરીથી જયનારાયણ વ્યાસ નારાજ હતા.ત્યારે આ અંગે તેમણે કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે વાત કરી હતી તેમ છત્તા કોઈ ઉકેલ ન આવતા તેઓ અત્યંત નારાજ હતા.જે બાદ આજે તેઓએ સિદ્ધપુરના કોંગી ઉમેદવાર ચંદનજી ઠાકોરની જનસભામાં પહોચી તેમણે ટેકો જાહેર કરી દીધો હતો.તેમજ સભામાં તેમણે કહ્યુ હતુ કે, હું તેમની સાથે છું, અને આપણે બધા ભેગા થઈને ચંદનજીભાઈને જીતાડીશુ.

ગેહલોત સાથેની મુલાકાત અંગે ભાજપના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે કર્યો મોટો ખુલાસો

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ નવા નવા સમીકરણો અને જોડ તોડની રાજનીતિ ચાલી રહી છે.આ વચ્ચે કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અત્યારે ગુજરાતમાં પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે તેમની સાથે મુલાકાત કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.જય નારાયણ વ્યાસ રાજ્યમાં પૂર્વ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે.આ ઉપરાંત તેઓ સિદ્ધપુર બેઠક પરથી વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.વિધાનસભા ચૂંટણી પહેલા અશોક ગેહલોત અને જયનારાયણ વ્યાસ વચ્ચે થયેલી મુલાકાતના કારણે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.જેના પર જય નારાયણ વ્યાસે જણાવ્યું છે કે, મેં સિદ્વપુર બેઠક પરથી ચૂંટણી લડવા દાવેદારી કરી છે.મારૂ ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યું છે.સિદ્વપુર સિવાય કોઇ બેઠક પરથી હું ચૂંટણી લડવાનો પણ નથી.તેમજ પાર્ટી ટિકિટ ન આપે તો બીજી વાત વિચારી શકાય.

ચૂંટણી પહેલાં ગેહલોત અને વ્યાસ વચ્ચે અંદાજે 20 મિનિટની ચર્ચા બંધ બારણે કરી હતી. જેના કારણે ભાજપ અને કોંગ્રેસમાં અલગ અલગ ચર્ચા થઈ રહી હતી.જેના પર આખરે જયનારાયણ વ્યાસે જ જવાબ આપતાં કહ્યું કે, આમારા નેતા ગડકરીજીએ કહ્યું છે દરેક માણસ પોતાની રીતે વિચારી શકે છે.હાલ હું ટિકિટ ન મળવા બાબતે કંઇ વિચારી રહ્યો નથી.

કોંગ્રેસ સતત તૂટી રહી છે

આ તરફ ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ઘણાં નેતા તૂટી રહ્યા છે.છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે,જેમાં મહિલા નેતા રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે.આ સાથે જ રાધિકા રાઠવાએ કેજરીવાલ સાથેની તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *