By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: DGP આશિષ ભાટિયાનું મોટું નિવેદન, કહ્યુ કે – જરૂર પડે તો કર્ફ્યૂના કલાકોમાં વધારો થશે અને ધૂળેટી…..
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > DGP આશિષ ભાટિયાનું મોટું નિવેદન, કહ્યુ કે – જરૂર પડે તો કર્ફ્યૂના કલાકોમાં વધારો થશે અને ધૂળેટી…..
AhmedabadGeneral

DGP આશિષ ભાટિયાનું મોટું નિવેદન, કહ્યુ કે – જરૂર પડે તો કર્ફ્યૂના કલાકોમાં વધારો થશે અને ધૂળેટી…..

HM News
Last updated: 19/03/2021 9:43 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.રાજ્યમાં 18 માર્ચના રોજ 1276 કેસ સામે આવ્યા હતા અને 899 લોકો કોરોનાની સારવાર લઈ સ્વસ્થ થયા છે.હાલ રાજ્યમાં 5684 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 63 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 5631 દર્દીઓ સ્ટેબલ છે.કોરોનાના કારણે અત્યાર સુધીમાં 4433 લોકોના મોત થયા છે અને 18 માર્ચના રોજ અમદાવાદ અને સુરત શહેરમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદના બે લોકો અને સુરતના એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

18 માર્ચના રોજ સૌથી વધારે પોઝિટિવ કેસ સુરતમાં સામે આવ્યા હતા.સુરતમાં 324, અમદાવાદમાં 298, વડોદરામાં 111, રાજકોટમાં 98, સુરત જિલ્લામાં 71, જામનગરમાં 38, ખેડામાં 25, પંચમહાલમાં 25, ભાવનગરમાં 24, દાહોદમાં 18, મહેસાણામાં 18, વડોદરા જિલ્લામાં 18, આણંદમાં 15, કચ્છમાં 15, રાજકોટ જિલ્લામાં 15, ગાંધીનગરમાં 14, ભરૂચમાં 13, મહીસાગરમાં 13, નર્મદામાં 13, સાબરકાંઠામાં 13, ગાંધીનગર જિલ્લામાં 10, જામનગર જિલ્લામાં 10, અમરેલીમાં 8, ભાવનગરમાં 8, પાટણમાં 7, અમદાવાદ જિલ્લામાં 6, છોટાઉદેપુરમાં 6, મોરબીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, બનાસકાંઠામાં 4, વલસાડમાં 4, તાપીમાં 5, ગીર સોમનાથમાં 3, જૂનાગઢમાં 3, નવસારીમાં 3, અરવલ્લીમાં 2, ડાંગમાં 2, દ્વારકામાં 2, બોટાદ, જુનાગઢ જિલ્લો અને પોરબંદરમાં એક-એક કેસ સામે આવ્યો છે.રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા DGP આશિષ ભાટિયાએ કાયદાને વધુ કડક કરવામાં આવશે અને પરિસ્થિતિ અનુસાર કર્ફ્યૂના નિયમો અને કર્ફ્યૂના કલાકોમાં પણ વધારો કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે.

DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ વધારે બગડશે તો નિયમોનું પાલન વધારે કડક રીતે કરાવવામાં આવશે.કર્ફ્યૂના કલાકો પણ જરૂર પડે તો વધારો કરવામાં આવશે અને દરેક પ્રકારે પગલાં લેવામાં આવશે.જે પ્રકારની પરિસ્થિતિ હશે તે પ્રકારે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

હોળી-ધૂળેટીના તહેવારને લઈને તેમને નિવેદન આપ્યું હતું કે, ઓછામાં ઓછું સેલિબ્રેશન કરવામાં આવે કારણ કે,આ પરિસ્થિતિમાં વધારે લોકો એકઠા ન થાય.રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યા પછી લાગુ પડશે જ અને હજુ વધારે કાયદો કડક કરવામાં આવી શકે છે.અત્યારે પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ વધારવામાં આવ્યું છે.એટલે જે પ્રકારની પરિસ્થિતિ હશે તે પ્રકારે પોલીસ ખાતાની કામગીરી હશે.પરિસ્થિતિને કાબુમાં લેવા માટે બધા લોકો માસ્ક પહેરતા થાય,સામાજિક અંતરનું પાલન કરે આ ઉપરાંત બધા લોકો વેક્સિન સમયસર લઈ લે.

ભારત એશિયામાં સૌથી વધુ દેવાદાર: પાક.-બાંગ્લાદેશથી પણ પાછળ
૧૨૦ કરોડ લોકો ઘરોમાં કેદઃ મૃત્યુઆંક ૧૬૫૧૦: ૩.૭૮ લાખ કેસ
ભારતીય કંપની એ કહ્યું, કોરોનાની રસી સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થાય તેવી આશા
અમૃતપાલ સિંઘના ઘરે પહોંચી પંજાબ પોલીસ, દોઢ કલાકની પુછપરછમાં માતા-પિતાએ આપ્યો જવાબ
આ દેશ માત્ર હિન્દુઓનો નથી, રાહુલ ગાંધીના નિવેદન બાદ ઓવૈસી લાલચોળ
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈના પોલીસ કમિશનર બાદ હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રીનો વારો? મનસુખ હિરેનના મોત પર ચોંકાવનારો ખુલાસો
Next Article આ તે કેવો કાયદો ? ડેમોક્રેસીના સ્થાને હાઈપોક્રેસી ? વિધાનસભ્યો માસ્ક ન લગાવે તો દંડ 500, જનતાને 1000 કેમ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up