મુંબઈ: દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડના ઋણદાતાઓએ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો છે,તેમનું કહેવું છે કે તેમને ડીએચએફએલ ફ્રોડ મામલે રૂ.14,000 કરોડની રિટેલ લોનને ફ્રોડ તરીકે ટેગ કરવામાં આવે.કંપનીએ આ વાત 2 સપ્ટેમ્બરે એક્સચેન્જને જણાવી હતી.
સૂત્રો અનુસાર, ડીએચએફએલ દ્વારા લોનને રિટેલ એડવાન્સિસ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી પરંતુ તે ખરેખરમાં તો હાઉસિંગ ફાઇનાન્સરના પ્રમોટરોની માલિકીની શેલ કંપનીઓને ફાળવાઈ હતી અને કથિત રીતે ફ્રોડ કરીને તે નાણાની ઉચાપત કરી લેવામાં આવ્યા હતા.
વધુમાં, 3,348 કરોડની રકમ અમુક કંપનીઓને નીચા વ્યાજદરના વસૂલવાને કારણે કંપનીને કાલ્પનિક નુકસાન તરફ દોરી અને બાકી હોવાનું માનવામાં આવે છે, એમ એક્સચેંજ જાહેરનામામાં જણાવાયું છે.ગ્રાન્ટ થોર્ટન દ્વારા સબમિટ કરેલા ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ દ્વારા ડીએચએફએલને લેણદારોની સમિતિએ આ તારણોથી વાકેફ કર્યા હતા.
ટ્રાન્ઝેક્શન ઓડિટરની તપાસ અને અવલોકનોને આધારે, વહીવટકર્તાએ “બાન્દ્રા બુક્સ એન્ટિટીઝ” તરીકે ઓળખાતી કેટલીક કંપનીઓને આપવામાં આવેલી લોનના સંદર્ભમાં રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચ સમક્ષ અરજી કરી છે તેમ જાહેરનામામાં જણાવાયું છે.
જાહેરનામામાં ઉમેર્યું છે કે, એડમિનિસ્ટ્રેટરે પ્રમોટરો કપિલ અને ધીરજ વાધવાન, ટાઉનશીપ ડેવલપર્સ ઈન્ડિયા લિમિટેડ,વાધવાન હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ,ધીરજ ટાઉનશીપ ડેવલપર્સ પ્રા.લિ. વાધવાન કન્સોલિડેટેડ હોલ્ડિંગ્સ પ્રા.લિ., વાધવાન ગ્લોબલ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ પ્રા. લિ., વાધવાન લાઇફસ્ટાઇલ રિટેલ પ્રા. લિમિટેડ અને કેટલીક અન્ય કંપનીઓ સહિત 87 સામે અરજી દાખલ કરી છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વવાળા લેન્ડર્સ આ ખાતાઓને ફ્રોડ તરીકે ટેગ કરવા અને આ લોનને શૂન્ય માનવાની માંગ કરી રહ્યા છે,જે ફ્રોડની કાર્યવાહી હેઠળ જરૂર છે.એકવાર એનસીએલટીએ તેને મંજૂરી આપી દીધા પછી લેન્ડર્સ આ લોન્સને તેમની બુક્સમાં પૂર્ણ રીતે લખી શકે છે અને પ્રમોટરો સામે વસૂલી માટે કાર્યવાહી શરૂ કરી શકે છે,એમ સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું.લેન્ડર્સ પણ આ લોનને બોલી લગાવનારને વેચવાનો અધિકાર જાળવી રાખે છે.


