By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: EDની એક્શન બાદ સંજય રાઉતે કહ્યું- શું હું વિજય માલ્યા, નીરવ મોદી કે અંબાણી-અદાણી છું?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > EDની એક્શન બાદ સંજય રાઉતે કહ્યું- શું હું વિજય માલ્યા, નીરવ મોદી કે અંબાણી-અદાણી છું?
GeneralMumbai

EDની એક્શન બાદ સંજય રાઉતે કહ્યું- શું હું વિજય માલ્યા, નીરવ મોદી કે અંબાણી-અદાણી છું?

HM News
Last updated: 06/04/2022 7:29 AM
HM News
3 years ago
Share
SHARE

– ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓએ જાન્યુઆરીમાં મારો સંપર્ક કર્યો હતો અને પક્ષ બદલવા માટે કહ્યું હતું: રાઉત

મુંબઈ, તા. 06 એપ્રિલ 2022, બુધવાર : શિવસેનાના નેતા સંજય રાઉતની આશરે 1,034 કરોડ રૂપિયાની સંપત્તિ EDએ જપ્ત કરી છે.બુધવારના રોજ થયેલી આ કાર્યવાહી બાદ રોષે ભરાયેલા સંજય રાઉતે EDને સવાલ કર્યો હતો કે, શું તે તેમને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ ટાઈકુન સમાન માને છે.

સંજય રાઉતે જણાવ્યું કે, તેમના વિરૂદ્ધ કાર્યવાહી એવા સમયે શરૂ થઈ જ્યારે લોકોએ તેમના પર મહારાષ્ટ્ર સરકાર પાડવા દબાણ બનાવ્યું.રાઉતે મીડિયાને જણાવ્યું કે, તેમણે આ મામલે રાજ્યસભાના સભાપતિ-ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પહેલેથી જ જણાવી દીધું હતું.રાઉતના કહેવા પ્રમાણે સમગ્ર કાર્યવાહી રાજકીય બદલા અંતર્ગત કરવામાં આવી છે. ‘મેં પહેલેથી જ રાજ્યસભાના સભાપતિને આ અંગે જણાવી દીધું હતું.મારા પર મહારાષ્ટ્ર સરકારને પાડી દેવાનું દબાણ બનાવાઈ રહ્યું છે.મેં ના પાડી તો મારે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરે આવીને મને ધમકાવવામાં આવ્યો અને પછી કાર્યવાહી શરૂ થઈ.’

‘ભાજપના વરિષ્ઠ નેતાઓએ સંપર્ક કરેલો’

અગાઉ રાવતે દાવો કર્યો હતો કે, ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓએ જાન્યુઆરી મહિનામાં તેમનો સંપર્ક કર્યો હતો અને પક્ષ બદલવા માટે કહ્યું હતું.સાથે જ ચેતવણી આપી હતી કે, જો તેમણે મનાઈ કરી તો તેમણે આની કિંમત ચુકવવી પડશે.તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, જો તેઓ હલશે નહીં તો કેન્દ્રીય એજન્સીઓ તેમને ઠીક કરી દેશે.તે લોકોએ એમ કહ્યું હતું કે, તેઓ કોઈ પણ રીતે આ સરકારને પાડવા માગે છે.તેઓ રાષ્ટ્રપતિ શાસન લાવશે અથવા તો ધારાસભ્યોના એક જૂથને તોડીને સરકાર બનાવશે. EDએ રાઉતનો અલીબાગ પ્લોટ અને દાદર, મુંબઈનો એક ફ્લેટ જપ્ત કર્યો છે.

રાઉતે કહ્યું કે, સંપત્તિનો અર્થ પણ સમજવો પડશે.શું હું વિજય માલ્યા છું? શું હું મેહુલ ચોક્સી છું? શું હું નીરવ મોદી કે અંબાણી-અદાણી છું? હું એક નાનકડા ઘરમાં રહું છું, મારા પૈતૃક સ્થાનમાં.મારા પાસે એક પણ એકર જમીન નથી.મારા પાસે જે પણ કશું છે તે પૈસા મારી મહેનતથી કમાયેલા છે.શું તપાસ એજન્સીને લાગે છે કે, કોઈ મની લોન્ડ્રિંગ છે? તમે લોકો મને કોના સાથે જોડી રહ્યા છો? મને કોઈ ડરાવી નહીં શકે.પછી ભલે તે મારી સંપત્તિ જપ્ત કરી લે કે મને ગોળી મારી દે કે મને જેલમાં મોકલી દે.. સંજય રાઉત બાલાસાહેબ ઠાકરેના અનુયાયી અને એક શિવ સૈનિક છે.

પીએમ-કિસાન યોજના: હજી પણ 4 કરોડ લોકોને 6000 રૂપિયા નથી મળતા, જાણો કેમ?
મહામારીની સ્થિતિમાં પણ ‘નાપાક’ ઇરાદા: ૨૪ કલાકમાં ૯ આતંકીઓ ઠાર
ભાગેડુ માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે : કેન્દ્ર
દેશના સર્વોચ્ચ રમત-ગમત એવોર્ડ ‘ખેલરત્ન’નું નામ બદલાયું, રાજીવ ગાંધીનું નામ હટાવી મેજર ધ્યાનચંદ કરાયું
દેશમાં ટેકસટાઈલના કાચા માલની આયાત પર ડયુટી ઘટાડવાની સરકારની હિલચાલ
Share This Article
Facebook Email Print
Previous Article શિવસેનાના સાંસદ સંજય રાઉતનો દાદરનો ફ્લેટ, આઠ પ્લોટ સહિત 11 કરોડ 15 લાખ રૃપિયાની સંપતી ED દ્વારા જપ્ત
Next Article ચીન-રશિયાની કપટનીતિને કારણે સમગ્ર વિશ્વમાં ઘર્ષણ વધી રહ્યું છે : US ચીફ ઓફ સ્ટાફની ચેતવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up