એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ એક કથિત બેન્ક ફ્રોડ કેસ સાથે સંકળાયેલી મની લોન્ડરીંગ તપાસમાં ગુજરાતની એક કંપનીની રૂ.૨૦૪ કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લીધી છે.સંસ્થાએ જણાવ્યું છે કે તેણે ઓર્ડર ગ્રુપ ઓફ કંપનીઝ સામે પગલાં લીધા છે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) હેઠળ જારી કરાયેલી અસ્કામતોની જપ્તી માટેના કામચલાઉ ઓર્ડર બાદ અમદાવાદ અને સુરત સ્થિત મિલકતોને ટાંચમાં લેવાઇ છે.
આ કંપની અને તેના ડિરેકટરો સામે બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ બેન્કોના કોન્સોર્ટિયમને કથિત રીતે રૂ.૪૮૦ કરોડથી વધુની છેતરપિંડી કરવા બદલ તપાસ ચાલી રહી છે.અમદાવાદમાં કંપનીની જે મિલકતો ટાંચમાં લેવાઇ છે તેમાં થલતેજમાં એસજી હાઇવે ખાતે એક કોમર્શિયલ ઓફિસ,સેટેલાઇટ વિસ્તારમાં એક રહેણાક પ્લોટ,આંબલીમાં પાંચ રહેણાક પ્લોટ,ગોકુલધામમાં ૧ રેસિડેન્શિયલ પ્લોટ્સ,બોડકદેવમાં ચાર દુકાનો અને એલિસબ્રિજ અને આશ્રમ રોડમાં ઓફિસોનો સમાવેશ થાય છે.સુરતમાં એક નોન-એગ્રીકલ્ચર જમીન પણ ઓર્ડરના ભાગપે ટાંચમાં લેવાઇ છે.આ તમામ મિલકતોનું કુલ મૂલ્ય રૂ.૨૦૪.૨૭ કરોડ છે અને આ મિલકતો આ કેસ અંગેના ગુનામાંથી મળેલી રકમનો ભાગ છે.
ઇડીએ જણાવ્યું હતું કે તેને તપાસમાં જાણવા મળ્યું કે ભરત શાહ,ફેનિલા શાહ અને ગીતાબેન શાહ આર્ડર ઇન્ટરનેશનલ લિમિટેડ,આર્ડર ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, કેમ એજ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેકટરો હતાં અને તેમણે બેન્કોથી ક્રેડિટ ફેસિલિટીઝ મેળવીને તેનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરતા હતાં.ઇડીએ આર્ડર ગ્રુપ ઓફ કંપનીઓ અને તેના ડિરેકટરો સામે સીબીઆઇએ નોંધેલી છ એફઆઇઆરના અભ્યાસ બાદ પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો છે.સીબીઆઇના એફઆઇઆરમાં જણાવાયું છે કે બેન્કના કેટલાંક અજાણ્યા અધિકારીઓ સાથે મળીને કંપનીના ડિરેકટરો બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળની બેન્કના કોન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરી છે અને રૂ.૪૮૮ કરોડનું નુકસાન પહોંચાડયું છે.
પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ આર્ડોર ગુ્રપની મિલકતોને ટાંચમાં લેવાનો ઓર્ડર કરવામાં આવ્યો તે પછી અમદાવાદ અને સુરત ખાતેની તેની મિલકતોને ટાંચ લગાડવાની કાર્યાવાહી કરવામાં આવી છે. તેમની એટેચ કરવામાં આવેલી મિલકતોની કુલ કિંમત રૂા. 204.27 કરોડ થતી હોવાનો અંદાજ છે.
આર્ડોર ગુ્રપે ગુનાઈત પ્રવૃત્તિ કરીને મેળવેલા નાણાંનો ઉપયોગ કરીને આ મિલકતો વસાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આર્ડોર ગુ્રપની કંપનીઓના ડિરેક્ટરોએ મળીને બૅન્ક ઑફ ઇન્ડિયાના વડપણ હેઠળના બૅન્કોના કોન્સોર્ટિયમ સાથે રૂા.480 કરોડની છેતરપિંડી પણ કરી છે.
આર્ડોર ગુ્રપની કંપનીઓ સામે તપાસ કરીને સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર ફાઈલ કરી હતી. આ એફઆઈઆરની વિગતોને આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ હેઠળ આર્ડોર ગુ્રપની કંપનીઓ અને તેના ડિરેક્ટર્સ સામે તપાસ ચાલુ કરી છે.
સીબીઆઈની એફઆઈઆરમાં જણાવવામાં આવ્યુ ંછે કે કંપનીના ડિરેક્ટરોએ બૅન્કના ન ઝડપાયેલા અધિકારીઓ સાથેની મિલીભગતમાં ફ્રોડ આચર્યો છે. તેને પરિણામે બૅન્કોને રૂા.488 કરોડનું નુકસાન ભોગવવું પડયું છે. આર્ડોર ગુ્રપની કંપનીઓ આર્ડોર ઇન્ટરનેશનલ લિમિટેડ, અગ્લોબર પ્રાઈવેટ લિમિટેડ અને કૅમ એજ પ્રાઈવેલ લિમટિડમાં ફંડ ફેરવવાની કામગીરી કરી છે.
કોન્સોર્ટિયમે આપેલી ક્રેડિટની રકમમાંનું મોટું ફંડ તેમાં ફેરવ્યું છે. તેમણે ફંડને ડાયવર્ટ કરવા ઉપરાંત તેનો દુરૂપયોગ પણ કર્યો છે. ગુ્રપ કંપનીઓની મિલકતો મોર્ટગેજ મૂકીને તના પર વધુને વધુ ક્રેડિટ મેળવી હતી. તેમણે આ ક્રેડિટ મેળવવા માટે બૅન્કો સમક્ષ ખોટા નાણાંકીય સ્ટેટમેન્ટ ્ને હિસાબો રજૂ કર્યા હતા. પરિણામે બૅન્ક પાસેથી મેળવેલું ધિરાણ એનપીએ થયું હતું.


