નવી દિલ્હી : CBIએ લાંચ-રુશ્વત કેસમાં બે મહિના પહેલાં અટકાયતમાં લીધેલા ગૃહમંત્રાલયના અધિકારીઓ,NGOના પ્રતિનિધીઓ અને અન્ય લોકો સામે ચાર્જશીટ ફાઇલ કરી છે.આ તમામ લોકોએ NGOsને દેશના વિદેશી હૂંડિયામણના(FCRA) કાયદાનું ઉલ્લંઘન કરી વિદેશમાંથી ભંડોળ મેળવવા માટે લાંચ લીધી હોવાનો આરોપ છે.
અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે,શનિવારે સ્પેશિયલ કોર્ટને ચાર્જશીટ સુપરત કરવામાં આવી હતી.૧૧ મેના રોજ કરાયેલી ધરપકડના ૬૦ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ છે.ઘણાં અધિકારીઓએ NGOsને વિદેશમાંથી ભંડોળ મેળવવાની મંજૂરી આપવા સામે લાંચ લીધી હતી.એજન્સીએ ૧૦ મેના રોજ ગૃહ મંત્રાલયના સાત અધિકારી સહિત ૩૬ લોકો સામે કેસ નોંધ્યો હતો.ધરપકડ કરાયેલા અધિકારીઓમાં ગૃહ મંત્રાલયના સિનિયર એકાઉન્ટન્ટ પ્રમોદ કુમાર ભસીન,એકાઉન્ટ્સ ઓફિસર આલોક રંજન,એકાઉન્ટન્ટ રાજ કુમાર,આસિસ્ટન્ટ ડિરેક્ટર શાહીદ ખાન,મંત્રાલયના ઓફિસર મોહમ્મદ ગઝનફર અલી અને તુષાર કાંતિ રોયનો સમાવેશ થાય છે.