દીકરી ન્યાસાને કોરોના પોઝિટીવની વાત પર બોલ્યો અજય દેવગણ…

324

હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે. એક તરફ કોરોનાનો શિકાર બનેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. તો બીજી તરફ આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર અજય દેવગણની પત્ની કાજોલ અને તેની પુત્રી ન્યાસા વિશે એક અફવા ફેલાઇ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, કાજોલ અને ન્યાસાને કોરોના પોઝિટીવ છે. તે જ સમયે અજય દેવગણે ખુદ આ તમામ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલે એક ટ્વીટ કરીને સત્ય હકીકત જણાવી છે.

અજયે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ બધી જ અફવાને નકારી દીધી છે. અજયે ટ્વીટ કરીને લખ્યું- ‘પૂછવા બદલ બધાનો આભાર. કાજોલ અને ન્યાસા એકદમ બરાબર છે. તેના સ્વાસ્થ્ય વિશેની અફવાઓ બકવાસ, ખોટી અને પાયાવિહોણી છે. આ ટ્વીટ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, ન્યાસા અને કાજોલ કોરોના પોઝિટીવ હોવા અંગેની ચર્ચા એકદમ ખોટી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અફવાઓ આવી હતી કે, ન્યાસામાં કોરોના વાયરસના કેટલાક લક્ષણો જોવા મળ્યા છે, ત્યારબાદ કાજોલ તેમની સાથે હોસ્પિટલમાં પહોંચી હતી. આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આવા સમાચારોને વેગ વધારે એટલા માટે મળ્યો કારણ કે કાજોલ અને તેની પુત્રી ન્યાસા થોડા દિવસો પહેલા જ સિંગાપોરથી પરત ફર્યા હતાં. બંનેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. એરપોર્ટથી પરત ફરતી માતા-પુત્રીના ફોટા પણ વાયરલ થયા હતા.

Share Now