કનિકાનો તેની સોસાયટીના લોકો દ્વારા વિરોધ થયો

440

કોરોના પછી હવે તેણે કાયદાકીય લડાઈ પણ લડવાની છે.

અનેક દિવસો સુધી કોવિડ-19ની વિરુદ્ધની લડાઈ બાદ આખરે સોમવારે કનિકા કપૂરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, હજી તેની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. ટૂંક સમયમાં જ પોલીસ તેની પૂછપરછ કરશે એમ કહેવામાં આવી રહ્યું છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર તેની સોસાયટીના લોકો તેના અને તેના પરિવારની વિરુદ્ધ થઈ ગયા છે. જેના કારણે તેણે તેના કોઈ રિલેટિવને ત્યાં રહેવું પડે છે. કોરોના પછી હવે તેણે કાયદાકીય લડાઈ પણ લડવાની છે.

Share Now