તબલીગી જમાત પર સ્વરા ભાસ્કર અને બબીતા ફોગાટ વચ્ચે ટ્વિટર વોરને લઈ મોટો ઝગડો થયો

331

તબલીગી જમાતિયો પર વિવાદિત ટ્વિટ કરીને ભારતની સ્ટાર પહેલવાન બબીતા ફોગાટ ફસાઇ પડી છે.દેશમાં કોરોના સંક્રમણને તેજીથી ફેલાવવા માટે જમાતિયોને તેણે જવાબદાર ઠેરવ્યા હતા.અને તેમના માટે આપત્તિજનક શબ્દો પણ વાપર્યા હતા.જે પછી સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેના સમર્થનમાં તો કેટલાક તેના વિરોધમાં બોલવા લાગ્યા હતા.આ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ ટિપ્પણી કરતા ટ્વિટર પર બંને આમને સામને આવી ગયા હતા.

જાણો કોણે શું કહ્યું આ મામલે

બબીતાએ થોડા સમય પહેલા જમાતીઓ પર વિવાદિત ટિપ્પણી કરી હતી.તે પછી સ્વરા ભાસ્કરે પણ એક સ્ટેસ્ટિક આપીને તેને કહ્યું કે બબીતાજી આ Statistics પણ જોઇ લો.આ લાખો ભક્તગણના કોરોના ટેસ્ટ થયા?કૃપયા આ પર પણ ટિપ્પણી કરજો.અને તબલિગી જમાતના પ્રોગ્રામને દિલ્હી પોલીસ પરવાનગી કેમ આપી હતી.આ પર પણ સવાલ ઉઠવા જોઇએ. બાકી ફેન તો અમે પણ તમારા છીએ.

જો કે આ પર બબીતા ફોગતે રિપ્લાયમાં ટ્વિટ કરીને કહ્યું કે મારી ફેન-મારી બહેન…135 કરોડના આપણા રાષ્ટ્રમાં મહામારીથી બચાવ રેસ્ક્યૂ પ્રયાસ અને ટેસ્ટ સરકારની તરફથી કરવામાં આવી રહ્યા છે.દિલ્હીથી તો લાખો મજૂર પણ બિહાર અને ઉત્તર પ્રદેશ માટે નીકળી ગયા છે પણ કોરોના સંક્રમણ ફેલાવામાં સૌથી આગળ જાહિલ જમાતી જ કેમ?

ઉલ્લેખનીય છે કે બબીતા ફોગટના જમાતીઓ પર વિવાદિત નિવેદન મામલે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે.તેમના પર સોશિયલ મીડિયામાં નફરત ફેલાવવાનો આરોપ છે.તેમણે 15 એપ્રિલના રોજ એક ટ્વિટ કર્યું હતું કે જેમાં તેમણે કોરોના વાયરસ ભારતની બીજી મોટી સમસ્યા અને જમાતી ભારતી સૌથી મોટી સમસ્યા ગણાવી હતી.જો કે પાછળથી ટ્વિટર તેના નિયમોના મુજબ આ ટ્વિટને હટાવી દીધું હતું.પણ તેમ છતાં બબીતા પાછલા થોડા સમયથી આજ મુદ્દે સતત એક પછી એક વિવાદિત ટ્વિટ અને ટિપ્પણી કરી રહી છે.

Share Now