
મુંબઈ : વાવાઝોડું નિસર્ગ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું છે.આ વાવાઝોડું મુંબઇના અલીબાગના કાંઠે અથડાયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું કલાકના લગભગ 120 કિ.મી.ની ઝડપે ત્રાટક્યું છે.મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અલીબાગમાં વાવાઝોડા ‘નિસર્ગ’નું લેન્ડફોલ
વાવાઝોડું નિસર્ગ એલિબાગના કાંઠે અથડાયું છે.અલીબાગમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લેન્ડફોલને પૂર્ણ થવા માટે લગભગ 3 કલાકનો સમય લાગશે.ભારે પવન અને વરસાદ સાથે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે.લોકોને ભારે પવન અને વરસાદ વચ્ચે ઘરોમાં રોકાવાની સૂચના આપવામાં આવી રહી છે.તે જ સમયે,તેને દરિયાકાંઠાના વિસ્તારોમાં જતા અટકાવવામાં આવ્યા છે.
બાંદ્રા-વરલી સી લીંક ઉપર અવર – જવર બંધ કરવામાં આવી
તોફાનને ધ્યાનમાં રાખીને બાંદ્રા-વરલી સી લિંક ઉપર ટ્રાફિક અવરજવર બંધ કરાયો છે મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 21 ટીમો તૈનાત કરવામાં આવી છે. મુંબઈ,થાણે,રાયગ,રત્નાગિરિમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.આવી સ્થિતિમાં લોકોને ઘરોમાંથી બહાર ન આવવાની સલાહ આપવામાં આવી છે.
નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના તટીય ક્ષેત્રો સાથે અથડાયું છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી મુંબઈના અલીબાગ કિનારે અથડાયું છે. વાવાઝોડાના કારણે મુંબઈના મોટા ભાગના ક્ષેત્રોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ મુંબઈ અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે.
અલીબાગ ખાતે નિસર્ગ વાવાઝોડાનું લેન્ડફોલ
નિસર્ગ વાવાઝોડું અલીબાગ કિનારે અથડાયું તેના કારણે તે ક્ષેત્રમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે લેન્ડફોલની સમાપ્તિ થતા ત્રણેક કલાક લાગશે તેવી આગાહી કરી છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશયી થઈ ગયા છે તથા લોકોને ઘરમાં જ રહેવાની અને કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
બાંદ્રા-વર્લી સી લિન્ક પર પરિવહન રોકવામાં આવ્યું
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને બાંદ્રા-વર્લી સી લિન્ક પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે.મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 21 ટીમ તૈનાત કરવામાં આવી છે અને મુંબઈ,થાણે,રાયગઢ,રત્નાગિરીમાં ભારે વરસાદ હોવાથી લોકોને ઘરમાં રહેવા જણાવાયું છે.
દરિયામાં ઉંચી લહેરો ઉઠી
વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રના રત્નાગિરી ક્ષેત્રમાં દરિયામાં ઉંચી લહેરો ઉઠી રહી છે અને દરિયા કિનારે બાંધવામાં આવેલા જહાજો પણ હલી રહ્યા છે. વાવાઝોડું અથડાયું તેના પહેલા જ હવામાન વિભાગે હાઈ ટાઈડની અને છ ફૂટના મોજા મુંબઈને ભીંજવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.જોકે લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા હતા.વાવાઝોડાથી જાન-માલનું નુકસાન રોકવા પૂર્વ તૈયારી કરી દેવાઈ હતી અને મુંબઈમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. સાથે જ લોકોને પાર્કમાં કે દરિયા કિનારે ન જવા કહેવામાં આવ્યું હતું.
ગુજરાતમાં અસર
મુંબઈ ઉપરાંત ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે અને તેનું ટ્રેલર અત્યારથી ચાલુ થઈ ગયું છે.અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને નવસારી આસપાસના દરિયામાં ઉંચી ઉંચી લહેરો ઉઠવા લાગી છે.વલસાડ અને નવસારી જિલ્લા પ્રશાસને રાજ્યના તટીય ક્ષેત્રોના 47 જેટલા ગામોના 20,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલુ કરી દીધું છે.