માલિક સુશાંતસિંહના નિધનથી તેનો ડોગી ‘ફઝ’ દુઃખી દુઃખી : ખાવા-પીવાનું છોડી દીધું!

321

મુંબઇ તા. ૧૯ : બોલિવૂડ એકટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી સમગ્ર બોલિવૂડમાં ગમગીની છવાઇ ગઈ છે.પ્રશંસકોના માન્યામાં નથી આવતુ કે હસતો ખેલતો આ ચહેરો આ રીતે અચાનક છોડીને ચાલ્યો જશે.સુશાંતના પરિવારથી લઈને સેલેબ્સ અને તેના પ્રશંસકો શોકમાં છે.સુશાંતનો ડોગી ‘ફઝ’ પણ આઘાતમાં ગરકાવ થઇ ગયો છે.

સુશાંતના નિધન બાદ તેનું પેટ ફઝ ખુબજ ઉદાસ છે સુશાંતની તસવીરોને જોયા જ કરે છે અને માસુમ થઇને તેની સામે બેસી રહે છે.આના પરથી ખબર પડે કે સુશાંત માણસોના દિલમાં તો સ્થાન ધરાવે જ છે પ્રાણીઓમાં પણ એટલો જ પ્રિય હતો.સુશાંતના નિધન બાદ ફઝે ખાવા પીવાનું છોડી દીધુ છે.

એકટર અને બિગ બોસ ૧૦ના વિજેતા મનવીર ગુર્જરે ફઝની તસવીરો શેર કરી છે. ટ્વિટર પર તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યુ કે ભાઈ સુશાંત સિંહ કોઈ બીજુ તને યાદ કરે કે ન કરે તારા ફઝને હંમેશા તારી યાદ આવશે.ફઝની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.ફઝની આ તસવીરો દુખ પહોંચાડે છે.

સુશાંતે ૨૦૧૩માં ફિલ્મ ‘કાયપો છે’થી બોલિવૂડમાં ડગલુ માંડ્યુ હતુ. ત્યારબાદ સુશાંતે શુદ્ઘ દેશી રોમાંસ,પીકે,ડિટેકિટવ વ્યોમકેશ બકસી,એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી,રાબતા,કેદારનાથ અને સોનચીડિયા જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.ગયા વર્ષે તેની ફિલ્મ છિછોરે રિલીઝ થઈ હતી જેમાં તેની સાથે શ્રદ્ઘા ચમકી હતી.

Share Now