વડોદરાના સુરસાગર તળાવના કિનારે આવેલા સાઈ મંદિર ને તોડી પડાતા ભક્તોમાં ભારે નારાજગી

251

અમદાવાદ/વડોદરા, 14 જુલાઈ : વડોદરાના સુરસાગર તળાવના કિનારે આવેલા સાઈ મંદિરને પાલિકાના એસ્ટેટ ખાતા દ્વારા તોડી પાડવામાં આવતા સાઈ ભક્તો માં રોષ ફાટી નીકળ્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, સુરસાગર તળાવના કિનારે આવેલું આ સાઈ મંદિર છેલ્લા 35 વર્ષથી આ તળાવના કિનારે લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું હતું. તેને એક દિવસ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જેથી લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો હતો. તેમણે મ્યુનિ. કમિશ્નરને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ લોકો દ્વારા કાઉન્સીલર ફરીદ કટપીસવાળાને સાથે રાખીને સોમવારે ફરીથી બાંધવાનું શરુ કરતા પાલિકા દ્વારા બીજીવાર પણ તે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. તેના કારણે સાઈ ભક્તો વિફર્યા હતા. હવે અગર પાલિકા દ્વારા જો આવું કૃત્ય કરવામાં આવશે તો પાલિકાના અધિકારીઓને આડે હાથ લેવાની ધમકી ઉચ્ચારી છે.

Share Now