સુશાંતે પ્રથમ વખત સારા સાથે લીધું હતું ડ્રગ્સ, જાણો કોણે NCB સમક્ષ કર્યો દાવો

285

મુંબઈ : સુશાંત કેસમાં ડ્રગ એંગલમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીનું વિશેષ નિવેદન બહાર આવ્યું છે.ધરપકડ પહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) સાથે પૂછપરછમાં રિયાએ સુશાંતનું ઘર છોડવાનું વાસ્તવિક કારણ આપ્યું હતું.તેની કબૂલાતથી ખુલાસો થયો કે રિયાએ 8 જૂને સુશાંતનું ઘર કેમ છોડી દીધું.જાણીતા મીડિયાને એનસીબી અને રિયા વચ્ચેની પૂછપરછનું વિશિષ્ટ ટ્રાંસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું છે,જેમાં રિયાએ સુશાંતથી અલગ થવાનું કારણ જણાવ્યું છે.

એનસીબીને આપેલા નિવેદનમાં રિયાએ જણાવ્યું હતું કે, સુશાંતને નશાની લત લાગી ગઈ હતી અને તે તેનાથી બહાર નીકળી શક્યો નહીં.એમ કહીને રિયા 8 જૂને સુશાંતના ઘરેથી નીકળી ગઈ.સુશાંત સામે લોકડાઉન અને મીટૂના લાગેલા આરોપોને ધ્યાનમાં રાખતા રિયાએ વિચાર્યું કે જો તે સુશાંત સાથે રહેશે તો તેની કારકિર્દી બગડશે, જે ધ્યાનમાં રાખીને સુશાંતને છોડી દેવાનું વધુ સારું માન્યું.

પોતાના નિવેદનમાં રિયાએ જણાવ્યું છે કે, જ્યારે કેદારનાથની ફિલ્મના શૂટિંગ દરમિયાન તે હિમાલય પર રહ્યા,તો તે ફ્રી અવેલેબિલીટીને કારણે ત્યાં તેઓએ ડ્રગ્સ લેવાનું શરુ કરી દીધું. સમગ્ર સેટ ડ્રગ્સ લેતો હતો, એક અગત્યની બાબત એ છે કે કોઈ પણ વ્યક્તિ જે ડ્રગ્સ લે છે,ખાસ કરીને કેનબીસ, તેને ખૂબ ભૂખ લાગે છે, તે વજન વધારવાનું શરૂ થાય છે,કોકેનથી વજન ઘટે છે અને કેનબીસ વજનમાં વધારો કરે છે.તેનું કહેવું હતું કે,સારા અને સુશાંત બંને વજન વધારીને આવ્યા હતા, જયારે એવી જગ્યાએ શૂટિંગ હતું જ્યાં વજન વધારવું મુશ્કેલ હતું.

Share Now