આર્યન ખાનને એનસીબી ઓફિસમાં હાજરી આપવામાંથી કોર્ટે મુક્તિ આપી

152
  • જોકે દિલ્હીની ટીમ સમક્ષ તપાસ માટે હાજરી આપવી પડશે

મુંબઇ : ક્રુઝ ડ્રગ પાર્ટી પ્રકરણે અભિનેતા શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીનની શરતમાં રાહત આપવામાં આવી છે.એનસીબીની ઓફિસમાં દર શુક્રવારે હાજરી આપવામાંથી કોર્ટે તેને રાહત આપી છે.આથી આર્યને હવે દર શુક્રવારે હાજરી આપવામાંથી મુક્તિ અપાઇ છે.આર્યન વતી તેના વકિલે કોર્ટમાં આ સંબંધી અરજી કરી હતી.

જો કે દિલ્હી એસઆઇટીએ આર્યનને સમન્સ પાઠવતાં તેણે તપાસ માટે હાજર રહેવું પડશે.આર્યને જો કે મુંબઇની બહાર જવા માટે તપાસ અધિકારીને પૂર્વસૂચના આપવી બંધનકારક રહેશે.આર્યને અરજીમાં ફરિયાદ કરી હતી કે તે એનસીબી ઓફિસમાં પહોંચે તે પહેલાં મીડિયાને જમાવડો થયલો રહે છે.એવામાં પોલીસે તેમને એનસીબી ઓફિસમાં અતિશય ઝડપથી લઇ જવો પડે છે.આને લીધે પોતાને તકલીફ થતી હોવાનું તેણે કોર્ટને અરજીમાં જણાવ્યું હતું.આ સંબંધે બુધવારે સુનાવણી થઇ હતી

Share Now