લાલુની તબિયત ફરી લથડતા દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા

165

– ક્રિએટિનિન લેવલ 3.5થી વધીને 4.6
– રાંચીની આરઆઇએમએસ હોસ્પિટલના ડોક્ટરોએ લાલુને દિલ્હીની એઇમ્સમાં ખસેડવાની ભલામણ કરી

રાંચી : ઘાસચારા કૌભાંડમાં સજાનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય જનતા દળ(રાજદ)ના સુપ્રીમો લાલુ પ્રસાદની તબિયત ફરીથી લથડી છે અને તેમને વધુ સારી સારવાર માટે એઇમ્સ,દિલ્હીમાં ખસેડવામાં આવ્યા છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

રાજેન્દ્ર ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ(આરઆઇએમએસ)ના મેડિકલ બોર્ડે લાલુ પ્રસાદ યાદવને એઇમ્સ,નવી દિલ્હીમાં ખસેડવાની ભલામણ કરી હતી.

આરઆઇએમએસમાં પ્રસાદની સારવાર કરી રહેલા સાત ડોકટરોની ટીમના વડા ડો.વિદ્યાપતિએ જણાવ્યું છે કે મેડિકલ બોર્ડે લાલુપ્રસાદ યાદવને દિલ્હીની એઇમ્સમાં ખસેડવાની ભલામણ કરી હતી કારણકે તેમની તબિયત ફરી એક વખત લથડી છે.

લાલુ પ્રસાદ યાદવનું ક્રિએટિનિન લેવલ ૩.૫થી વધીને ૪.૬ થઇ ગયું છે.બ્લડ સુગર અને બ્લડ પ્રેશરમાં સતત વધઘટ થઇ રહી છે.ઘાસચારા કૌભાંડમાં દોરાન્દા ટ્રેઝરીમાંથી ૧૩૯ કરોડ રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

Share Now