અમેરિકન પત્રકારને દિલ્હી એરપોર્ટથી ન્યૂયોર્ક પરત મોકલવામાં આવ્યો

144

– કોરોના મહામારી અને ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર બનાવી હતી ડોંક્યુમેન્ટ્રી
– ભારતમાં કોરોનાના ડેલ્ટા વાયરસના કવરેજ પર એમી એવોર્ડનું નોમિનેશન મળ્યું હતુ

અંગદ સિંહે ભારતમાં કોવિડ-19 રોગચાળા અને રદ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર શ્રેણીબદ્ધ ‘ડોંક્યુમેન્ટ્રી’ બનાવી હતી.અમેરિકન પત્રકાર અંગદ સિંહને બુધવારે રાત્રે ભારત આવ્યા બાદ તરત જ ન્યૂયોર્ક પરત મોકલી દેવામાં આવ્યો હતો.અંગદ સિંહની માતા ગુરમીત કૌરે એક ફેસબુક પોસ્ટમાં આ દાવો કર્યો છે.વાઈસ ન્યૂઝ માટે એશિયા-કેન્દ્રિત ડોક્યુમેન્ટ્રી બનાવનાર સિંહની માતા કૌરના જણાવ્યા અનુસાર, તેઓ અંગત મુલાકાતે ભારત આવ્યા હતા.તેણે કહ્યું, “મારો પુત્ર અમેરિકન નાગરિક છે. 18 કલાકની મુસાફરી કરીને તેઓ દિલ્હી પહોંચ્યા,જ્યાંથી તેઓ પંજાબ જવાના હતા.પરંતુ તેને આગામી ફ્લાઇટમાં ન્યુયોર્ક પરત મોકલી દેવામાં આવ્યો હતો.

કૌરે દાવો કર્યો, “તેણે કોઈ કારણ આપ્યું નથી. પરંતુ અમે જાણીએ છીએ કે, આ તેમના એવોર્ડ વિજેતા પત્રકારત્વના ડરથી કરવામાં આવ્યું છે.તે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને સ્વીકારી ન શક્યા.વાઈસના અગ્રણી રિપોર્ટિંગથી તે ડરી ગયા છે.

સિંઘે ભારતમાં કોવિડ-19 રોગચાળા સામે રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનો અને ત્રણ કૃષિ કાયદાઓ કે, જેને રદ કરવામાં આવ્યા છે તેના પર શ્રેણીબદ્ધ ‘દસ્તાવેજી ફિલ્મો’ બનાવી હતી.અંગંદ સિંહે ગયા વર્ષે ભારતમાં કોરોનાના ડેલ્ટા વાયરસ વિશે કવરેજ પણ કર્યું હતું.આ કારણે તેને એમી એવોર્ડનું નોમિનેશન મળ્યું.સિંઘના દેશનિકાલ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

Share Now